કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 20 જેટલા કાર્યકર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આજે સાંજે 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે, તેમજ અનેક મોટા નેતાઓ પણ રાજીનામું આપી શકે છે. : દિનેશ કાછડીયા
WatchGujarat સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં 120 બેઠકમાંથી કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી નથી. રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચેની ખાઈ વધુ મોટી થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 20 જેટલા કાર્યકર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. દરમિયાન બીજી તરફ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ કાછડીયા એ આજે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અને AAPમાં જોડાયા છે.
કાછડીયા કોર્પોરેટર હોવાની સાથે પ્રદેશના મંત્રી પણ છે. ચૂંટણી પરિણામ બાદ અચાનક કાછડીયાએ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. દિનેશ કાછડીયા રાજકીય સંન્યાસ લેશે કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, આજે સાંજે તેમની સાથે 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. આ ઉપરાંત અનેક મોટા નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.
કોંગ્રેસ અને પાસ વચ્ચે થયેલુ ઘર્ષણ સૌથી મોટું નુકશાન સાબિત થયું હોવાની આંશકા
મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટોની વહેંચણીમાં કોંગ્રેસના નેતાઓએ કરેલી ભાગબતાઈને કારણે કોંગ્રેસ અને પાંસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસે પાસના કાર્યકરોની ટીકીટ કાપતા પાટીદારોએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને આમ આદમી પાર્ટીને સાથ આપ્યો હતો. જેના કારણે 2015માં કોંગ્રેસનો ગઢ બનેલી પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી. આટલું જ નહીં પરંતુ કોંગ્રેસ વિરોધી આક્રમક મતદાનને કારણે કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ છે. કાછડીયાનાં રાજીનામા બાદ સુરતના અન્ય કોંગ્રેસના નેતાઓ પણ રાજીનામું આપે તો કોંગ્રેસને મોટું નુકસાન છે.
કાછડિયાએ પત્રમાં શું લખ્યું?
દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી એતિહાસિક કોંગ્રેસ પાર્ટીએ મારા રાજનીતિક જીવનને ઘણું બધું આપ્યું છે. પાંચ વખત અલગ અલગ સ્તરે ચૂંટણી લડવાનો મને અમૂલ્ય અવસર આપ્યો, સાથે સંગઠનમાં વિવિધ પદ આપીને કામ કરવાનો મોકો આપ્યો. કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લી ચૂંટણી લડ્યા પછી મને મળેલી હારના પરિણામો જોઈને દિલથી એવું લાગ્યું કે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને જે તકો આપી તેના પ્રમાણમાં મારી કંઈક કચાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં હું પરત આપી શક્યો નથી. આથી હું કોંગ્રેસના તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું જાહેર કરું છું. કાછડિયાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પત્ર લખી આ અંગેની જાણ કરી છે.
AAP પાર્ટી દ્વારા 27 સીટો પર વિજય મેળવ્યા બાદ દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં એક ભવ્ય રોડ શો યોજી લોકોનું અભિવાદન કર્યું હતું. રોડ શો ની સાથે સાથે અરવિંદ કેજરીવાલે વરાછા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આરકેટ પાસે એક જાહેર સભા પણ યોજી હતી.અરવિંદ કેજરીવાલે પોતાના અભિવાદન ભાષણમાં કહ્યું હતું કે, અમને સારા અને પાક સાફ નેતાઓની જરૂર છે.
ભાજપ અને કોંગ્રેસમાંથી કોઈપણ સારા અને ઈમાનદાર નેતા અમારી સાથે જોડાવા માગતા હોય તો અમારા પાર્ટી ના દરવાજા એવા નેતાઓ માટે કાયમ જ ખુલ્લા છે. દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ તમામ પદ પરથી રાજીનામુ આપ્યું બાદ આમ આદમી પાર્ટી માં જોડાયા છે.
કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 20 જેટલા કાર્યકર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આજે સાંજે 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે, તેમજ અનેક મોટા નેતાઓ પણ રાજીનામું આપી શકે છે. : દિનેશ કાછડીયા
WatchGujarat સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં 120 બેઠકમાંથી કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી નથી. રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચેની ખાઈ વધુ મોટી થઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 20 જેટલા કાર્યકર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. દરમિયાન બીજી તરફ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ કાછડીયા એ આજે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અને AAPમાં જોડાયા છે.
કાછડીયા કોર્પોરેટર હોવાની સાથે પ્રદેશના મંત્રી પણ છે. ચૂંટણી પરિણામ બાદ અચાનક કાછડીયાએ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. દિનેશ કાછડીયા રાજકીય સંન્યાસ લેશે કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, આજે સાંજે તેમની સાથે 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. આ ઉપરાંત અનેક મોટા નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.
કોંગ્રેસ અને પાસ વચ્ચે થયેલુ ઘર્ષણ સૌથી મોટું નુકશાન સાબિત થયું હોવાની આંશકા
મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટોની વહેંચણીમાં કોંગ્રેસના નેતાઓએ કરેલી ભાગબતાઈને કારણે કોંગ્રેસ અને પાંસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસે પાસના કાર્યકરોની ટીકીટ કાપતા પાટીદારોએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને આમ આદમી પાર્ટીને સાથ આપ્યો હતો. જેના કારણે 2015માં કોંગ્રેસનો ગઢ બનેલી પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી. આટલું જ નહીં પરંતુ કોંગ્રેસ વિરોધી આક્રમક મતદાનને કારણે કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ છે. કાછડીયાનાં રાજીનામા બાદ સુરતના અન્ય કોંગ્રેસના નેતાઓ પણ રાજીનામું આપે તો કોંગ્રેસને મોટું નુકસાન છે.
કાછડિયાએ પત્રમાં શું લખ્યું?
દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી એતિહાસિક કોંગ્રેસ પાર્ટીએ મારા રાજનીતિક જીવનને ઘણું બધું આપ્યું છે. પાંચ વખત અલગ અલગ સ્તરે ચૂંટણી લડવાનો મને અમૂલ્ય અવસર આપ્યો, સાથે સંગઠનમાં વિવિધ પદ આપીને કામ કરવાનો મોકો આપ્યો. કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લી ચૂંટણી લડ્યા પછી મને મળેલી હારના પરિણામો જોઈને દિલથી એવું લાગ્યું કે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને જે તકો આપી તેના પ્રમાણમાં મારી કંઈક કચાસ રહી ગઈ અને પાર્ટીને તેના પ્રમાણમાં હું પરત આપી શક્યો નથી. આથી હું કોંગ્રેસના તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું જાહેર કરું છું. કાછડિયાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પત્ર લખી આ અંગેની જાણ કરી છે.
AAP પાર્ટી દ્વારા 27 સીટો પર વિજય મેળવ્યા બાદ દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં એક ભવ્ય રોડ શો યોજી લોકોનું અભિવાદન કર્યું હતું. રોડ શો ની સાથે સાથે અરવિંદ કેજરીવાલે વરાછા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આરકેટ પાસે એક જાહેર સભા પણ યોજી હતી.અરવિંદ કેજરીવાલે પોતાના અભિવાદન ભાષણમાં કહ્યું હતું કે, અમને સારા અને પાક સાફ નેતાઓની જરૂર છે.
ભાજપ અને કોંગ્રેસમાંથી કોઈપણ સારા અને ઈમાનદાર નેતા અમારી સાથે જોડાવા માગતા હોય તો અમારા પાર્ટી ના દરવાજા એવા નેતાઓ માટે કાયમ જ ખુલ્લા છે. દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ તમામ પદ પરથી રાજીનામુ આપ્યું બાદ આમ આદમી પાર્ટી માં જોડાયા છે.