સહારા દરવાજા અને સરથાણાના વ્રજચોકમાં સુમુલ તેમજ અન્ય બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતા કારખાના પર પોલીસે છાપો માર્યો
નકલી ઘી, રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ 19 લાખના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
WatchGujarat સુરત શહેરમાંથી ફરી એક વખત નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. સહારા દરવાજા અને સરથાણાના વ્રજચોકમાં સુમુલ તેમજ અન્ય બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતા કારખાના પર પોલીસે છાપો માર્યો હતો. કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નકલી ઘી, રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક આરોપીને વાન્ટેડ બતાવ્યો છે.
પુણા પોલીસે રવિવારે સહારા દરવાજાથી પરવત પાટીયા ઉપર આવેલા અવધ ટેક્ષટાઇલ માર્કેટની સામે મીની વાનમાંથી બે યુવાન રત્નકલાકાર હરેશભાઇ જાદવભાઈ બોદરા અને વેપારી અલ્પેશ મનસુખભાઈ આસોદરીયાને રૂ.1.50 લાખની કિંમતના સુમુલના ઘી ના 300 પાઉચ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંને પાસેથી રોકડા રૂ.74 હજાર અને રૂ.1 લાખની કિંમતની મીની વાન સહિત કુલ રૂ.3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે પોલીસે સુમુલ ઘી ના પાઉચની ખરાઈ કરવા સુમુલ ડેરીમાં મોકલતા તે ડુપ્લીકેટ હોવાનું પુરવાર થયું હતું.
સુમુલ ડેરી દ્વારા ઘીના પાઉચ ડુપ્લીકેટ હોવાનું પુરવાર કર્યાબાદ પુણા પોલીસે શહેરમાં ક્યાં ક્યાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થઇ રહ્યું છે. તેની તપાસ હાથ ધરી હતી. તેમજ ડુપ્લીકેટ ઘીના વેચાણ માં સંડોવાયેલા અલ્પેશ આસોદરીયાની પુછપરછના આધારે સુમુલ ડેરીના માર્કેટીંગ વિભાગના આસીસ્ટન્ટ જનરલ મેનેજર મનિષભાઈ ભટ્ટને સાથે રાખી વ્રજચોક સર્કલ પાસે ક્રિષ્નાનગર સોસાયટી દુકાન નં.104 માં છાપો માર્યો હતો.દરમિયાન પોલીસને દુકાનમાંથી અને તેની પાછળના ભાગે આવેલા ગોડાઉન તેમજ વ્રજચોક નજીકની ત્રિમૂર્તિ સુરતી બજારમાં આવેલી પતરાવાળી દુકાન નં.229 માંથી સુમુલ ઉપરાંત અન્ય બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું-ગોડાઉન મળી ઝડપી પાડ્યું હતું.
પોલીસના છાપામાં રૂ.12,31 લાખની કિંમતનું પાઉચ પેક કરવાનું પેડલ મશીન અને પ્લાસ્ટીકના ડબ્બામાં પેક કરેલું અલગ અલગ બ્રાન્ડનું રૂ.2,04 લાખની કિંમતનું 1891 લિટર ડુપ્લીકેટ ઘી, 1725 લિટર વનસ્પતિ ઘી અને તેલ, રોકડા રૂ.74 હજાર, મીની વાન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.18.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે દુકાનમાંથી નિલેશ મગનભાઈ સાવલીયા, નૃપેશ ઉર્ફે નિકુંજ હરસુખભાઈ સાવલીયા અને પરેશ માવજીભાઈ સાવલીયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે તમામની પુછપરછ હાથ ધરતા તમામ આરોપીઓ મિત્રો હોવાથી ડુપ્લીકેટ ઘી બનાવવા માટેનો સામાન તેમનો એક મિત્ર રવિશ ઉર્ફે રવિ છગનભાઈ પટોળીયા લાવી આપતો હતો.ત્યારબાદ નિલેશ, નૃપેશ અને પરેશ ડુપ્લીકેટ ઘી બનાવતો હતો. ઘી બની ગયા બાદ હરેશ અને અલ્પેશ બજારમાં છૂટક વેચાણ કરતા હતા. પુણા પોલીસે મનિષભાઈ ભટ્ટની ફરિયાદના આધારે આ અંગે ગુનો નોંધી રવિશને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ રાંદેર વિસ્તારમાંથી પણ નકલી ઘી ઝડપાયું હતું
પીસીબીએ 20 દિવસ અગાઉ પાલનપોર પાટીયા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં છેલ્લા એક વર્ષથી ધમધમતા ડુપ્લીકેટ ઘી-તેલના કારખાના ઉપર છાપો મારી 358.5 કિલો ડુપ્લીકેટ ઘી અને ભેળસેળ કરવાની સામગ્રી સહિત રૂ.3.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીએ કારખાનામાંથી ઝડપાયેલા જનક વિનોદભાઈ ભજીયાવાલા અને સંજીવભાઈ વામનરાવ નાદકરણીની પુછપરછના આધારે નજીકની દિવા ટ્રેડર્સ નામની દુકાનમાં પણ છાપો મારી ડુપ્લીકેટ ઘી વેચતા દુકાનદાર જયેન્દ્ર ઉર્ફે જય પ્રભુભાઈ લાખાણીની ધરપકડ કરી ભેળસેળ માટે સાધન સામગ્રી સપ્લાય કરતા વરાછાના મંગલ મારવાડી અને શંકર મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સહારા દરવાજા અને સરથાણાના વ્રજચોકમાં સુમુલ તેમજ અન્ય બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતા કારખાના પર પોલીસે છાપો માર્યો
નકલી ઘી, રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ 19 લાખના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
WatchGujarat સુરત શહેરમાંથી ફરી એક વખત નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. સહારા દરવાજા અને સરથાણાના વ્રજચોકમાં સુમુલ તેમજ અન્ય બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતા કારખાના પર પોલીસે છાપો માર્યો હતો. કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નકલી ઘી, રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક આરોપીને વાન્ટેડ બતાવ્યો છે.
