શહેરમાં ચુંટણી બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો
કેસો વધતા તંત્રએ સઘન ટેસ્ટીંગ ચાલુ કર્યું
સ્વદેશી વેક્સીન લીધા બાદ પાલિકાના ત્રણ કર્મી કોરોના પોઝીટીવ આવ્યા
કોરોનાની રસી વધુ લોકો મુકાવે તે માટે પીએમ મોદી સહિત અનેક અગ્રણીઓ અપીલ કરી રહ્યા છે
WatchGujarat. સુરતમાં કોરોનાના કેસો વધતા ટેસ્ટીંગની કામગીરી સઘન કરવામાં આવી છે. સાથે જ પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જેને કારણે રસીની અસરકારકતા સામે અનેક સવાલો ખડા થઇ રહ્યા છે.
કોરોનાની રસી વધુ લોકો મુકાવે તે માટે પ્રધાનમંત્રીથી લઇને કોરોના વોરીયર્સ તબિબો સુધી અપીલ કરી રહ્યા છે. હાલ સિનિયર સીટીઝન માટે સરકાર દ્વારા કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. તેવા સમયે સુરતમાં સ્વદેશી વેક્સીન લીધા બાદ સરકારી કર્મીઓને કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને વેક્સીનની અસરકારકતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં ચુંટણી પતી ગયા બાદ કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા સ્થાનિક તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.
ડેપ્યુટી કમિશ્નર ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરતમાં અઠવા, રાંદેર ઝોન સહીત અન્ય ઝોનમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસો વધ્યા છે. અને જે લોકો પોઝીટીવ આવ્યા છે. તેમાંથી મોટા ભાગના લોકોની ટ્રાવેલ્સ હિસ્ટ્રી બહાર આવી છે. જેથી આવનારા સમયમાં સુરતમાં એન્ટ્રી એક્ઝીટ પર ટેસ્ટીંગની કામગીરી સધન કરવામાં આવશે. તેમજ સુરત એરપોર્ટ પર આવતા મુસાફરો માટે પણ ટેસ્ટીંગની પ્રક્રિયા સધન કરવામાં આવશે. આ ઉપરાંત સ્કુલોમાં પણ વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા સ્કુલોમાં પણ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો
વધુમાં પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો. જેને પગલે આગામી એક સપ્તાહ સુધી શહેરી વિકાસ વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે. જો કે આ મામલે ડોકટરોના મતે, રસી લીધાના 15 દિવસ બાદ જ શરીરમાં એન્ટી બોડી બને છે.
કેસો વધતા વિસ્તારોમાં નહિ જવા માટે બોર્ડ લગાડાયા
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે પાલિકા પણ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે. આ વિસ્તારોમાં લોકોને નહીં જવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આગામી દિવસમાં કેસમાં ઘટાડો નહીં થાય તો હોટલ તથા રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવે તેવી શક્યતા પણ પાલિકા સૂત્રોએ વ્યક્ત કરી છે. માસ્ક મુદ્દે આકરો દંડ વસૂલવા પણ તૈયારી કરી છે.
શહેરમાં ચુંટણી બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો
કેસો વધતા તંત્રએ સઘન ટેસ્ટીંગ ચાલુ કર્યું
સ્વદેશી વેક્સીન લીધા બાદ પાલિકાના ત્રણ કર્મી કોરોના પોઝીટીવ આવ્યા
કોરોનાની રસી વધુ લોકો મુકાવે તે માટે પીએમ મોદી સહિત અનેક અગ્રણીઓ અપીલ કરી રહ્યા છે
WatchGujarat. સુરતમાં કોરોનાના કેસો વધતા ટેસ્ટીંગની કામગીરી સઘન કરવામાં આવી છે. સાથે જ પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જેને કારણે રસીની અસરકારકતા સામે અનેક સવાલો ખડા થઇ રહ્યા છે.
કોરોનાની રસી વધુ લોકો મુકાવે તે માટે પ્રધાનમંત્રીથી લઇને કોરોના વોરીયર્સ તબિબો સુધી અપીલ કરી રહ્યા છે. હાલ સિનિયર સીટીઝન માટે સરકાર દ્વારા કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. તેવા સમયે સુરતમાં સ્વદેશી વેક્સીન લીધા બાદ સરકારી કર્મીઓને કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને વેક્સીનની અસરકારકતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં ચુંટણી પતી ગયા બાદ કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા સ્થાનિક તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.
ડેપ્યુટી કમિશ્નર ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરતમાં અઠવા, રાંદેર ઝોન સહીત અન્ય ઝોનમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસો વધ્યા છે. અને જે લોકો પોઝીટીવ આવ્યા છે. તેમાંથી મોટા ભાગના લોકોની ટ્રાવેલ્સ હિસ્ટ્રી બહાર આવી છે. જેથી આવનારા સમયમાં સુરતમાં એન્ટ્રી એક્ઝીટ પર ટેસ્ટીંગની કામગીરી સધન કરવામાં આવશે. તેમજ સુરત એરપોર્ટ પર આવતા મુસાફરો માટે પણ ટેસ્ટીંગની પ્રક્રિયા સધન કરવામાં આવશે. આ ઉપરાંત સ્કુલોમાં પણ વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા સ્કુલોમાં પણ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો
વધુમાં પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો. જેને પગલે આગામી એક સપ્તાહ સુધી શહેરી વિકાસ વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે. જો કે આ મામલે ડોકટરોના મતે, રસી લીધાના 15 દિવસ બાદ જ શરીરમાં એન્ટી બોડી બને છે.
કેસો વધતા વિસ્તારોમાં નહિ જવા માટે બોર્ડ લગાડાયા
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે પાલિકા પણ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે. આ વિસ્તારોમાં લોકોને નહીં જવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આગામી દિવસમાં કેસમાં ઘટાડો નહીં થાય તો હોટલ તથા રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવે તેવી શક્યતા પણ પાલિકા સૂત્રોએ વ્યક્ત કરી છે. માસ્ક મુદ્દે આકરો દંડ વસૂલવા પણ તૈયારી કરી છે.