સ્માર્ટ સીટી સુરતમાં દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે
વરાછા વિસ્તારમાં ધરમનગર રોડ પર માતાજીના મંદિરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોર ઘુસ્યા
બીજા દિવસે મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી
[caption id="attachment_1224764" align="aligncenter" width="1280"] Gujarat, Smart City Surat Theft in Temple[/caption]
Watchgujarat. સ્માર્ટ સીટી સુરતમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સુરતમાં હવે તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ઘટના વરાછા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે જેમાં બે ઈસમો માતાજીના મંદિરમાં દર્શન કર્યા બાદ ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
મંદિરમાં બે ઈસમોએ કરી ચોરી
સુરતમાં દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે ભગવાનના મંદિરમાં પણ તેઓ હાથ ફેરો કરી રહ્યા છે. તસ્કરો આવી રીતે ચોરી કરીને જાણે પોલીસને પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર રોડ પર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં કફર્યુના સમયમાં બે ઈસમો ત્યાં આવે છે અને બાદમાં દર્શન કર્યા બાદ માતાજીના મંદિરમાં ચોરી કરે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે,
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે ઈસમો ત્યાં આવે છે એક ઇસમ પહેલા માતાજીને પગે લાગે છે અને બાદમાં ત્યાં ચોરી કરે છે જયારે બીજો ઇસમ ત્યાં એક કોથળો લઈને આવે છે અને ચોરી કરેલો તમામ સમાન કોથળામાં ભરે છે. બીજા દિવસે મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસની પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે મંદિરમાં ચોરી કરવા માટે આવેલા બે ઈસમો રાત્રી કફર્યુના સમયમાં આવ્યા હતા. અને મંદિર જાહેર રોડ પર આવેલું છે અહી પોલીસનું સતત પેટ્રોલિંગ પણ રહે છે. પરંતુ આ બધા વચ્ચે તસ્કરોએ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેથી પોલીસની પેટ્રોલિંગની પોલ પણ ઉઘાડી પડી ગયી છે.
સ્માર્ટ સીટી સુરતમાં દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે
વરાછા વિસ્તારમાં ધરમનગર રોડ પર માતાજીના મંદિરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોર ઘુસ્યા
બીજા દિવસે મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી
[caption id="attachment_1224764" align="aligncenter" width="1280"] Gujarat, Smart City Surat Theft in Temple[/caption]
Watchgujarat. સ્માર્ટ સીટી સુરતમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સુરતમાં હવે તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ઘટના વરાછા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે જેમાં બે ઈસમો માતાજીના મંદિરમાં દર્શન કર્યા બાદ ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
મંદિરમાં બે ઈસમોએ કરી ચોરી
સુરતમાં દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે ભગવાનના મંદિરમાં પણ તેઓ હાથ ફેરો કરી રહ્યા છે. તસ્કરો આવી રીતે ચોરી કરીને જાણે પોલીસને પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર રોડ પર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં કફર્યુના સમયમાં બે ઈસમો ત્યાં આવે છે અને બાદમાં દર્શન કર્યા બાદ માતાજીના મંદિરમાં ચોરી કરે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે,
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે ઈસમો ત્યાં આવે છે એક ઇસમ પહેલા માતાજીને પગે લાગે છે અને બાદમાં ત્યાં ચોરી કરે છે જયારે બીજો ઇસમ ત્યાં એક કોથળો લઈને આવે છે અને ચોરી કરેલો તમામ સમાન કોથળામાં ભરે છે. બીજા દિવસે મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસની પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે મંદિરમાં ચોરી કરવા માટે આવેલા બે ઈસમો રાત્રી કફર્યુના સમયમાં આવ્યા હતા. અને મંદિર જાહેર રોડ પર આવેલું છે અહી પોલીસનું સતત પેટ્રોલિંગ પણ રહે છે. પરંતુ આ બધા વચ્ચે તસ્કરોએ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેથી પોલીસની પેટ્રોલિંગની પોલ પણ ઉઘાડી પડી ગયી છે.