WatchGujarat. સુરત શહેરને ડાયમંડ સીટીની સાથે હવે લોકો દીક્ષા નગરી તરીકે પણ ઓળખી રહ્યા છે. સુરતમાં ઉચ્ચ અભ્યાસ અને વૈભવી જીવન જીવતા લોકો પણ સંયમનો માર્ગ આપવાની રહ્યા છે. ત્યારે આજે સુરતમાં વેપારીની 17 વર્ષની દીકરી રેન્સીએ સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું.આજે સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા શંખેશ્વર હાઇટ્સમાં રહેતા અને ડાયમંડ અને બિલ્ડિગ લાઇનના વ્યવસાય સાથે જોડાયેલા જયેશભાઈ સેવંતીલાલના પરિવારની 17 વર્ષની દીકરી રેન્સીએ સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું.આજે સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. રેન્સીની દીક્ષા પહેલા ગુરૂરામ પાવન ભૂમિ ખાતે ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે એટલે 13મીએ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા.
ફોઈએ પણ લીધી હતી દીક્ષા
રેન્સીની સગી ફોઈએ 21 વર્ષ પહેલા વર્ષ 2000માં દીક્ષા લીધી હતી. રેન્સી 10 વર્ષની હતી ત્યારે તે એના ફોઈને વેકેશનમાં મળવા જતી હતી. જ્યારે એ સાતમાં ધોરણમાં હતી ત્યારે એની ઇચ્છા ધર્મનાં માર્ગે આગળ વધવાનું થતાં એ અભ્યાસ છોડી એની ફોઇ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી.
એક વર્ષ પહેલા સુરતમાં 250 કરતા વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી હતી
એક વર્ષ પહેલા સુરતમાં 250 કરતા વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જોકે કોરોનાને કારણે દીક્ષા ગ્રહણ કાર્યક્રમ સુરતમાં છેલ્લા લાંબા સામયથી મુલતવી રાખવામાં આવ્ય હતા. ત્યારે આજે વધુ એક યુવતીએએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.
WatchGujarat. સુરત શહેરને ડાયમંડ સીટીની સાથે હવે લોકો દીક્ષા નગરી તરીકે પણ ઓળખી રહ્યા છે. સુરતમાં ઉચ્ચ અભ્યાસ અને વૈભવી જીવન જીવતા લોકો પણ સંયમનો માર્ગ આપવાની રહ્યા છે. ત્યારે આજે સુરતમાં વેપારીની 17 વર્ષની દીકરી રેન્સીએ સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું.આજે સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા શંખેશ્વર હાઇટ્સમાં રહેતા અને ડાયમંડ અને બિલ્ડિગ લાઇનના વ્યવસાય સાથે જોડાયેલા જયેશભાઈ સેવંતીલાલના પરિવારની 17 વર્ષની દીકરી રેન્સીએ સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું.આજે સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. રેન્સીની દીક્ષા પહેલા ગુરૂરામ પાવન ભૂમિ ખાતે ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે એટલે 13મીએ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા.
ફોઈએ પણ લીધી હતી દીક્ષા
રેન્સીની સગી ફોઈએ 21 વર્ષ પહેલા વર્ષ 2000માં દીક્ષા લીધી હતી. રેન્સી 10 વર્ષની હતી ત્યારે તે એના ફોઈને વેકેશનમાં મળવા જતી હતી. જ્યારે એ સાતમાં ધોરણમાં હતી ત્યારે એની ઇચ્છા ધર્મનાં માર્ગે આગળ વધવાનું થતાં એ અભ્યાસ છોડી એની ફોઇ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી.
એક વર્ષ પહેલા સુરતમાં 250 કરતા વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી હતી
એક વર્ષ પહેલા સુરતમાં 250 કરતા વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જોકે કોરોનાને કારણે દીક્ષા ગ્રહણ કાર્યક્રમ સુરતમાં છેલ્લા લાંબા સામયથી મુલતવી રાખવામાં આવ્ય હતા. ત્યારે આજે વધુ એક યુવતીએએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.