GPCB દ્વારા લોકસુનવણીનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્થાનિકોએ વિરોધ કર્યો, વિરોધ વકરતા મામલો હિંસક બન્યો
વિરોધની સંભાવના જોતા પહેલાથી જ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો પણ તેમ છતાં તોફાની ટોળાને કાબુમાં કરી શકવુ પોલીસ માટે મુશ્કેલ બન્યું
WatchGujarat. સુરતના તાપી જિલ્લામાં આજે ડોસાવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુસ્તાન ઝીંક કંપની દ્વારા અહીં પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આજે યોજાયેલ લોકસુનાવણીમાં આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી.
https://youtu.be/Y23FrdAkhS8
વિરોધ જોતજોતામાં હિંસક બની ગયો હતો અંર આદિવાસી પ્રજા દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસની ગાડીઓને પણ તોડફોડ કરીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ટોળાને કાબુમાં કરવાં માટે ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. છતાં પણ ટોળું કાબુમાં ન રહેતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વિરોધની સંભાવના જોતા પહેલાથી જ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો પણ તેમ છતાં તોફાની ટોળાને કાબુમાં કરી શકવુ પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું.
તાપીમાં હિન્દુસ્તાન ઝીંક કંપની મામલે આદિવાસી પ્રજા દ્વારા આ સુનાવણી મોકૂફ કરવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ મામલાએ ઉગ્ર રૂપ ધારણ કરતા થોડા સમય માટે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આદિવાસી સમાજનું કહેવું છે કે આ જિલ્લો પ્રદૂષણમુક્ત રહ્યો છે. અને આ પ્લાન્ટ અહીં આવવાથી પર્યાવરણને મોટું નુકસાન પહોંચશે. જેથી આ પ્લાન્ટ ઉભો કરવા સામે તેઓનો વિરોધ છે. આદિવાસીઓની માંગણી ન સ્વીકારાતા તેઓ હિંસક પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા.
વિરોધમાં લોકોના ટોળે ટોળા ઉતરી આવતા કોરોનાની તમામ ગાઈડલાઈન ભુલાઈ હતી. કોરોનાના કેસો જેમ તેમ કાબુમાં આવ્યા છે. ત્યાં લોકો વિરોધ માટે મોટી સંખ્યામાં ભેગા થતા સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ થયો હતો. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આદિવાસી સમાજના વિરોધને જોતા હાલ લોકસુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.
GPCB દ્વારા લોકસુનવણીનું આયોજન કરવામાં આવ્યું હતું
વિરોધની સંભાવના જોતા પહેલાથી જ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો પણ તેમ છતાં તોફાની ટોળાને કાબુમાં કરી શકવુ પોલીસ માટે મુશ્કેલ બન્યું
WatchGujarat. સુરતના તાપી જિલ્લામાં આજે ડોસાવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુસ્તાન ઝીંક કંપની દ્વારા અહીં પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આજે યોજાયેલ લોકસુનાવણીમાં આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી.
વિરોધ જોતજોતામાં હિંસક બની ગયો હતો અંર આદિવાસી પ્રજા દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસની ગાડીઓને પણ તોડફોડ કરીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ટોળાને કાબુમાં કરવાં માટે ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. છતાં પણ ટોળું કાબુમાં ન રહેતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વિરોધની સંભાવના જોતા પહેલાથી જ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો પણ તેમ છતાં તોફાની ટોળાને કાબુમાં કરી શકવુ પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું.
તાપીમાં હિન્દુસ્તાન ઝીંક કંપની મામલે આદિવાસી પ્રજા દ્વારા આ સુનાવણી મોકૂફ કરવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ મામલાએ ઉગ્ર રૂપ ધારણ કરતા થોડા સમય માટે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આદિવાસી સમાજનું કહેવું છે કે આ જિલ્લો પ્રદૂષણમુક્ત રહ્યો છે. અને આ પ્લાન્ટ અહીં આવવાથી પર્યાવરણને મોટું નુકસાન પહોંચશે. જેથી આ પ્લાન્ટ ઉભો કરવા સામે તેઓનો વિરોધ છે. આદિવાસીઓની માંગણી ન સ્વીકારાતા તેઓ હિંસક પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા.
વિરોધમાં લોકોના ટોળે ટોળા ઉતરી આવતા કોરોનાની તમામ ગાઈડલાઈન ભુલાઈ હતી. કોરોનાના કેસો જેમ તેમ કાબુમાં આવ્યા છે. ત્યાં લોકો વિરોધ માટે મોટી સંખ્યામાં ભેગા થતા સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ થયો હતો. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આદિવાસી સમાજના વિરોધને જોતા હાલ લોકસુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.