સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાનની તારીખો જેમ જેમ નજીક આવે તેમ તેમ રાજ્યભરમાં ચુંટણી બહિષ્કારની ઘટનાઓમાં વધારો
હવે સુરતમાં શિક્ષિત બેરોજગારોએ બેનરો મારી ચુંટણીનો વિરોધ કર્યાની ઘટના સામે આવી
અગાઉ સરકારી ભરતી મામલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને એક તરફ નેતાઓના પ્રવેશ બંધીના બેનરો સુરતમાં બેનરો લાગી રહ્યા છે. ત્યારે હવે સુરતના અલગ અલગ વિસ્તારમાં ભરતી નહિ તો મત નહી, શિક્ષિત યુવા બેરોજગાર જેવા લખાણ સાથે બેનરો લાગતા ફરી એક વખત સુરતમાં રાજકારણ ગરમાયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને સુરતમાં રાજકારણ તેની ચરમસીમા પર છે. પહેલા ટીકીટો માથે રાજકારણ ગરમાયું હતું. અને હવે ટીકીટ વહેચણી બાદ પણ સુરતમાં રાજકારણ જોર શોરમાં ગરમાયું છે. આ બધા વચ્ચે સુરતમાં કેટલીક સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ ન કરવાને લઈને બેનરો પણ લાગી ચુક્યા છે. અને હવે જયારે ચુંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત સુરતમાં બેનરો લાગ્યા છે.
બેનરોમાં લખાયું 30 લાખ શિક્ષિત બેરોજગારોનો જવાબદાર કોણ ?
સુરતના અલગ અલગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે શિક્ષત યુવા બેરોજગાર, ભરતી નહી તો મત પણ નહી, બિન સચિવાલય, તલાટી, ફોરેસ્ટની પરીક્ષા તારીખ જાહેર કરો, એલ.આર.ડી. મેલ, એસ.આર.પી.એફ. ને નિમણુંક આપો, વિદ્યાર્થીઓ પર થયેલા કેસ પાછા ખેચો, અભણ સરકારની ખોટી નીતિઓના કારણે શીક્ષીત વિદ્યાર્થીઓ થયા બેરોજગાર, 30 લાખ શિક્ષિત બેરોજગારોનો જવાબદાર કોણ ? અને અંતે ના તો હું ગુલામ છું, ના તો હું ચોકીદાર છું, હું તો ગુજરાતનો શિક્ષિત બેરોજગાર છું જેવું લખાણ લખાયું છે. આ પ્રકારના સુરતમાં બેનરો લાગતા સુરતમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.
અગાઉ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
ગાંધીનગરમાં એલ.આર.ડી.ના આંદોલન કરતા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. જેને લઈને સુરતમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓને છોડવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાનની તારીખો જેમ જેમ નજીક આવે તેમ તેમ રાજ્યભરમાં ચુંટણી બહિષ્કારની ઘટનાઓમાં વધારો
હવે સુરતમાં શિક્ષિત બેરોજગારોએ બેનરો મારી ચુંટણીનો વિરોધ કર્યાની ઘટના સામે આવી
અગાઉ સરકારી ભરતી મામલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને એક તરફ નેતાઓના પ્રવેશ બંધીના બેનરો સુરતમાં બેનરો લાગી રહ્યા છે. ત્યારે હવે સુરતના અલગ અલગ વિસ્તારમાં ભરતી નહિ તો મત નહી, શિક્ષિત યુવા બેરોજગાર જેવા લખાણ સાથે બેનરો લાગતા ફરી એક વખત સુરતમાં રાજકારણ ગરમાયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને સુરતમાં રાજકારણ તેની ચરમસીમા પર છે. પહેલા ટીકીટો માથે રાજકારણ ગરમાયું હતું. અને હવે ટીકીટ વહેચણી બાદ પણ સુરતમાં રાજકારણ જોર શોરમાં ગરમાયું છે. આ બધા વચ્ચે સુરતમાં કેટલીક સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ ન કરવાને લઈને બેનરો પણ લાગી ચુક્યા છે. અને હવે જયારે ચુંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત સુરતમાં બેનરો લાગ્યા છે.
સુરતના અલગ અલગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે શિક્ષત યુવા બેરોજગાર, ભરતી નહી તો મત પણ નહી, બિન સચિવાલય, તલાટી, ફોરેસ્ટની પરીક્ષા તારીખ જાહેર કરો, એલ.આર.ડી. મેલ, એસ.આર.પી.એફ. ને નિમણુંક આપો, વિદ્યાર્થીઓ પર થયેલા કેસ પાછા ખેચો, અભણ સરકારની ખોટી નીતિઓના કારણે શીક્ષીત વિદ્યાર્થીઓ થયા બેરોજગાર, 30 લાખ શિક્ષિત બેરોજગારોનો જવાબદાર કોણ ? અને અંતે ના તો હું ગુલામ છું, ના તો હું ચોકીદાર છું, હું તો ગુજરાતનો શિક્ષિત બેરોજગાર છું જેવું લખાણ લખાયું છે. આ પ્રકારના સુરતમાં બેનરો લાગતા સુરતમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.
અગાઉ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
ગાંધીનગરમાં એલ.આર.ડી.ના આંદોલન કરતા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. જેને લઈને સુરતમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓને છોડવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.