સુરતમાં સ્થિતી એટલી હદે કથળી કે અન્યત્રેથી વેન્ટીલેટર કચરાની ગાડીમાં લાવવા પડ્યા
કોરોનાની સ્થિતી ખાડે જતા મુખ્યમંત્રીએ સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સ્થિતીની સમીક્ષા કરી
સુરતમાં સંજીવની રથની સંખ્યામાં વધારો કરી, 300 વેન્ટીલેટર આપવાની જાહેરાત
ગુજરાત સરકારે 3 લાખ રેમડેસીવીરનો ઓર્ડર આપ્યો – મુખ્યમંત્રી વિજય રૂપાણી
WatchGujarat. કોરોનાની વકરતી સ્થિતીને લઇને હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને કોરોનાની ચેઇનને તોડવા માટે લોકડાઉન અથવા કર્ફ્યુ લાગુ કરવા અંગે સુચન કર્યું હતું. ત્યાર બાદ સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા નિર્ણયે લેવાશે.
સુરતમાં કોરોનાના કેસો વકરી રહ્યા છે. સ્થિતી એટલી હદે કથળી કે અન્યત્રેથી વેન્ટીલેટર કચરાની ગાડીમાં લાવવા પડ્યા હતા. દરમિયાન શહેરમાં કોરોનાનો કહેર રાજ્યના પ્રમુખ શહેરોમાં કોરોના કેસોમાં વધારો યથાવત છે. મુખ્યમંત્રી આજે દાંડી આશ્રમની મુલાકાતે હતા. ત્યાર બાદ તેમણે સુરતમા પદાધિકારીઓ સહિતના હોદ્દેદારો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અને કોરોનાની સ્થિતીને લઇને સમીક્ષા કરી હતી.
ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. મિડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના કેસો વધી રહ્યા છે. સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટીંગ અને વેક્સીનેશન આપવાની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં ઘરે સારવાર લઇ રહેલા લોકો માટે 50 જેટલા સંજીવની રથ ચાલી રહ્યા છે. ત્યારે વધુ 50 સંજીવની રથ શરૂ કરવામાં આવશે. આમ, શહેરભરમાં કુલ 100 સંજીવની રથ કાર્યરત કરવામાં આવશે.
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સુરત સહિત રાજ્યમાં ખાનગી નર્સિંગ હોમમાં પણ માઇલ્ડ અથવાતો અસીમ્પ્ટમેટીક લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપી શકશે. સુરતમાં રિવ્યુ મીટિંગ બાદ 800 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. તથા કોરોના પોઝીટીવ કેસોમાં સારવાર માટે વપરાતી રેમડેસીવીરનો જથ્થો 2000 જેટલો આપવામાં આવ્યો છે. અને સાંજે 8 વાગ્યા સુધીમાં વધુ જથ્થો પહોંચાડવામાં આવશે. આગામી 2 દિવસમાં રેમડેસીવીરના જથ્થો મળતો થઇ જશે. ગુજરાત સરકારે 3 લાખ રેમડેસીવીરનો ઓર્ડર આપ્યો છે. દવાઓને જ્યાં વધારે દર્દીઓ હોય ત્યાં આપવામાં આવશે. તેની સાથે સુરતને 300 જેટલા વેન્ટીલેટર પૂરા પાડવામાં આવશે.
આખતે તેમણે જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણવામાં આવ્યું હતું કે, કોરોનાની સ્થિતીને લઇને હાઇકોર્ટના ચીફ જસ્ટીસની બેંચમાં ચર્ચા થઇ હતી. અને કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉનન લાગુ કરવાનું સુચન આપવામાં આવ્યું હતું. સાંજે કોર કમિટીની બેઠકમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા સુચન અંગે વિચારણા હાથ ધરવામાં આવશે. લોકો ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા નિર્ણ લેવામાં આવશે.
WatchGujarat. કોરોનાની વકરતી સ્થિતીને લઇને હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને કોરોનાની ચેઇનને તોડવા માટે લોકડાઉન અથવા કર્ફ્યુ લાગુ કરવા અંગે સુચન કર્યું હતું. ત્યાર બાદ સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા નિર્ણયે લેવાશે.
સુરતમાં કોરોનાના કેસો વકરી રહ્યા છે. સ્થિતી એટલી હદે કથળી કે અન્યત્રેથી વેન્ટીલેટર કચરાની ગાડીમાં લાવવા પડ્યા હતા. દરમિયાન શહેરમાં કોરોનાનો કહેર રાજ્યના પ્રમુખ શહેરોમાં કોરોના કેસોમાં વધારો યથાવત છે. મુખ્યમંત્રી આજે દાંડી આશ્રમની મુલાકાતે હતા. ત્યાર બાદ તેમણે સુરતમા પદાધિકારીઓ સહિતના હોદ્દેદારો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અને કોરોનાની સ્થિતીને લઇને સમીક્ષા કરી હતી.
ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. મિડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના કેસો વધી રહ્યા છે. સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટીંગ અને વેક્સીનેશન આપવાની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં ઘરે સારવાર લઇ રહેલા લોકો માટે 50 જેટલા સંજીવની રથ ચાલી રહ્યા છે. ત્યારે વધુ 50 સંજીવની રથ શરૂ કરવામાં આવશે. આમ, શહેરભરમાં કુલ 100 સંજીવની રથ કાર્યરત કરવામાં આવશે.
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સુરત સહિત રાજ્યમાં ખાનગી નર્સિંગ હોમમાં પણ માઇલ્ડ અથવાતો અસીમ્પ્ટમેટીક લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપી શકશે. સુરતમાં રિવ્યુ મીટિંગ બાદ 800 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. તથા કોરોના પોઝીટીવ કેસોમાં સારવાર માટે વપરાતી રેમડેસીવીરનો જથ્થો 2000 જેટલો આપવામાં આવ્યો છે. અને સાંજે 8 વાગ્યા સુધીમાં વધુ જથ્થો પહોંચાડવામાં આવશે. આગામી 2 દિવસમાં રેમડેસીવીરના જથ્થો મળતો થઇ જશે. ગુજરાત સરકારે 3 લાખ રેમડેસીવીરનો ઓર્ડર આપ્યો છે. દવાઓને જ્યાં વધારે દર્દીઓ હોય ત્યાં આપવામાં આવશે. તેની સાથે સુરતને 300 જેટલા વેન્ટીલેટર પૂરા પાડવામાં આવશે.
આખતે તેમણે જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણવામાં આવ્યું હતું કે, કોરોનાની સ્થિતીને લઇને હાઇકોર્ટના ચીફ જસ્ટીસની બેંચમાં ચર્ચા થઇ હતી. અને કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉનન લાગુ કરવાનું સુચન આપવામાં આવ્યું હતું. સાંજે કોર કમિટીની બેઠકમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા સુચન અંગે વિચારણા હાથ ધરવામાં આવશે. લોકો ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા નિર્ણ લેવામાં આવશે.