કોરોના કેસોમાં પ્રચંડ વધારે થતા હવે તંત્ર આકરા નિર્ણયો લેવા બન્યું મજબુર
નવી સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાયેલા હોય વહીવટી સરળતા ખાતર નિર્ણય લેવાયો
સ્થિતી વણસતા કામનું ભારણ વધ્યું
કોરોનાની સ્થિતી વકરતા દિલ્હીથી તજજ્ઞોની ટીમ સુરત ખાતે દોડી આવી
WatchGujarat. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને લઈને આ નિણર્ય લેવામાં આવ્યો છે. ફક્ત ઇમરજન્સી સિવાય વિભાગ સિવાયની તમામ ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે આવનાર સમયમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કોરોનાના કેસોમાં વધારો થતા તંત્રએ આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષે પ્રેસનોટ જાહેર કરી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાયેલા હોય વહીવટી સરળતા ખાતર નવી સિવિલ હોસ્પિટલમાં તમામ ઓપીડી કોવીડ સમયગાળા પૂરતી બંધ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ફક્ત ઇમરજન્સી વિભાગ જ કાર્યરત રહેશે.. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની સ્થિતિ વણસી છે. જેને લઈને આ નિણર્ય લેવામાં આવ્યો છે. ત્યારે લોકો પણ હવે ખાસ તકેદારી રાખે તે ખૂબ જ જરૂરી બન્યું છે
સ્ટાફની પણ અછત હોવાની ઉઠી રાવ
હાલમાં સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અને તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. પરંતુ તેઓના પર કામનું ભારણ પણ એટલું જ વધી ગયું છે. ત્યારે સ્ટાફની અછત હોવાનું પણ અહીં બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં વધેલા સંક્રમણના કારણે સુરતની તમામ હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સતત કોરોના દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ આટલી ગંભીર છે કે, એમ્બ્યુલન્સમાં આવનારા તમામ દર્દીઓ ને ઓક્સિજન સાથે જ લાવું પડે છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આજે દિલ્હીથી એઈમ્સ ટીમ પણ સુરત આવી પહોંચી છે. જે કમિશનર કલેકટર અને આરોગ્યય તંત્ર સાથે મિટીંગો કરી સંક્રમણ અટકાવવા માટે જરૂરી સુચનાઓ આપશે.
કોરોના કેસોમાં પ્રચંડ વધારે થતા હવે તંત્ર આકરા નિર્ણયો લેવા બન્યું મજબુર
નવી સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાયેલા હોય વહીવટી સરળતા ખાતર નિર્ણય લેવાયો
સ્થિતી વણસતા કામનું ભારણ વધ્યું
કોરોનાની સ્થિતી વકરતા દિલ્હીથી તજજ્ઞોની ટીમ સુરત ખાતે દોડી આવી
WatchGujarat. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને લઈને આ નિણર્ય લેવામાં આવ્યો છે. ફક્ત ઇમરજન્સી સિવાય વિભાગ સિવાયની તમામ ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે આવનાર સમયમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કોરોનાના કેસોમાં વધારો થતા તંત્રએ આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષે પ્રેસનોટ જાહેર કરી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાયેલા હોય વહીવટી સરળતા ખાતર નવી સિવિલ હોસ્પિટલમાં તમામ ઓપીડી કોવીડ સમયગાળા પૂરતી બંધ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ફક્ત ઇમરજન્સી વિભાગ જ કાર્યરત રહેશે.. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની સ્થિતિ વણસી છે. જેને લઈને આ નિણર્ય લેવામાં આવ્યો છે. ત્યારે લોકો પણ હવે ખાસ તકેદારી રાખે તે ખૂબ જ જરૂરી બન્યું છે
સ્ટાફની પણ અછત હોવાની ઉઠી રાવ
હાલમાં સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અને તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. પરંતુ તેઓના પર કામનું ભારણ પણ એટલું જ વધી ગયું છે. ત્યારે સ્ટાફની અછત હોવાનું પણ અહીં બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં વધેલા સંક્રમણના કારણે સુરતની તમામ હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સતત કોરોના દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ આટલી ગંભીર છે કે, એમ્બ્યુલન્સમાં આવનારા તમામ દર્દીઓ ને ઓક્સિજન સાથે જ લાવું પડે છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આજે દિલ્હીથી એઈમ્સ ટીમ પણ સુરત આવી પહોંચી છે. જે કમિશનર કલેકટર અને આરોગ્યય તંત્ર સાથે મિટીંગો કરી સંક્રમણ અટકાવવા માટે જરૂરી સુચનાઓ આપશે.