અકાઉન્ટન્ટનો મૃતદેહ બે ભાગમાં કપાયેલી હાલતમાં મળ્યો
'હું આવું છું' કહી સોમવારની રાત્રે ઘરેથી નીકળ્યો હતો.
સુસાઈડ નોટમાં બહેનનો નંબર લખ્યો હતો
WatchGujarat શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા અકાઉન્ટન્ટે સુસાઈડ નોટ ખિસ્સામાં રાખી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઈલ નંબર લખી જતાં પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. એટલું જ નહીં, પણ યુવકે પર્સ, બાઇક, મોબાઈલ સહિતની તમામ વસ્તુઓ ઘરે છોડી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ વિભાગ-1માં રહેતા હેમંત નવીનચંદ્ર પટેલ હીરા ઉદ્યોગમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. હેમંતના 13 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને 3 વર્ષની દીકરી છે. 'હું આવું છું' કહી સોમવારની રાત્રે ઘરેથી નીકળ્યો હતો. પર્સ, ઘડિયાળ, મોબાઈલ અને બાઇક પણ ઘરે જ છોડીને ગયો હતો. ઘરેથી નીકળ્યા બાદ હેમંતનો નંદનવન રેલવે બ્રિજ નીચેથી બે ભાગમાં કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હેમંતના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત સુસાઈડ નોટમાં બહેનનો નંબર લખેલો હોવાથી પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. હેમંત માતા અને બહેન સાથે રહેતો હતો.
મૃતક હેમંત પટેલે પારિવારિક ઝઘડામાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકા પોલીસે વધુ તાપસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઈલ નંબર લખી જતાં પત્ની સામે શંકાની સોઈ ઘેરાઈ છે. જો કે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના મોતના પગલે બે બાળકો પરથી પિતાની છત્રછાયા દુર થઇ છે.
અકાઉન્ટન્ટનો મૃતદેહ બે ભાગમાં કપાયેલી હાલતમાં મળ્યો
'હું આવું છું' કહી સોમવારની રાત્રે ઘરેથી નીકળ્યો હતો.
સુસાઈડ નોટમાં બહેનનો નંબર લખ્યો હતો
WatchGujarat શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા અકાઉન્ટન્ટે સુસાઈડ નોટ ખિસ્સામાં રાખી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઈલ નંબર લખી જતાં પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. એટલું જ નહીં, પણ યુવકે પર્સ, બાઇક, મોબાઈલ સહિતની તમામ વસ્તુઓ ઘરે છોડી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ વિભાગ-1માં રહેતા હેમંત નવીનચંદ્ર પટેલ હીરા ઉદ્યોગમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. હેમંતના 13 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને 3 વર્ષની દીકરી છે. 'હું આવું છું' કહી સોમવારની રાત્રે ઘરેથી નીકળ્યો હતો. પર્સ, ઘડિયાળ, મોબાઈલ અને બાઇક પણ ઘરે જ છોડીને ગયો હતો. ઘરેથી નીકળ્યા બાદ હેમંતનો નંદનવન રેલવે બ્રિજ નીચેથી બે ભાગમાં કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હેમંતના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત સુસાઈડ નોટમાં બહેનનો નંબર લખેલો હોવાથી પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. હેમંત માતા અને બહેન સાથે રહેતો હતો.
મૃતક હેમંત પટેલે પારિવારિક ઝઘડામાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકા પોલીસે વધુ તાપસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઈલ નંબર લખી જતાં પત્ની સામે શંકાની સોઈ ઘેરાઈ છે. જો કે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના મોતના પગલે બે બાળકો પરથી પિતાની છત્રછાયા દુર થઇ છે.