ગેરકાયદેસર ઝીંગા તળાવોના માલિકો પાસેથી ડિમોલિશન પેટેનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે
સુરત જીલ્લા કલેકટરે અગાઉ પણ નોટીસ આપી હતી.
કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવોની બદી વિકરાળ થઈ જવા પામી છે.
WatchGujarat આજથી ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને જમીનદોસ્ત કરવાની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવોની બદી વિકરાળ થઈ જવા પામી છે. ત્યારે ઓલપાડ વિસ્તારમાં કલેક્ટર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે દબાણ દૂર કરવામાં અડચણ કરનારા સામે સીધો લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.
સુરત જીલ્લામાં ગેરકાયદેસર જીંગા તળાવો આવેલા છે. સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવોની બદી વિકરાળ થઈ જવા પામી છે. જેને લઈને સુરત જીલ્લા કલેકટરે અગાઉ પણ નોટીસ આપી હતી. પણ તેમ છતાં કોઈ અસર નહિ જોવા મળતા હવે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વહેલી સવારથી ઓલપાડ ખાતે આવેલા મંદરોઈ ગામમાં આવેલા ગેરકાયદેસરના ઝીંગાના તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સરકાર દ્વારા મંદરોઈ ગામમાં જે સરકારી જમીન ઝીંગા તળવા માટે ફાળવવામાં આવી છે તે લાર્ભાથીઓની સંખ્યા 63 છે. તે સિવાય તમામ સરકારી જમીન પર દબાણ કરીને ગેરકાયદે ઝીંગાના તળાવો બાંધી દેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે ચાર બુલડોઝર દ્વારા ધરાર સરકારી જમીન પર ઉભા કરી દેવામાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવોના પાળા તોડવાની શરૂઆત કરવામાં આવી છે.
હજારો વીઘા જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવો ઠોકી બેસાડવામાં આવ્યાનો ઘટસ્ફોટ
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ,ચોર્યાસી તથા મજુરા વિસ્તારમાં હજ્જારો વીઘા જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો ઠોકી બેસાડવામાં આવ્યા હતા. જે સંર્દભે ડીઆઈએલઆર (જમીન માપણી અધિકારી) દ્વારા કરવામાં આવેલા માપણીમાં ઘટસ્ફોટ થતાં ખુદ વહીવટી તંત્ર ચોકી ઉઠ્યું હતું. હાલમાં જ ડીઆઈએલઆર વિભાગ દ્વારા ઓલપાડના 13 અને ચોર્યાસીના નવ ગામોની માપણી કરી રિર્પોટ કલેક્ટરને સુપરત કર્યો હતો. જેના આધારે ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોની ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લાના અન્ય ગામોની ઝીંગા તળાવ પણ ડિમોલિશન થશે
ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને જમીનદોસ્ત કરવાની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યાબાદ તંત્ર દ્વારા દાંડી, સરક, કુંદીયાણા, કપાસી, લવાછા, નેસ, ઓરમાં, કોબા, કુવાદ અને મોર સહિતના અન્ય ગામોમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને જમીન દોસ્ત કરવામાં આવશે. આ દરમિયાન જે લોકો પોતાના ગેરકાયદેસર ઝીંગા તળાવોનું સ્વૈચ્છિક ડિમોલિશન કરશે તે સિવાયના તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવોના માલિકો પાસેથી ડિમોલિશન પેટેનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે.
કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવોની બદી વિકરાળ થઈ જવા પામી છે.
WatchGujarat આજથી ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને જમીનદોસ્ત કરવાની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવોની બદી વિકરાળ થઈ જવા પામી છે. ત્યારે ઓલપાડ વિસ્તારમાં કલેક્ટર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે દબાણ દૂર કરવામાં અડચણ કરનારા સામે સીધો લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.
સુરત જીલ્લામાં ગેરકાયદેસર જીંગા તળાવો આવેલા છે. સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવોની બદી વિકરાળ થઈ જવા પામી છે. જેને લઈને સુરત જીલ્લા કલેકટરે અગાઉ પણ નોટીસ આપી હતી. પણ તેમ છતાં કોઈ અસર નહિ જોવા મળતા હવે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વહેલી સવારથી ઓલપાડ ખાતે આવેલા મંદરોઈ ગામમાં આવેલા ગેરકાયદેસરના ઝીંગાના તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સરકાર દ્વારા મંદરોઈ ગામમાં જે સરકારી જમીન ઝીંગા તળવા માટે ફાળવવામાં આવી છે તે લાર્ભાથીઓની સંખ્યા 63 છે. તે સિવાય તમામ સરકારી જમીન પર દબાણ કરીને ગેરકાયદે ઝીંગાના તળાવો બાંધી દેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે ચાર બુલડોઝર દ્વારા ધરાર સરકારી જમીન પર ઉભા કરી દેવામાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવોના પાળા તોડવાની શરૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ,ચોર્યાસી તથા મજુરા વિસ્તારમાં હજ્જારો વીઘા જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો ઠોકી બેસાડવામાં આવ્યા હતા. જે સંર્દભે ડીઆઈએલઆર (જમીન માપણી અધિકારી) દ્વારા કરવામાં આવેલા માપણીમાં ઘટસ્ફોટ થતાં ખુદ વહીવટી તંત્ર ચોકી ઉઠ્યું હતું. હાલમાં જ ડીઆઈએલઆર વિભાગ દ્વારા ઓલપાડના 13 અને ચોર્યાસીના નવ ગામોની માપણી કરી રિર્પોટ કલેક્ટરને સુપરત કર્યો હતો. જેના આધારે ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોની ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લાના અન્ય ગામોની ઝીંગા તળાવ પણ ડિમોલિશન થશે
ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને જમીનદોસ્ત કરવાની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યાબાદ તંત્ર દ્વારા દાંડી, સરક, કુંદીયાણા, કપાસી, લવાછા, નેસ, ઓરમાં, કોબા, કુવાદ અને મોર સહિતના અન્ય ગામોમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને જમીન દોસ્ત કરવામાં આવશે. આ દરમિયાન જે લોકો પોતાના ગેરકાયદેસર ઝીંગા તળાવોનું સ્વૈચ્છિક ડિમોલિશન કરશે તે સિવાયના તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવોના માલિકો પાસેથી ડિમોલિશન પેટેનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે.