યુવકને ધરમપુર લઇ જઇ પ્રજ્ઞા નામની યુવતી બતાવી લગ્ન કરવાનું નક્કી કરાયું હતું.
લગ્ન બાદ 1.70 લાખ રૂપિયા રોકડા તેમજ દાગીના મળી કુલ 2 લાખથી વધુની રકમ લઇ લૂંટેરી દુલહન ફરાર
કામરેજ પોલીમાં 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરૂ કરી
WatchGujarat સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા યુવાનને મિત્ર મારફતે લગ્ન કરવાનું ભારે પડ્યું છે. લગ્ન બાદ યુવાને 1.70 લાખ રૂપિયા રોકડા તેમજ દાગીના મળી કુલ 2 લાખથી વધુની રકમ ગુમાવી છે. યુવકે મિત્ર અને દલાલ મારફતે મહારાષ્ટ્રની યુવતી સાથે ધરમપુર જઈ ગત જાન્યુઆરી માસમાં લગ્ન નક્કી કર્યાબાદ 21મી જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. દરમિયાન લૂંટેરી દુલ્હને પોત પ્રકશી 4 ફેબ્રુઆરીના રોજ સોનાના દાગીના લઈ અને રોકડ રકમ લઇ રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાને લઈ યુવાને કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 10 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલ મોટા સુરકા ગામના રહેવાસી અને હાલ સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા નયન (નામ બદલેલ છે) ડી.જે સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરે છે. ગત ડિસેમ્બર માસમાં ભાવનગર ખાતે હીરા મજૂરી કરતાં તેમના મિત્ર પ્રદીપભાઇ કાળુભાઇ રાજપૂતનો ફોન નરેશ ઉપર આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, તારે લગ્ન કરવા છે. લગ્ન કરવા હોય તો નાસિક બાજુ તારું ગોઠવી આપું છું. તેમ કહેતા નયનભાઇએ હા પાડી હતી.
ત્યારબાદ વાત આગળ ચાલતા પ્રદીપ રાજપૂત અન્ય મિત્ર રાજુ પરસોત્તમભાઈ કોળી સાથે કામરેજ આવ્યો હતો. અને તેના મારફતે મહારાષ્ટ્રમાં રહેતી તેજા ભરવાડ ની સાળી સાથે લગ્ન કરી આપવાની વાત કરી હતી. અને છોકરી જોવા માટે વલસાડના ધરમપુર ખાતે જોવા જવાનું નક્કી કર્યું હતું. નક્કી કર્યા મુજબ નયન ગત તા. 29 ડિસેમ્બરના રોજ પ્રદીપ રાજપૂત, રાજૂ કોળી, તેજા ભરવાડ અને ભગવાન ભરવાડ સાથે ધરમપુર ગયા હતા.
જ્યાં મહાદેવ ફળિયામાં એક ઘરમાં નયનને લઈ જવાયો હતો. ત્યાં પ્રજ્ઞા નામની યુવતીને જોયાબાદ લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. જોકે ત્યાં પ્રજ્ઞાની બહેન સંગીતા, તેના પતિ તારકભાઈ, પ્રજ્ઞાના દાદા તેમજ તેના સંબંધી જીગરભાઈ તથા ગોવિંદભાઈ રબારીની પત્ની હાજર હતા. થોડા સમય બાદ પ્રજ્ઞા ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ બનેંના લગ્ન નક્કી થયા હતા. સગાઈ પેટે 5100 રૂપિયા અને શ્રીફળ નયને ગોવિંદભાઇની પત્નીને આપ્યા હતા.
દરમિયાન નયન પાસે પ્રજ્ઞાના સેંથામાં સિંદુર પુરાવ્યું હતું. અને લગ્ન પેટે 1.65 લાખ રૂપિયા આપ્યા હતા. આ તમામ વ્યક્તિ કામરેજ આવ્યા હતા ત્યારે તે દિવસે લઈ ગયા હતા. ત્યારબાદ આ તમામ વ્યક્તિ પોતાના ઘરે જતાં રહ્યા હતા અને 21 જાન્યુઆરીના રોજ નયન અને પ્રજ્ઞાના સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. આ સમયે માત્ર પ્રદીપ રાજપૂત જ હાજર રહ્યો હતો. પ્રજ્ઞાના કોઈ સંબંધી હાજર રહ્યા ન હતા. ત્યારબાદ ગત 4 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞા સોનાની બુટ્ટી, ચાંદીના સાકળા, ચાંદીની વીંટી એક મોબાઈલ ફોન લઈ કોઈને કાઇ પણ કહ્યા વગર નયનના ઘરથી રફુચક્કર થઈ ગઈ હતી.
