વરાછા વિસ્તારના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જે રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા હોય તે વિસ્તારના દુકાનદારો, ગોડાઉન અને ઓફિસ ધારકોનો સર્વે કરવા જણાવ્યું
મેટ્રો માટે રસ્તાઓ બંધ થતા આ દુકાનદારોની રોજી રોટી છીનવાઈ તેવી પરિસ્થિતિ આવીને ઉભી થઇ છે - દિનેશ કાછડિયા
મિલ્કત વેરા તેમજ યુટીલીટી ચાર્જમાંથી મુક્તિ આપવા પણ પાલિકા કમિશનરને પત્ર લખીને માંગ
WatchGujarat. સુરતમાં મેટ્રોની કામગીરી હવે પુરજોશમાં આગળ વધી રહી છે. મેટ્રો રેલવે માટે સુરત મનપા દ્વારા શહેરના 12 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મેટ્રો રેલના અન્ડરગ્રાઉન્ડ રૂટ માટે ચોકબજારથી કાપોદ્રા સુધીના રસ્તાને આવનારા એક વર્ષના માટે બંધ કરવામાં આવ્યા છે. તેવાં હવે સ્થાનિક દુકાનદારોને રોજગારી મુદ્દે ચિંતા સતાવી રહી છે.
આ અંગે વરાછા વિસ્તારના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જે રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા હોય તે વિસ્તારના દુકાનદારો, ગોડાઉન અને ઓફિસ ધારકોનો સર્વે કરવા જણાવ્યું છે. અને તે પછી તે સર્વે બાદ તેઓને વળતરની ચુકવણી કરવા માંગણી કરી છે. એટલું જ નહીં તેઓને મિલ્કત વેરા તેમજ યુટીલીટી ચાર્જમાંથી મુક્તિ આપવા પણ પાલિકા કમિશનરને પત્ર લખીને માંગણી કરી છે.
કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જણાવ્યું છે કે લોકડાઉં અને કોરોના લહેરના કારણે ધંધાર્થીઓ અને દુકાનદારોની અર્થી પરિસ્થિતિ કફોડી બની છે. તેવામાં હવે મેટ્રો માટે રસ્તાઓ બંધ થતા આ દુકાનદારોની રોજી રોટી છીનવાઈ તેવી પરિસ્થિતિ આવીને ઉભી થઇ છે.
તેવામાં તેઓએ શહેરના વિકાસ કામોને લીધે કોઈ પરિવારની આજીવિકા પર તરાપ મરાતી હોય તો આવા દુકાનદારોનો સર્વે કરીને તેમને વિષે વળતર જાહેર કરવા અને પાલિકાના મિલ્કત વેરા તેમજ યુટીલીટી ચાર્જમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.
વરાછા વિસ્તારના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જે રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા હોય તે વિસ્તારના દુકાનદારો, ગોડાઉન અને ઓફિસ ધારકોનો સર્વે કરવા જણાવ્યું
મેટ્રો માટે રસ્તાઓ બંધ થતા આ દુકાનદારોની રોજી રોટી છીનવાઈ તેવી પરિસ્થિતિ આવીને ઉભી થઇ છે - દિનેશ કાછડિયા
મિલ્કત વેરા તેમજ યુટીલીટી ચાર્જમાંથી મુક્તિ આપવા પણ પાલિકા કમિશનરને પત્ર લખીને માંગ
WatchGujarat. સુરતમાં મેટ્રોની કામગીરી હવે પુરજોશમાં આગળ વધી રહી છે. મેટ્રો રેલવે માટે સુરત મનપા દ્વારા શહેરના 12 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મેટ્રો રેલના અન્ડરગ્રાઉન્ડ રૂટ માટે ચોકબજારથી કાપોદ્રા સુધીના રસ્તાને આવનારા એક વર્ષના માટે બંધ કરવામાં આવ્યા છે. તેવાં હવે સ્થાનિક દુકાનદારોને રોજગારી મુદ્દે ચિંતા સતાવી રહી છે.
આ અંગે વરાછા વિસ્તારના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જે રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા હોય તે વિસ્તારના દુકાનદારો, ગોડાઉન અને ઓફિસ ધારકોનો સર્વે કરવા જણાવ્યું છે. અને તે પછી તે સર્વે બાદ તેઓને વળતરની ચુકવણી કરવા માંગણી કરી છે. એટલું જ નહીં તેઓને મિલ્કત વેરા તેમજ યુટીલીટી ચાર્જમાંથી મુક્તિ આપવા પણ પાલિકા કમિશનરને પત્ર લખીને માંગણી કરી છે.
કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જણાવ્યું છે કે લોકડાઉં અને કોરોના લહેરના કારણે ધંધાર્થીઓ અને દુકાનદારોની અર્થી પરિસ્થિતિ કફોડી બની છે. તેવામાં હવે મેટ્રો માટે રસ્તાઓ બંધ થતા આ દુકાનદારોની રોજી રોટી છીનવાઈ તેવી પરિસ્થિતિ આવીને ઉભી થઇ છે.
તેવામાં તેઓએ શહેરના વિકાસ કામોને લીધે કોઈ પરિવારની આજીવિકા પર તરાપ મરાતી હોય તો આવા દુકાનદારોનો સર્વે કરીને તેમને વિષે વળતર જાહેર કરવા અને પાલિકાના મિલ્કત વેરા તેમજ યુટીલીટી ચાર્જમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.