વિદ્યાર્થીને મૃત જાહેર કરતા હોસ્પિટલમાંથી રિક્ષા ચાલક ભાગી ગયો
અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ પતો લાગ્યો નથી
WatchGujarat શહેરના સચિન વિસ્તારમાં રહેતા ધો.5ના વિદ્યાર્થીનું રહસ્મય સંજોગોમાં મોત નીપજ્યું છે. સચિન ગભેણી વચ્ચે રિક્ષામાં મુસાફરી કરી રહેલો ધોરણ-5 ના વિદ્યાર્થી ઘરેથી રિક્ષામાં બેસી સામાન લેવા નીકળ્યો હતો. 10 મિનિટમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીને ઘરે મૂકી ભાગી ગયો હતો. જો કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. તો બીજી તરફ શુક્રવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનું ઘેરાતું રહસ્ય જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના સચિન વિસ્તારમાં રહેતા જય નારાયણ મોર્યાએ જણાવ્યું હતું કે તેઓ બે દીકરી અને બે દીકરાના પિતા છે. મિલમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. શુક્રવારની સાંજે તેઓ ગાર્ડનમાં ગયા હતા. અને ત્યાંથી એક રીક્ષામાં બેસી ઘરે પરત આવ્યા હતા. ત્યારે મારી દીકરી અને દીકરો બજારમાં શાકભાજી લેવા ગયા હતા. ત્યારબાદ પરત આવ્યા પછી બહેન પાસે10 રૂપિયા લઈ ભાઈ સુરજ સામાન લેવા જાઉં છું કહી કહી ઘરની બહાર હતો. ત્યારે એક રીક્ષા ચાલકે તને ગભેણી ફેરવીને લાવું છું તેમ કહ્યું હતું.
જેથી સુરજ તેની સાથે રીક્ષામાં બેસી ગયો હતો. ઘરેથી ગયાના 10 મિનિટ બાદ જ રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સુરજને ઘરે લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે અકસ્માત થયું છે. જેથી ઘર વાળા ઈજાગ્રસ્ત હાલતમાં સુરજને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં હાજર તબીબોએ સુરજને મૃત જાહેર કર્યો હતો. જો કે રિક્ષાવાળાને પણ હાથમાં ગંભીર ઇજા જોઈ ડોક્ટરોએ સારવારની વાત કરતા રિક્ષા ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સુરજ ધો. ૫ માં અભ્યાસ કરતો હતો. આ ઘટનાને લઈને તેના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી, ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ પતો લાગ્યો નથી. ચોક્કસ ઘટના સ્થળ મળ્યું નથી. હાલ તપાસ ચાલે છે. અપરિચિત રીક્ષા ચાલકની ઓળખ થાય પછી જ અકસ્માતનું રહસ્ય જાણી શકાય છે.
વિદ્યાર્થીને મૃત જાહેર કરતા હોસ્પિટલમાંથી રિક્ષા ચાલક ભાગી ગયો
અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ પતો લાગ્યો નથી
WatchGujarat શહેરના સચિન વિસ્તારમાં રહેતા ધો.5ના વિદ્યાર્થીનું રહસ્મય સંજોગોમાં મોત નીપજ્યું છે. સચિન ગભેણી વચ્ચે રિક્ષામાં મુસાફરી કરી રહેલો ધોરણ-5 ના વિદ્યાર્થી ઘરેથી રિક્ષામાં બેસી સામાન લેવા નીકળ્યો હતો. 10 મિનિટમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીને ઘરે મૂકી ભાગી ગયો હતો. જો કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. તો બીજી તરફ શુક્રવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનું ઘેરાતું રહસ્ય જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના સચિન વિસ્તારમાં રહેતા જય નારાયણ મોર્યાએ જણાવ્યું હતું કે તેઓ બે દીકરી અને બે દીકરાના પિતા છે. મિલમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. શુક્રવારની સાંજે તેઓ ગાર્ડનમાં ગયા હતા. અને ત્યાંથી એક રીક્ષામાં બેસી ઘરે પરત આવ્યા હતા. ત્યારે મારી દીકરી અને દીકરો બજારમાં શાકભાજી લેવા ગયા હતા. ત્યારબાદ પરત આવ્યા પછી બહેન પાસે10 રૂપિયા લઈ ભાઈ સુરજ સામાન લેવા જાઉં છું કહી કહી ઘરની બહાર હતો. ત્યારે એક રીક્ષા ચાલકે તને ગભેણી ફેરવીને લાવું છું તેમ કહ્યું હતું.
જેથી સુરજ તેની સાથે રીક્ષામાં બેસી ગયો હતો. ઘરેથી ગયાના 10 મિનિટ બાદ જ રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સુરજને ઘરે લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે અકસ્માત થયું છે. જેથી ઘર વાળા ઈજાગ્રસ્ત હાલતમાં સુરજને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં હાજર તબીબોએ સુરજને મૃત જાહેર કર્યો હતો. જો કે રિક્ષાવાળાને પણ હાથમાં ગંભીર ઇજા જોઈ ડોક્ટરોએ સારવારની વાત કરતા રિક્ષા ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સુરજ ધો. ૫ માં અભ્યાસ કરતો હતો. આ ઘટનાને લઈને તેના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી, ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ પતો લાગ્યો નથી. ચોક્કસ ઘટના સ્થળ મળ્યું નથી. હાલ તપાસ ચાલે છે. અપરિચિત રીક્ષા ચાલકની ઓળખ થાય પછી જ અકસ્માતનું રહસ્ય જાણી શકાય છે.