મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ રહેલા ડમ્મરના ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી
દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત
WatchGujarat. સુરતમાં વર્ષ 2021 માં રાજ્યનો સૌથી ગમખ્વાર અકસ્માત સામે આવ્યો હતો. જેમાં ફુટપાથ પર સુઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ચઢી જતા એક સાથે 118 લોકો કચડાયા હતા. કચડાયેલા લોકોમાં 15 લોકોનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. યમરાજ બનીને આવેલા ડમ્પરના ચાલકે કહ્યું કે, શેરડીવાળાએ ભુલ કરી હતી. કટ મારી લીધી પરંતુ ત્યાર બાદ ડમ્પર સીધું ન થયું અને પછી ખબર જ ન રહી કે શું થઇ રહ્યું છે.
ડમ્પર ચાલક પન્નાલાલે watchgujarat.com સાથે વાત કરી હતી. પન્નાલાલે જણાવ્યું કે, અમે રાત્રે જમીને નિકળ્યા હતા. કીમ પાસે ટર્ન માર્યો હતો. ત્યારે શેરડીવાળાએ ભુલ કરી દીધી. શેરડીવાળાને કટ મારી લીધી પરંતુ ત્યાર ટર્ન લીધા બાદ ગાડી સ્ટીયરીંગ સીધું ન થયું. અને પછી આંખ કાન બંધ થઇ ગયા અને પછી શું થયું ખબર ના પડી. અકસ્માત બાદ ડમ્પર ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.
https://youtu.be/HGoUGksV9Ek
મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ રહેલા ડમ્મરના ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં સૂતેલા 20 શ્રમિકોને કચડી નાંખ્યાં હતા.
મૃત્યુ પામેલા કમભાગીઓ
સફેશા ફ્યુચઇ
શોભના વસાનીયા
રાકેશ રૂપચંદ
દિલીપ ઠકરા
નરેશ બાલુ
વિકેશ મહીડા
મુકેશ મહીડા
લીલા મુકેશ
મનીષા
ચધા બાલ
અનિતા મનિષ મહિડા
દિલીપ અકરમભાઈ વસાનીયા
બે વર્ષની બાળકી
એક વર્ષનો બાળક
અકસ્માતમાં બાળકીનો બચાવ
સોમવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં છ મહિનાની બાળકી માતા-પિતા મીઠી નિદ્રા માણી રહી હતી, ત્યારે યમરાજ બનીને આવેલા ડમ્પરે પુટપાથ પર સૂતેલા શ્રમિકો સાથે બાળકીના માતા-પિતાને પણ કચડી નાખતા ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું જ્યારે બાળકીનો. આબાદ બચાવ થયો હતો લાશ ઢગલા વચ્ચે બાળકીનું રૂદન સાભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી તેમજ તાત્કાલિક બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી.
ડમ્પરના ચાલક અને કંડક્ટરે નશો કર્યો હોવાની આશંકા
15 શ્રમિકોને કચડી માર્યા બાદ ડમ્પરના ચાલકે 5 જેટલી દુકાનોને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લિનરને પણ ઈજા પહોંચી છે. જેમની પણ હાલ સારવાર ચાલી રહી છે. સારવાર બાદ પોલીસ બંનેની પૂછપરછ કરશે. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર બોલવાની કે ચાલવાની પણ હાલતમાં ન હતા. જેના પગલે ગાંજાના નશામાં હોવાની પોલીસને આશંકા છે. બંનેને સારવાર અને રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પીએમ મોદી, અને સીએમ રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું
15 શ્રમિકોના મોત થતા દેશભરમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. આ ઘટનાને લઈને લોકસભાના સ્પીકર ઓમ બિરલાથી લઈને પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટવીટ કરી આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. અને મૃતકોના પરિવારને સાંત્વના આપી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.
મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ રહેલા ડમ્મરના ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી
દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત
WatchGujarat. સુરતમાં વર્ષ 2021 માં રાજ્યનો સૌથી ગમખ્વાર અકસ્માત સામે આવ્યો હતો. જેમાં ફુટપાથ પર સુઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ચઢી જતા એક સાથે 118 લોકો કચડાયા હતા. કચડાયેલા લોકોમાં 15 લોકોનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. યમરાજ બનીને આવેલા ડમ્પરના ચાલકે કહ્યું કે, શેરડીવાળાએ ભુલ કરી હતી. કટ મારી લીધી પરંતુ ત્યાર બાદ ડમ્પર સીધું ન થયું અને પછી ખબર જ ન રહી કે શું થઇ રહ્યું છે.
ડમ્પર ચાલક પન્નાલાલે watchgujarat.com સાથે વાત કરી હતી. પન્નાલાલે જણાવ્યું કે, અમે રાત્રે જમીને નિકળ્યા હતા. કીમ પાસે ટર્ન માર્યો હતો. ત્યારે શેરડીવાળાએ ભુલ કરી દીધી. શેરડીવાળાને કટ મારી લીધી પરંતુ ત્યાર ટર્ન લીધા બાદ ગાડી સ્ટીયરીંગ સીધું ન થયું. અને પછી આંખ કાન બંધ થઇ ગયા અને પછી શું થયું ખબર ના પડી. અકસ્માત બાદ ડમ્પર ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.
મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ રહેલા ડમ્મરના ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં સૂતેલા 20 શ્રમિકોને કચડી નાંખ્યાં હતા.
મૃત્યુ પામેલા કમભાગીઓ
સફેશા ફ્યુચઇ
શોભના વસાનીયા
રાકેશ રૂપચંદ
દિલીપ ઠકરા
નરેશ બાલુ
વિકેશ મહીડા
મુકેશ મહીડા
લીલા મુકેશ
મનીષા
ચધા બાલ
અનિતા મનિષ મહિડા
દિલીપ અકરમભાઈ વસાનીયા
બે વર્ષની બાળકી
એક વર્ષનો બાળક
અકસ્માતમાં બાળકીનો બચાવ
સોમવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં છ મહિનાની બાળકી માતા-પિતા મીઠી નિદ્રા માણી રહી હતી, ત્યારે યમરાજ બનીને આવેલા ડમ્પરે પુટપાથ પર સૂતેલા શ્રમિકો સાથે બાળકીના માતા-પિતાને પણ કચડી નાખતા ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું જ્યારે બાળકીનો. આબાદ બચાવ થયો હતો લાશ ઢગલા વચ્ચે બાળકીનું રૂદન સાભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી તેમજ તાત્કાલિક બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી.
ડમ્પરના ચાલક અને કંડક્ટરે નશો કર્યો હોવાની આશંકા
15 શ્રમિકોને કચડી માર્યા બાદ ડમ્પરના ચાલકે 5 જેટલી દુકાનોને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લિનરને પણ ઈજા પહોંચી છે. જેમની પણ હાલ સારવાર ચાલી રહી છે. સારવાર બાદ પોલીસ બંનેની પૂછપરછ કરશે. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર બોલવાની કે ચાલવાની પણ હાલતમાં ન હતા. જેના પગલે ગાંજાના નશામાં હોવાની પોલીસને આશંકા છે. બંનેને સારવાર અને રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પીએમ મોદી, અને સીએમ રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું
15 શ્રમિકોના મોત થતા દેશભરમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. આ ઘટનાને લઈને લોકસભાના સ્પીકર ઓમ બિરલાથી લઈને પીએમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટવીટ કરી આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. અને મૃતકોના પરિવારને સાંત્વના આપી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.