દિલ્હીગેટ ઓવર બ્રીજ પાસે 19 વર્ષીય તુષાર મોહન માળી બ્લુ કલરની સીટી બસમાંથી નીચે ઉતરી રહ્યો હતો
દરમિયાન અકસ્માત સર્જાતા યુવક પર બસનું ટાયર ફરી વળ્યું હતું
WatchGujarat. સુરતના દિલ્હીગેટ બ્રીજ પાસે બ્લુ સીટી બસમાંથી ઉતરતી વેળાએ બસ ચાલકે બસ ગફલતભરી રીતે હંકારતા બસમાંથી 19 વર્ષીય યુવક નીચે પટકાયો હતો અને બસનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મહિધરપુરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સુરતના દિલ્હીગેટ ઓવર બ્રીજ પાસે 19 વર્ષીય તુષાર મોહન માળી બ્લુ કલરની સીટી બસમાંથી નીચે ઉતરી રહ્યો હતો. તે વેળાએ બસ ચાલકે બસ ગફલતભરી રીતે હંકારી હતી.દરમિયાન બસમાંથી નીચે રોડ પર પટકાયો હતો.અને બસનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું. અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે બસ ચાલક સામે મૃતકના મામાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી 24 વર્ષીય ડ્રાઇવર પ્રદીપ શંકરભાઈ પોલીની ધરપકડ કરી ને આગળની તપાસ હાથ ધરી છે.
ભૂતકાળમાં પણ અનેક બનાવો સામે આવ્યા છે
સીટી બસ ચાલકના ભૂતકાળમાં અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા પણ સરથાણા વિસ્તારમાં સીટી બસ ચાલકે એક બાળકને અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું હતું. અને વાસી ઉતરાયણના દિવસે સુરતના દિલ્હીગેટ પાસે પણ બસ ચાલકની ગંભીર ભૂલના કારણે 19 વર્ષીય યુવકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને પગલે મનપાના કોન્ટ્રેક્ટ પર ચાલતી સિટી બસમાં પ્રશિક્ષિત ડ્રાઈવર ન મુકાયા હોવાનો આરોપ લાગ્યો છે.
દિલ્હીગેટ ઓવર બ્રીજ પાસે 19 વર્ષીય તુષાર મોહન માળી બ્લુ કલરની સીટી બસમાંથી નીચે ઉતરી રહ્યો હતો
દરમિયાન અકસ્માત સર્જાતા યુવક પર બસનું ટાયર ફરી વળ્યું હતું
WatchGujarat. સુરતના દિલ્હીગેટ બ્રીજ પાસે બ્લુ સીટી બસમાંથી ઉતરતી વેળાએ બસ ચાલકે બસ ગફલતભરી રીતે હંકારતા બસમાંથી 19 વર્ષીય યુવક નીચે પટકાયો હતો અને બસનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મહિધરપુરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સુરતના દિલ્હીગેટ ઓવર બ્રીજ પાસે 19 વર્ષીય તુષાર મોહન માળી બ્લુ કલરની સીટી બસમાંથી નીચે ઉતરી રહ્યો હતો. તે વેળાએ બસ ચાલકે બસ ગફલતભરી રીતે હંકારી હતી.દરમિયાન બસમાંથી નીચે રોડ પર પટકાયો હતો.અને બસનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું. અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે બસ ચાલક સામે મૃતકના મામાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી 24 વર્ષીય ડ્રાઇવર પ્રદીપ શંકરભાઈ પોલીની ધરપકડ કરી ને આગળની તપાસ હાથ ધરી છે.
ભૂતકાળમાં પણ અનેક બનાવો સામે આવ્યા છે
સીટી બસ ચાલકના ભૂતકાળમાં અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા પણ સરથાણા વિસ્તારમાં સીટી બસ ચાલકે એક બાળકને અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું હતું. અને વાસી ઉતરાયણના દિવસે સુરતના દિલ્હીગેટ પાસે પણ બસ ચાલકની ગંભીર ભૂલના કારણે 19 વર્ષીય યુવકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને પગલે મનપાના કોન્ટ્રેક્ટ પર ચાલતી સિટી બસમાં પ્રશિક્ષિત ડ્રાઈવર ન મુકાયા હોવાનો આરોપ લાગ્યો છે.