સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ સ્થાનિક લોકોએ બેનર લગાવી દઈને વિરોધ કર્યો છે.
સ્થાનિક લોકોએ ગટર અને રસ્તાની સમસ્યાને લઈને વિરોધ કર્યો છે.
રાંદેરના મોરાભાગળ પર આવેલુ દુર્ગાપુરી સોસાયટીના રહિશોએ બેનર લગાવતા ઉમેદવારો દોડતા થયા
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મત આપ્યા બાદ લોકોને ભૂલી જતા નેતાઓની ઊંઘ ઉડાડવા માટે સ્થાનિકોએ બેનર લગાવ્યા છે.નેતાઓએ ન આવવું એવા લખાણ સાથેના બેનર સુરતના રાંદેર મોરાભાગળની દુર્ગાપુરી સોસાયટીમાં લાગ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક આવતા નેતાઓના સોસાયટીમાં પ્રવેશબંધીનો દોર પણ શરુ થઇ ગયો છે. રસ્તા અને વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી રાજકીય આગેવાનોએ સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીંનાં બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના વિરોધ બાદ આખા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે નેતાઓ વોટ માંગવા માટે ડોર ટુ ડોર પ્રચાર પણ શરુ કરી દીધો છે. પણ આ બધા વચ્ચે નેતાઓનો બહિષ્કાર પણ થઇ રહ્યો છે. માત્ર વોટ માંગી જનતાના કામો નહી કરનારા નેતાઓનો બહિષ્કાર શરુ થઇ ગયો છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વોર્ડ નબર ૯માં આવેલી દુર્ગાપૂરી સોસાયટીમાં રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહિ જેવા બેનરો લગાડવામાં આવ્યા છે. બેનરોમાં લખવામાં આવ્યું છે કે રાજકીય પક્ષો જોગ આથી જણાવવાનું કે અમારી સોસાયટીના રોડ રસ્તાના કોઈ જ કામકાજ આજદિન સુધી શાશક પક્ષ દ્વારા થયા નથી.
ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. તેની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઝોન કચેરી અને પાલિકા કચેરીએ વખતોવખત કરી હતી. આ ઉપરાંત સોસાયટીમાં રસ્તો પણ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આ માટેની કોઇ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી કોઈ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા માટે અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણેના બેનરો લાગતા નેતાઓમાં ચુંટણી ટાણે ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોર્પોરેશનમાં અનેક રજુઆતો કરી પણ કોઈ ધ્યાન અપાયું નથી
રાંદેર વિસ્તારમાં આવેલા વોર્ડ નબર ૯માં આવેલી દુર્ગાપૂરી સોસાયટીના રહીશ જોગેશભાઈ માળીએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી નજીક ચોમાસામાં દોઢ ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે. જેથી રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે કોર્પોરેશનમાં અનેક રજુઆતો કરી છે. પરંતુ આજદિન સુધી અમારી સમસ્યાઓ સાંભળવામાં આવી નથી. છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી આ સમસ્યાઓનો સામનો અમે કરી રહ્યા છે.
સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ સ્થાનિક લોકોએ બેનર લગાવી દઈને વિરોધ કર્યો છે.
સ્થાનિક લોકોએ ગટર અને રસ્તાની સમસ્યાને લઈને વિરોધ કર્યો છે.
રાંદેરના મોરાભાગળ પર આવેલુ દુર્ગાપુરી સોસાયટીના રહિશોએ બેનર લગાવતા ઉમેદવારો દોડતા થયા
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મત આપ્યા બાદ લોકોને ભૂલી જતા નેતાઓની ઊંઘ ઉડાડવા માટે સ્થાનિકોએ બેનર લગાવ્યા છે.નેતાઓએ ન આવવું એવા લખાણ સાથેના બેનર સુરતના રાંદેર મોરાભાગળની દુર્ગાપુરી સોસાયટીમાં લાગ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક આવતા નેતાઓના સોસાયટીમાં પ્રવેશબંધીનો દોર પણ શરુ થઇ ગયો છે. રસ્તા અને વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી રાજકીય આગેવાનોએ સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીંનાં બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના વિરોધ બાદ આખા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે નેતાઓ વોટ માંગવા માટે ડોર ટુ ડોર પ્રચાર પણ શરુ કરી દીધો છે. પણ આ બધા વચ્ચે નેતાઓનો બહિષ્કાર પણ થઇ રહ્યો છે. માત્ર વોટ માંગી જનતાના કામો નહી કરનારા નેતાઓનો બહિષ્કાર શરુ થઇ ગયો છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વોર્ડ નબર ૯માં આવેલી દુર્ગાપૂરી સોસાયટીમાં રાજકીય પક્ષોએ વોટ માંગવા આવવું નહિ જેવા બેનરો લગાડવામાં આવ્યા છે. બેનરોમાં લખવામાં આવ્યું છે કે રાજકીય પક્ષો જોગ આથી જણાવવાનું કે અમારી સોસાયટીના રોડ રસ્તાના કોઈ જ કામકાજ આજદિન સુધી શાશક પક્ષ દ્વારા થયા નથી.
ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. તેની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઝોન કચેરી અને પાલિકા કચેરીએ વખતોવખત કરી હતી. આ ઉપરાંત સોસાયટીમાં રસ્તો પણ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આ માટેની કોઇ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી કોઈ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા માટે અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણેના બેનરો લાગતા નેતાઓમાં ચુંટણી ટાણે ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોર્પોરેશનમાં અનેક રજુઆતો કરી પણ કોઈ ધ્યાન અપાયું નથી
રાંદેર વિસ્તારમાં આવેલા વોર્ડ નબર ૯માં આવેલી દુર્ગાપૂરી સોસાયટીના રહીશ જોગેશભાઈ માળીએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી નજીક ચોમાસામાં દોઢ ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે. જેથી રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે કોર્પોરેશનમાં અનેક રજુઆતો કરી છે. પરંતુ આજદિન સુધી અમારી સમસ્યાઓ સાંભળવામાં આવી નથી. છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી આ સમસ્યાઓનો સામનો અમે કરી રહ્યા છે.