સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે
અહીંથી ધન્વતરીરથ, સજીવની રથ અને ક્યાં વિસ્તારમાં કેટલા કેસો આવે છે અને કારણ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવશે
સુરતમાં હાલમાં 257 જેટલા ધન્વતરી રથ અને 250 જેટલા સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે
WatchGujarat. સુરતમાં કોરોનાના સંક્મ્રણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરુ કરવામાં આવ્યા છે. આ વોર રૂમ થકી ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. મનપા કમિશનરે આ વોર રૂમની મુલાકાત લઈને થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો છે.
સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત સંક્મ્રણ પણ વધી રહ્યું હતું. જેને લઈને સંક્મ્રણને કાબુમાં લેવા મનપા દ્વારા એક નવી રીતે અપનાવીને વોર રૂમ શરુ કરવામાં આવ્યો છે. સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત છે. જેની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી. અને આ વોર રૂમ થકી થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મનપા કમિશનરે જણાવ્યું હતું કે આ વોર રૂમ થકી ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત અહીંથી ધન્વતરીરથ, સજીવની રથ અને ક્યાં વિસ્તારમાં કેટલા કેસો આવે છે અને કારણ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવે છે. અને ત્યાં ટેસ્ટીંગ સધન કરવામાં આવે છે. આ ઉપરાંત કોમ્બિંગ સહીતની કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે.
શહેરમાં યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે
મનપા કમિશનરે જણાવ્યું હતું કે ધીમે ધીમે કોરોનાનું સંક્મ્રણ ઘટી રહ્યું છે. પરંતુ લોકોને એટલી જ તકેદારી રાખવી પણ જરૂરી છે. હાલમાં ઓક્સીજનની જરૂરીયાત ઘટી છે. પહેલા 104 માં 260 જેટલા કોલ આવતા હતા તે ઘટીને 60 થયા છે. સુરતમાં હાલમાં 257 જેટલા ધન્વતરી રથ કાર્યરત છે જયારે 250 જેટલા સંજીવની રથ કાર્યરત છે.
દરરોજ 30 હજાર ટેસ્ટીંગ
મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 25 ટકા ઓક્સીજન બેડ ઓક્યુંપાઈડ છે. અને 75 ટકા બેડ ખાલી છે. શહેરમાં 43 ટકા બેડ ઓક્યુપન્સી છે. 47 ટકા બેડ ખાલી છે. આ ઉપરાંત દરરોજ 30 હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે
અહીંથી ધન્વતરીરથ, સજીવની રથ અને ક્યાં વિસ્તારમાં કેટલા કેસો આવે છે અને કારણ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવશે
સુરતમાં હાલમાં 257 જેટલા ધન્વતરી રથ અને 250 જેટલા સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે
WatchGujarat. સુરતમાં કોરોનાના સંક્મ્રણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરુ કરવામાં આવ્યા છે. આ વોર રૂમ થકી ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. મનપા કમિશનરે આ વોર રૂમની મુલાકાત લઈને થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો છે.
સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત સંક્મ્રણ પણ વધી રહ્યું હતું. જેને લઈને સંક્મ્રણને કાબુમાં લેવા મનપા દ્વારા એક નવી રીતે અપનાવીને વોર રૂમ શરુ કરવામાં આવ્યો છે. સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત છે. જેની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી. અને આ વોર રૂમ થકી થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મનપા કમિશનરે જણાવ્યું હતું કે આ વોર રૂમ થકી ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત અહીંથી ધન્વતરીરથ, સજીવની રથ અને ક્યાં વિસ્તારમાં કેટલા કેસો આવે છે અને કારણ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવે છે. અને ત્યાં ટેસ્ટીંગ સધન કરવામાં આવે છે. આ ઉપરાંત કોમ્બિંગ સહીતની કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે.
શહેરમાં યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે
મનપા કમિશનરે જણાવ્યું હતું કે ધીમે ધીમે કોરોનાનું સંક્મ્રણ ઘટી રહ્યું છે. પરંતુ લોકોને એટલી જ તકેદારી રાખવી પણ જરૂરી છે. હાલમાં ઓક્સીજનની જરૂરીયાત ઘટી છે. પહેલા 104 માં 260 જેટલા કોલ આવતા હતા તે ઘટીને 60 થયા છે. સુરતમાં હાલમાં 257 જેટલા ધન્વતરી રથ કાર્યરત છે જયારે 250 જેટલા સંજીવની રથ કાર્યરત છે.
દરરોજ 30 હજાર ટેસ્ટીંગ
મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 25 ટકા ઓક્સીજન બેડ ઓક્યુંપાઈડ છે. અને 75 ટકા બેડ ખાલી છે. શહેરમાં 43 ટકા બેડ ઓક્યુપન્સી છે. 47 ટકા બેડ ખાલી છે. આ ઉપરાંત દરરોજ 30 હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.