દંપત્તિ મોડી રાત્રે અચાનક આગ લાગેલી હાલતમાં દોડતા વિસ્તારમાં ચીસો સંળળાઇ
સદ્ભાગ્યે વિસ્તારના લોકોએ પ્રયાસો કરતા જીવ બચાવી શકાયો
બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે અંગે કોઈ ફોડ પડ્યો નહીં હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઇ
WatchGujarat. સુરતના સલાબતપુરા વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આઘેડ સળગતી હાલતમાં ઘરની બહાર આવે છે. અને બાદમાં તેની પાછળ તેની પત્ની પણ દોડી આવે છે. અને પતિને ધાબળો ઓઢાડી જીવ બચાવી લે છે. જો કે આધેડ શરીર પર આગ કેવી રીતે લાગી તે બહાર આવી શક્યું નથી.
https://twitter.com/watchgujarat/status/1367784550856749058?s=21
સુરતના સલાબતપુરા સ્થિત સૈયદપુરા વિસ્તારમાં 45 વર્ષીય ગણેશ ચૌહાણ બુધવારે રાત્રે પત્ની રફિયા (ઉ.વ.34) અને પુત્રી તથા પુત્ર સાથે ઘરમાં સુઇ ગયો હતો. દરમિયાન દોઢેક વાગ્યાના સુમારે પતિ ભેદી રીતે સળગી ગયો હતો. જેને પગલે ઘરની બહાર દોડી આવેલા પતિને આગમાંથી મુક્ત કરાવવા પત્ની કામે લાગી હતી. અને તેઓ પણ દઝાયા હતા. દાઝી ગયેલી હાલતમાં બંને લોકોએ 108-એબ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે અંગે કોઈ ફોડ પડ્યો નહીં હોવાથી પોલીસ પણ મૂંઝવણ અનુભવી રહી છે
અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો
ગણેશ ચૌહાણે જણાવ્યું હતું કે, હું તો સૂતો હતો. અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો હતો. લોકોએ અને મારી પત્નીએ મને બચાવ્યો, છેલ્લા કેટલાક સમયથી મારી સાળી જબરજસ્તી તેના પતિ સાથે મારા ઘરમાં રહે છે અને કહે છે ગમે તે થઈ જાય તમને ઘરમાંથી બહાર કાઢી ને જ રહીશ. આ વાત ગયા શુક્રવારની છે અને 5 દિવસમાં જ આ ઘટના બની છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી જ આશા રાખીએ છીએ. લાલગેટ પોલીસે ગણેશ ચૌધરીનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે. અને ગણેશની સાળી તથા તેના પતિનું નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે.
સદ્ભાગ્યે વિસ્તારના લોકોએ પ્રયાસો કરતા જીવ બચાવી શકાયો
બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે અંગે કોઈ ફોડ પડ્યો નહીં હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઇ
WatchGujarat. સુરતના સલાબતપુરા વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આઘેડ સળગતી હાલતમાં ઘરની બહાર આવે છે. અને બાદમાં તેની પાછળ તેની પત્ની પણ દોડી આવે છે. અને પતિને ધાબળો ઓઢાડી જીવ બચાવી લે છે. જો કે આધેડ શરીર પર આગ કેવી રીતે લાગી તે બહાર આવી શક્યું નથી.
સુરતના સલાબતપુરા સ્થિત સૈયદપુરા વિસ્તારમાં 45 વર્ષીય ગણેશ ચૌહાણ બુધવારે રાત્રે પત્ની રફિયા (ઉ.વ.34) અને પુત્રી તથા પુત્ર સાથે ઘરમાં સુઇ ગયો હતો. દરમિયાન દોઢેક વાગ્યાના સુમારે પતિ ભેદી રીતે સળગી ગયો હતો. જેને પગલે ઘરની બહાર દોડી આવેલા પતિને આગમાંથી મુક્ત કરાવવા પત્ની કામે લાગી હતી. અને તેઓ પણ દઝાયા હતા. દાઝી ગયેલી હાલતમાં બંને લોકોએ 108-એબ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે અંગે કોઈ ફોડ પડ્યો નહીં હોવાથી પોલીસ પણ મૂંઝવણ અનુભવી રહી છે
અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો
ગણેશ ચૌહાણે જણાવ્યું હતું કે, હું તો સૂતો હતો. અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો હતો. લોકોએ અને મારી પત્નીએ મને બચાવ્યો, છેલ્લા કેટલાક સમયથી મારી સાળી જબરજસ્તી તેના પતિ સાથે મારા ઘરમાં રહે છે અને કહે છે ગમે તે થઈ જાય તમને ઘરમાંથી બહાર કાઢી ને જ રહીશ. આ વાત ગયા શુક્રવારની છે અને 5 દિવસમાં જ આ ઘટના બની છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી જ આશા રાખીએ છીએ. લાલગેટ પોલીસે ગણેશ ચૌધરીનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે. અને ગણેશની સાળી તથા તેના પતિનું નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે.