ગત રાત્રીએ ધંધાકીય સ્પર્ધામાં ખેલાયો ખુની ખેલ, ફાયરિંગ કરાયુ અને લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો
સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરો બેકાબુ બની રહ્યા છે
મારા તમામ કારીગરો અને મને સુરતથી ભગાડી મૂકવા અને મારી નાખવાના ઇરાદે જ હુમલો કર્યો - નિખિલ બધોરિયા
Watchgujarat. પાંડેસરામાં કેટરીંગના વેપાર સાથે સંકળાયેલા યુવાન અને તેના ભાઈ પર મોડી રાત્રે પાંચ જેટલા ઈસમો દ્વારા ઇકો કારમાં આવેલા 4-5 જણા એ કરેલા ગોળીબાર કર્યો હતો. જેમાં એકને પીઠ પર ગોળી વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. જ્યારે બીજાને હુમલાખોરોએ માથામાં સળિયાથી હુમલો કરતા લોહી લુહાણ કરી નાંખ્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ધંધાકીય સ્પર્ધામાં ટકી રહેવા માટે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.
ઘટનાની જાણ બાદ 108માં બન્નેને સારવાર માટે સિવિલ લવાતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જ્યારે આ ફાયરિંગપ્રકરણમાં હુમલાખોર એકને પોતાના જ હાથમાં મિસ ફાયર થયા બાદ ઘવાયો હોવાનું અને જાતે જ 108માં કોલ કરી સારવાર માટે સિવિલ આવતાં પોલીસના હાથે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે ફાયરિંગ અને હુમલા પાછળનું કોઈ યોગ્ય કારણ બહાર ન આવતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે.
નિખિલ બધોરિયા (કેટરર્સમાં લેબર કોન્ટ્રેક્ટર)એ મિડીયા સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, ફાયરિંગ લગભગ મધરાત્રે 12:05 મિનિટ પર થયું હોય એમ કહી શકાય. હુમલાખોર સતેન્દ્ર સિંગ મારા તમામ કારીગરોને પતાવી દેવાના ઇરાદે જ આવ્યો હતો. કિલદીપ રામ નિવાસ સિંગ (ઉં.વ.22) અને મારો ભાઈ શાતુ રાઘેન્દ્ર સિંગ (ઉં.વ. 22)ને જોઈ ઉપરા-છાપરી 3થી 4 રાઉન્ડ ગોળીબાર કરતાં ભાગદોડ મચી ગઇ હતી. આ હુમલામાં કિલદીપને કમરની નીચે ગોળી વાગી હતી. ત્યારે શાતુને માથામાં સળિયો મારી હુમલાખોરોએ તોફાન મચાવ્યું હતું.
વધુમાં નિખિલ બધોરિયાએ મિડીયા સાથેની વાતમાં ઉમેર્યું હતું કે, લગભગ 20-25 મિનિટ સુધી હુમલાખોરોએ તોફાન મચાવ્યા બાદ ઇકો કારમાં ભાગી ગયા હતા. ત્યાર બાદ દોડી આવેલા કારીગરોએ તાત્કાલિક 108માં ફોન કરતાં પાંડેસરા લોકેશનની 108 દોડી આવી હતી અને બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. હુમલા પાછળ ફેક્ટરીમાં લેબર કર્મચારીઓને સપ્લાઇ કરવાના ધંધાની હરીફાઈને લઈ સતેન્દ્રએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, પણ દોઢ વર્ષમાં આ ચોથો હુમલો છે અને વારંવાર પાંડેસરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવતાં આવ્યા છે.
વધુમાં નિખિલ બધોરિયાએ કહ્યું કે, મારી પાસે હાલ 8 કારીગર છે. કુલદીપ રસોઈયો છે અને એક મહિના પહેલાં જ આગ્રા થઈ સુરત રોજગારીની શોધમાં આવ્યો છે. દોઢ વર્ષ પહેલાં (નિખિલ) સતેન્દ્ર પાસે કામ કરતો હતો અને ત્યાર બાદ નોકરી છોડી પોતાનો વ્યવસાય શરૂ કરતાં સતેન્દ્ર ધમકી આપતો આવ્યો છે. ધંધો બંધ કરી તમામ કારીગર સાથે સુરત છોડી ચાલી જવા ધમકાવી રહ્યો છે. હું ફાયરિંગથી 10 મીટરના અંતરમાં જ હતો. ઇકો કારમાંથી ઊતરતાંની સાથે જ સતેન્દ્રએ 3-4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બસ, મારા તમામ કારીગરો અને મને સુરતથી ભગાડી મૂકવા અને મારી નાખવાના ઇરાદે જ હુમલો કર્યો છે. હાલ પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.
સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરો બેકાબુ બની રહ્યા છે
મારા તમામ કારીગરો અને મને સુરતથી ભગાડી મૂકવા અને મારી નાખવાના ઇરાદે જ હુમલો કર્યો - નિખિલ બધોરિયા
Watchgujarat. પાંડેસરામાં કેટરીંગના વેપાર સાથે સંકળાયેલા યુવાન અને તેના ભાઈ પર મોડી રાત્રે પાંચ જેટલા ઈસમો દ્વારા ઇકો કારમાં આવેલા 4-5 જણા એ કરેલા ગોળીબાર કર્યો હતો. જેમાં એકને પીઠ પર ગોળી વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. જ્યારે બીજાને હુમલાખોરોએ માથામાં સળિયાથી હુમલો કરતા લોહી લુહાણ કરી નાંખ્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ધંધાકીય સ્પર્ધામાં ટકી રહેવા માટે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.
ઘટનાની જાણ બાદ 108માં બન્નેને સારવાર માટે સિવિલ લવાતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જ્યારે આ ફાયરિંગપ્રકરણમાં હુમલાખોર એકને પોતાના જ હાથમાં મિસ ફાયર થયા બાદ ઘવાયો હોવાનું અને જાતે જ 108માં કોલ કરી સારવાર માટે સિવિલ આવતાં પોલીસના હાથે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે ફાયરિંગ અને હુમલા પાછળનું કોઈ યોગ્ય કારણ બહાર ન આવતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે.
નિખિલ બધોરિયા (કેટરર્સમાં લેબર કોન્ટ્રેક્ટર)એ મિડીયા સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, ફાયરિંગ લગભગ મધરાત્રે 12:05 મિનિટ પર થયું હોય એમ કહી શકાય. હુમલાખોર સતેન્દ્ર સિંગ મારા તમામ કારીગરોને પતાવી દેવાના ઇરાદે જ આવ્યો હતો. કિલદીપ રામ નિવાસ સિંગ (ઉં.વ.22) અને મારો ભાઈ શાતુ રાઘેન્દ્ર સિંગ (ઉં.વ. 22)ને જોઈ ઉપરા-છાપરી 3થી 4 રાઉન્ડ ગોળીબાર કરતાં ભાગદોડ મચી ગઇ હતી. આ હુમલામાં કિલદીપને કમરની નીચે ગોળી વાગી હતી. ત્યારે શાતુને માથામાં સળિયો મારી હુમલાખોરોએ તોફાન મચાવ્યું હતું.
વધુમાં નિખિલ બધોરિયાએ મિડીયા સાથેની વાતમાં ઉમેર્યું હતું કે, લગભગ 20-25 મિનિટ સુધી હુમલાખોરોએ તોફાન મચાવ્યા બાદ ઇકો કારમાં ભાગી ગયા હતા. ત્યાર બાદ દોડી આવેલા કારીગરોએ તાત્કાલિક 108માં ફોન કરતાં પાંડેસરા લોકેશનની 108 દોડી આવી હતી અને બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. હુમલા પાછળ ફેક્ટરીમાં લેબર કર્મચારીઓને સપ્લાઇ કરવાના ધંધાની હરીફાઈને લઈ સતેન્દ્રએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, પણ દોઢ વર્ષમાં આ ચોથો હુમલો છે અને વારંવાર પાંડેસરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવતાં આવ્યા છે.
વધુમાં નિખિલ બધોરિયાએ કહ્યું કે, મારી પાસે હાલ 8 કારીગર છે. કુલદીપ રસોઈયો છે અને એક મહિના પહેલાં જ આગ્રા થઈ સુરત રોજગારીની શોધમાં આવ્યો છે. દોઢ વર્ષ પહેલાં (નિખિલ) સતેન્દ્ર પાસે કામ કરતો હતો અને ત્યાર બાદ નોકરી છોડી પોતાનો વ્યવસાય શરૂ કરતાં સતેન્દ્ર ધમકી આપતો આવ્યો છે. ધંધો બંધ કરી તમામ કારીગર સાથે સુરત છોડી ચાલી જવા ધમકાવી રહ્યો છે. હું ફાયરિંગથી 10 મીટરના અંતરમાં જ હતો. ઇકો કારમાંથી ઊતરતાંની સાથે જ સતેન્દ્રએ 3-4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બસ, મારા તમામ કારીગરો અને મને સુરતથી ભગાડી મૂકવા અને મારી નાખવાના ઇરાદે જ હુમલો કર્યો છે. હાલ પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.