ત્યારબાદ નયન અને તેના પરિવારે અવાર નવાર પ્રજ્ઞાનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેણીનો સંપર્ક નહીં થતાં આખરે નયન પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર યુવાન ની ફરિયાદના આધારે પ્રદીપ કાળુભાઇ રાજપૂત (રહે, મુંડીગામ, તા-ધોલેરા, જી-અમદાવાદ), રાજુભાઇ પરસોત્તમભાઈ કોળી (રહે, ગોલાળાગામ, તા-તારાપુર, જી-અમદાવાદ) તેજાભાઈ ગગજીભાઈ ભરવાડ (રહે, રોણીગામ, તા-ખંભાત), ભગવાન ભરવાડ (રહે, રોણીગામ), પ્રજ્ઞાબેન વસંતભાઈ રાઉલ, સંગીતાબેન તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ), તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ), જીગરભાઈ મહેશભાઇ પટેલ (રહે, ધરમપુર, જી-વલસાડ), ગોવિંદભાઈ રબારીની પત્ની, પ્રજ્ઞાબેનની માસીની છોકરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્ન બાદ 1.70 લાખ રૂપિયા રોકડા તેમજ દાગીના મળી કુલ 2 લાખથી વધુની રકમ લઇ લૂંટેરી દુલહન ફરાર
કામરેજ પોલીમાં 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરૂ કરી
WatchGujarat સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા યુવાનને મિત્ર મારફતે લગ્ન કરવાનું ભારે પડ્યું છે. લગ્ન બાદ યુવાને 1.70 લાખ રૂપિયા રોકડા તેમજ દાગીના મળી કુલ 2 લાખથી વધુની રકમ ગુમાવી છે. યુવકે મિત્ર અને દલાલ મારફતે મહારાષ્ટ્રની યુવતી સાથે ધરમપુર જઈ ગત જાન્યુઆરી માસમાં લગ્ન નક્કી કર્યાબાદ 21મી જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. દરમિયાન લૂંટેરી દુલ્હને પોત પ્રકશી 4 ફેબ્રુઆરીના રોજ સોનાના દાગીના લઈ અને રોકડ રકમ લઇ રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાને લઈ યુવાને કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 10 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલ મોટા સુરકા ગામના રહેવાસી અને હાલ સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા નયન (નામ બદલેલ છે) ડી.જે સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરે છે. ગત ડિસેમ્બર માસમાં ભાવનગર ખાતે હીરા મજૂરી કરતાં તેમના મિત્ર પ્રદીપભાઇ કાળુભાઇ રાજપૂતનો ફોન નરેશ ઉપર આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, તારે લગ્ન કરવા છે. લગ્ન કરવા હોય તો નાસિક બાજુ તારું ગોઠવી આપું છું. તેમ કહેતા નયનભાઇએ હા પાડી હતી.
ત્યારબાદ વાત આગળ ચાલતા પ્રદીપ રાજપૂત અન્ય મિત્ર રાજુ પરસોત્તમભાઈ કોળી સાથે કામરેજ આવ્યો હતો. અને તેના મારફતે મહારાષ્ટ્રમાં રહેતી તેજા ભરવાડ ની સાળી સાથે લગ્ન કરી આપવાની વાત કરી હતી. અને છોકરી જોવા માટે વલસાડના ધરમપુર ખાતે જોવા જવાનું નક્કી કર્યું હતું. નક્કી કર્યા મુજબ નયન ગત તા. 29 ડિસેમ્બરના રોજ પ્રદીપ રાજપૂત, રાજૂ કોળી, તેજા ભરવાડ અને ભગવાન ભરવાડ સાથે ધરમપુર ગયા હતા.
જ્યાં મહાદેવ ફળિયામાં એક ઘરમાં નયનને લઈ જવાયો હતો. ત્યાં પ્રજ્ઞા નામની યુવતીને જોયાબાદ લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. જોકે ત્યાં પ્રજ્ઞાની બહેન સંગીતા, તેના પતિ તારકભાઈ, પ્રજ્ઞાના દાદા તેમજ તેના સંબંધી જીગરભાઈ તથા ગોવિંદભાઈ રબારીની પત્ની હાજર હતા. થોડા સમય બાદ પ્રજ્ઞા ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ બનેંના લગ્ન નક્કી થયા હતા. સગાઈ પેટે 5100 રૂપિયા અને શ્રીફળ નયને ગોવિંદભાઇની પત્નીને આપ્યા હતા.
દરમિયાન નયન પાસે પ્રજ્ઞાના સેંથામાં સિંદુર પુરાવ્યું હતું. અને લગ્ન પેટે 1.65 લાખ રૂપિયા આપ્યા હતા. આ તમામ વ્યક્તિ કામરેજ આવ્યા હતા ત્યારે તે દિવસે લઈ ગયા હતા. ત્યારબાદ આ તમામ વ્યક્તિ પોતાના ઘરે જતાં રહ્યા હતા અને 21 જાન્યુઆરીના રોજ નયન અને પ્રજ્ઞાના સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. આ સમયે માત્ર પ્રદીપ રાજપૂત જ હાજર રહ્યો હતો. પ્રજ્ઞાના કોઈ સંબંધી હાજર રહ્યા ન હતા. ત્યારબાદ ગત 4 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞા સોનાની બુટ્ટી, ચાંદીના સાકળા, ચાંદીની વીંટી એક મોબાઈલ ફોન લઈ કોઈને કાઇ પણ કહ્યા વગર નયનના ઘરથી રફુચક્કર થઈ ગઈ હતી.
ત્યારબાદ નયન અને તેના પરિવારે અવાર નવાર પ્રજ્ઞાનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેણીનો સંપર્ક નહીં થતાં આખરે નયન પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર યુવાન ની ફરિયાદના આધારે પ્રદીપ કાળુભાઇ રાજપૂત (રહે, મુંડીગામ, તા-ધોલેરા, જી-અમદાવાદ), રાજુભાઇ પરસોત્તમભાઈ કોળી (રહે, ગોલાળાગામ, તા-તારાપુર, જી-અમદાવાદ) તેજાભાઈ ગગજીભાઈ ભરવાડ (રહે, રોણીગામ, તા-ખંભાત), ભગવાન ભરવાડ (રહે, રોણીગામ), પ્રજ્ઞાબેન વસંતભાઈ રાઉલ, સંગીતાબેન તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ), તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ), જીગરભાઈ મહેશભાઇ પટેલ (રહે, ધરમપુર, જી-વલસાડ), ગોવિંદભાઈ રબારીની પત્ની, પ્રજ્ઞાબેનની માસીની છોકરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.