સિટીલાઈટ ખાતે આવેલા મહારાજા અગ્રસેન ભવન ખાતે આ ધન રાશિ સમર્પિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
દેશભરમાંથી રાશી એકત્ર કરી રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય તે માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે.
WatchGujarat રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાંથી દાનનો ધોધ વહી રહ્યો છે. સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્ર્સ્ટ દ્વારા 5 કરોડ 11 લાખ 11 હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આજ રોજ સિટીલાઈટ ખાતે આવેલા મહારાજા અગ્રસેન ભવન ખાતે આ ધન રાશિ સમર્પિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
રામ મંદિર નિર્માણની ગાથા જન જન સુધી પહોચાડવા અને દેશભરમાંથી રાશી એકત્ર કરી રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય તે માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરતમાંથી દાનનો ધોધ વહી રહ્યો છે. સુરતમાં વિવિધ સમાજના લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે આજરોજ અગ્રવાલ વિકાસ ટ્ર્સ્ટ દ્વારા 5 કરોડ 11 લાખ 11 હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આજ રોજ સિટીલાઈટ ખાતે આવેલા મહારાજા અગ્રસેન ભવન આ ધન રાશિ સમર્પિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વીએચપીના સંગઠન મંત્રી ગોપાલજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સુરત મહાનગર સંઘ મહામંક્ષી કેતન લાપસીવાળા અને સુરત વીએચપીના અધ્યક્ષ અનિલ રૂંગટા સહિતના લોકો હાજર રહ્યા હતા.
અગાઉ અનેક લોકો આગળ આવી ચુક્યા છે.
રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે દેશભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. પરંતુ દાનવીરોની ભૂમિ ગણાતા સુરત શહેરમાં દાનનો ધોધ વહી રહ્યો છે. થોડા દિવસો અગાઉ ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું આ સિવાય સુરતમાંથી મહેશ કબૂતરવાલાએ 5 કરોડ, લવજી બાદશાહએ 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. જ્યારે અન્ય પણ વેપારીઓએ 5 લાખથી 21 લાખ સુધીનું દાન આપ્યું હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયા અને ખજાનચી સુરેન્દ્ર પટેલે પણ 5 લાખ રૂપિયાદાન આપ્યું હતું.
તબીબોએ પણ ૨૧ લાખ રૂપિયાનું કર્યું હતું દાન
રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે સુરતમાં તબીબો પણ આગળ આવ્યા હતા. તેઓએ પોતાની એક દિવસની આવક આ મંદિર નિર્માણ માટે દાન કરી હતી. ૨૧ લાખ રૂપિયાનું દાન સુરતમાં અલગ અલગ તબીબોએ કર્યું હતું.
અલગ અલગ જગ્યાએથી વહ્યો છે દાનનો ધોધ
થોડા દિવસો અગાઉ દીકરીના લગ્ન પ્રસંગમાં હીરા વેપારીએ દોઢ લાખ રૂપિયાનું દાન દીકરીના હસ્તે કર્યું હતું. દ્રષ્ટી રમેશભાઈ ભલાણીના લગ્ન લૂમ્સના બિઝનેસમેન સિદ્ધાર્થ સાથે થયા હતા. અને આ લગ્ન પ્રસંગમાં દીકરાના પિતા રમેશભાઈએ દોઢ લાખનું દાન રામ મંદિર નિર્માણ માટે કર્યું છે.
સિટીલાઈટ ખાતે આવેલા મહારાજા અગ્રસેન ભવન ખાતે આ ધન રાશિ સમર્પિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
દેશભરમાંથી રાશી એકત્ર કરી રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય તે માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે.
WatchGujarat રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાંથી દાનનો ધોધ વહી રહ્યો છે. સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્ર્સ્ટ દ્વારા 5 કરોડ 11 લાખ 11 હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આજ રોજ સિટીલાઈટ ખાતે આવેલા મહારાજા અગ્રસેન ભવન ખાતે આ ધન રાશિ સમર્પિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
રામ મંદિર નિર્માણની ગાથા જન જન સુધી પહોચાડવા અને દેશભરમાંથી રાશી એકત્ર કરી રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય તે માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરતમાંથી દાનનો ધોધ વહી રહ્યો છે. સુરતમાં વિવિધ સમાજના લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે આજરોજ અગ્રવાલ વિકાસ ટ્ર્સ્ટ દ્વારા 5 કરોડ 11 લાખ 11 હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આજ રોજ સિટીલાઈટ ખાતે આવેલા મહારાજા અગ્રસેન ભવન આ ધન રાશિ સમર્પિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વીએચપીના સંગઠન મંત્રી ગોપાલજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સુરત મહાનગર સંઘ મહામંક્ષી કેતન લાપસીવાળા અને સુરત વીએચપીના અધ્યક્ષ અનિલ રૂંગટા સહિતના લોકો હાજર રહ્યા હતા.
અગાઉ અનેક લોકો આગળ આવી ચુક્યા છે.
રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે દેશભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. પરંતુ દાનવીરોની ભૂમિ ગણાતા સુરત શહેરમાં દાનનો ધોધ વહી રહ્યો છે. થોડા દિવસો અગાઉ ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું આ સિવાય સુરતમાંથી મહેશ કબૂતરવાલાએ 5 કરોડ, લવજી બાદશાહએ 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. જ્યારે અન્ય પણ વેપારીઓએ 5 લાખથી 21 લાખ સુધીનું દાન આપ્યું હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયા અને ખજાનચી સુરેન્દ્ર પટેલે પણ 5 લાખ રૂપિયાદાન આપ્યું હતું.
તબીબોએ પણ ૨૧ લાખ રૂપિયાનું કર્યું હતું દાન
રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે સુરતમાં તબીબો પણ આગળ આવ્યા હતા. તેઓએ પોતાની એક દિવસની આવક આ મંદિર નિર્માણ માટે દાન કરી હતી. ૨૧ લાખ રૂપિયાનું દાન સુરતમાં અલગ અલગ તબીબોએ કર્યું હતું.
અલગ અલગ જગ્યાએથી વહ્યો છે દાનનો ધોધ
થોડા દિવસો અગાઉ દીકરીના લગ્ન પ્રસંગમાં હીરા વેપારીએ દોઢ લાખ રૂપિયાનું દાન દીકરીના હસ્તે કર્યું હતું. દ્રષ્ટી રમેશભાઈ ભલાણીના લગ્ન લૂમ્સના બિઝનેસમેન સિદ્ધાર્થ સાથે થયા હતા. અને આ લગ્ન પ્રસંગમાં દીકરાના પિતા રમેશભાઈએ દોઢ લાખનું દાન રામ મંદિર નિર્માણ માટે કર્યું છે.