પુણા પોલીસે રવિવારે સહારા દરવાજાથી પરવત પાટીયા ઉપર આવેલા અવધ ટેક્ષટાઇલ માર્કેટની સામે મીની વાનમાંથી બે યુવાન રત્નકલાકાર હરેશભાઇ જાદવભાઈ બોદરા અને વેપારી અલ્પેશ મનસુખભાઈ આસોદરીયાને રૂ.1.50 લાખની કિંમતના સુમુલના ઘી ના 300 પાઉચ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બંને પાસેથી રોકડા રૂ.74 હજાર અને રૂ.1 લાખની કિંમતની મીની વાન સહિત કુલ રૂ.3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે પોલીસે સુમુલ ઘી ના પાઉચની ખરાઈ કરવા સુમુલ ડેરીમાં મોકલતા તે ડુપ્લીકેટ હોવાનું પુરવાર થયું હતું.
સુમુલ ડેરી દ્વારા ઘીના પાઉચ ડુપ્લીકેટ હોવાનું પુરવાર કર્યાબાદ પુણા પોલીસે શહેરમાં ક્યાં ક્યાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થઇ રહ્યું છે. તેની તપાસ હાથ ધરી હતી. તેમજ ડુપ્લીકેટ ઘીના વેચાણ માં સંડોવાયેલા અલ્પેશ આસોદરીયાની પુછપરછના આધારે સુમુલ ડેરીના માર્કેટીંગ વિભાગના આસીસ્ટન્ટ જનરલ મેનેજર મનિષભાઈ ભટ્ટને સાથે રાખી વ્રજચોક સર્કલ પાસે ક્રિષ્નાનગર સોસાયટી દુકાન નં.104 માં છાપો માર્યો હતો.દરમિયાન પોલીસને દુકાનમાંથી અને તેની પાછળના ભાગે આવેલા ગોડાઉન તેમજ વ્રજચોક નજીકની ત્રિમૂર્તિ સુરતી બજારમાં આવેલી પતરાવાળી દુકાન નં.229 માંથી સુમુલ ઉપરાંત અન્ય બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું-ગોડાઉન મળી ઝડપી પાડ્યું હતું.
પોલીસના છાપામાં રૂ.12,31 લાખની કિંમતનું પાઉચ પેક કરવાનું પેડલ મશીન અને પ્લાસ્ટીકના ડબ્બામાં પેક કરેલું અલગ અલગ બ્રાન્ડનું રૂ.2,04 લાખની કિંમતનું 1891 લિટર ડુપ્લીકેટ ઘી, 1725 લિટર વનસ્પતિ ઘી અને તેલ, રોકડા રૂ.74 હજાર, મીની વાન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.18.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે દુકાનમાંથી નિલેશ મગનભાઈ સાવલીયા, નૃપેશ ઉર્ફે નિકુંજ હરસુખભાઈ સાવલીયા અને પરેશ માવજીભાઈ સાવલીયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે તમામની પુછપરછ હાથ ધરતા તમામ આરોપીઓ મિત્રો હોવાથી ડુપ્લીકેટ ઘી બનાવવા માટેનો સામાન તેમનો એક મિત્ર રવિશ ઉર્ફે રવિ છગનભાઈ પટોળીયા લાવી આપતો હતો.ત્યારબાદ નિલેશ, નૃપેશ અને પરેશ ડુપ્લીકેટ ઘી બનાવતો હતો. ઘી બની ગયા બાદ હરેશ અને અલ્પેશ બજારમાં છૂટક વેચાણ કરતા હતા. પુણા પોલીસે મનિષભાઈ ભટ્ટની ફરિયાદના આધારે આ અંગે ગુનો નોંધી રવિશને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ રાંદેર વિસ્તારમાંથી પણ નકલી ઘી ઝડપાયું હતું
પીસીબીએ 20 દિવસ અગાઉ પાલનપોર પાટીયા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં છેલ્લા એક વર્ષથી ધમધમતા ડુપ્લીકેટ ઘી-તેલના કારખાના ઉપર છાપો મારી 358.5 કિલો ડુપ્લીકેટ ઘી અને ભેળસેળ કરવાની સામગ્રી સહિત રૂ.3.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીએ કારખાનામાંથી ઝડપાયેલા જનક વિનોદભાઈ ભજીયાવાલા અને સંજીવભાઈ વામનરાવ નાદકરણીની પુછપરછના આધારે નજીકની દિવા ટ્રેડર્સ નામની દુકાનમાં પણ છાપો મારી ડુપ્લીકેટ ઘી વેચતા દુકાનદાર જયેન્દ્ર ઉર્ફે જય પ્રભુભાઈ લાખાણીની ધરપકડ કરી ભેળસેળ માટે સાધન સામગ્રી સપ્લાય કરતા વરાછાના મંગલ મારવાડી અને શંકર મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા હતા.