26 વર્ષી જીગીશા પટેલ મૂળ મહુવાના કરચેલીયા ગામની રહેવાસી
જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ તરીકે હોસ્પિટલના ગાયનેક વિભાગમાં કામ કરતી
દિકરીનો મૃતદેહ જોઇ માતાનુ હૈયાફાટ રૂદન, આપઘાતનુ કારણ હજી અકબંધ
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ઇન્ટર્ન તબીબ ચૌધરી અમરીતકુમારે યુ.જી હોસ્ટેલની રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો
હોસ્ટેલના રૂમ નં-801માંથી દુર્ગંઘ આવતા મિત્રોએ દરવાજો તોડી જોતા અમરીતકુમાર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
[caption id="attachment_1417997" align="aligncenter" width="1280"] Surat, Smimer Hospital Resident Doctor Jigisha Patel End life[/caption]
WatchGujarat. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેણીએ આપઘાત કેમ કર્યો તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. તો બીજી તરફ પરિવારે મૃતદેહ પાસે હૈયાફાટ રુદન કર્યું હતું આપઘાત કરનાર રેસીડેન્ટ તબીબે ઈન્જેકશનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતો ચૌધરી અમરીતકુમારે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ કિસ્સામાં પણ ઇન્ટર્ન તબીબે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. આમ ગુજરાતના બે જુદા જુદા શહેરોમાં ઇન્ટર્ન તબીબોએ આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી છે.
[caption id="attachment_1417996" align="aligncenter" width="1280"] Surat, Smimer Hospital Resident Doctor Jigisha Patel End life[/caption]
સુરતમાં એક મહિલા રેસીડેન્ટ તબીબના આપઘાતથી ચકચાર મચી છે. મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. તે પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી. આજે તેણીએ ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કરી લીધો હતો. તેણીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. જો કે તેણીના આપઘાતનું કારણ હાલ જાણી શકાયું નથી.
[caption id="attachment_1417995" align="aligncenter" width="1280"] Surat, Smimer Hospital Resident Doctor Jigisha Patel End life[/caption]
મળતી માહિતી મુજબ મહિલા રેસીડેન્ટ તબીબના માતા પિતા શિક્ષક છે અને તેને બહેનો છે. ગતરોજ પરિવાર સાથે ટેલીફોન પર વાત પણ કરી હતી. અને સવારમાં તેણીની માતાને ફાળ પડી હતી જેથી તે સ્મીમેર કવાર્ટસમાં પહોચી હતી, જ્યાં તેણીની દીકરી મૃત હાલતમાં મળી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા. તેઓએ ત્યાં જ હૈયાફાટ રુદન કર્યું હતું. અને રડતા રડતા કહ્યું હતું કે મેં મારો ઝળહળતો સીતારો ગુમાવી દીધો છે. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના સભ્યો પાસેથી જાણવા મળ્યું હતું કે મૃતક જીગીશા તેણીના પિતાને બધી જ વાત કરતી હતી. આ બનાવની આગલી રાતે પણ તેણે પરિવાર સાથે વાત કરી હતી. અને ત્યારબાદ તેણીએ ફોન સ્વીચઓફ કરી આ પગલું ભરી લીધું હતું.
26 વર્ષી જીગીશા પટેલ મૂળ મહુવાના કરચેલીયા ગામની રહેવાસી
જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ તરીકે હોસ્પિટલના ગાયનેક વિભાગમાં કામ કરતી
દિકરીનો મૃતદેહ જોઇ માતાનુ હૈયાફાટ રૂદન, આપઘાતનુ કારણ હજી અકબંધ
હોસ્ટેલના રૂમ નં-801માંથી દુર્ગંઘ આવતા મિત્રોએ દરવાજો તોડી જોતા અમરીતકુમાર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
[caption id="attachment_1417997" align="aligncenter" width="1280"] Surat, Smimer Hospital Resident Doctor Jigisha Patel End life[/caption]
WatchGujarat. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેણીએ આપઘાત કેમ કર્યો તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. તો બીજી તરફ પરિવારે મૃતદેહ પાસે હૈયાફાટ રુદન કર્યું હતું આપઘાત કરનાર રેસીડેન્ટ તબીબે ઈન્જેકશનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતો ચૌધરી અમરીતકુમારે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ કિસ્સામાં પણ ઇન્ટર્ન તબીબે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. આમ ગુજરાતના બે જુદા જુદા શહેરોમાં ઇન્ટર્ન તબીબોએ આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી છે.
[caption id="attachment_1417996" align="aligncenter" width="1280"] Surat, Smimer Hospital Resident Doctor Jigisha Patel End life[/caption]
સુરતમાં એક મહિલા રેસીડેન્ટ તબીબના આપઘાતથી ચકચાર મચી છે. મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. તે પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી. આજે તેણીએ ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કરી લીધો હતો. તેણીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. જો કે તેણીના આપઘાતનું કારણ હાલ જાણી શકાયું નથી.
[caption id="attachment_1417995" align="aligncenter" width="1280"] Surat, Smimer Hospital Resident Doctor Jigisha Patel End life[/caption]
મળતી માહિતી મુજબ મહિલા રેસીડેન્ટ તબીબના માતા પિતા શિક્ષક છે અને તેને બહેનો છે. ગતરોજ પરિવાર સાથે ટેલીફોન પર વાત પણ કરી હતી. અને સવારમાં તેણીની માતાને ફાળ પડી હતી જેથી તે સ્મીમેર કવાર્ટસમાં પહોચી હતી, જ્યાં તેણીની દીકરી મૃત હાલતમાં મળી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા. તેઓએ ત્યાં જ હૈયાફાટ રુદન કર્યું હતું. અને રડતા રડતા કહ્યું હતું કે મેં મારો ઝળહળતો સીતારો ગુમાવી દીધો છે. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના સભ્યો પાસેથી જાણવા મળ્યું હતું કે મૃતક જીગીશા તેણીના પિતાને બધી જ વાત કરતી હતી. આ બનાવની આગલી રાતે પણ તેણે પરિવાર સાથે વાત કરી હતી. અને ત્યારબાદ તેણીએ ફોન સ્વીચઓફ કરી આ પગલું ભરી લીધું હતું.