વાપી-સેલવાસનું પરિવાર ટ્રેનમાં જલગાંવ જઇ રહ્યું હતું.
મહિલાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તબિબી સારવાર ન મળતા પરિવારજનો નિસહાય થઇ જોતા રહ્યા
આખરે સારવારના અભાવે મહિલાનું મોત નિપજ્યું
WatchGujarat. દેશમાં બુલેટ ટ્રેન દોડવાની તૈયારી શરુ કરી દેવાઈ છે. પરંતુ આ બધા વચ્ચે ટ્રેનમાં જ યોગ્ય સારવાર ન મળતા એક મહિલાનું પતિ અને બાળકોની આંખ સામે જ મોત નીપજ્યું હતું. વાપી-સેલવાસનું પરિવાર વાપીથી જલગાંવ જઇ રહ્યું હતું. તે વેળાએ અચાનક મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. અને યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું હતું.
રીઝર્વેશન કરી ટ્રેનમાં મહિલાને સારવાર ન મળતા તેનું મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી-સેલવાસના બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના મીરાબેન અશોકભાઈ માળી (ઉં.વ.42) પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં બે બાળકો અને પતિ છે. પતિ વાપીની કંપનીમાં નોકરી કરે છે. લોકડાઉન બાદ પહેલીવાર 10 દિવસ માટે વતન જવાનું આયોજન કર્યું હતું. જેથી બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં રિઝર્વેશનમાં એસ-4 કોચમાં ટિકિટ બુકિંગ કરી હતી. વાપીથી સવારે 3:30 વાગે ટ્રેનમાં બેઠા હતા.
દરમિયાન સુરતનું ભેસ્તાન રેલવે સ્ટેશન આવવાની 15 મિનિટ પહેલાં છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ અન્ય મુસાફરો ખેંચ આવી છે કહી કાંદા-ચપ્પલ સુંઘાડવાની સલાહ આપતા હતા. જ્યારે મમ્મી ડોક્ટર કો બુલાવોની બૂમો પાડતી હતી. પત્નીના મોતને નજરે જોનારા પીડિત પતિએ કહ્યું હતું કે જો ટ્રેનમાં રિઝર્વેશન કરાવી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ઇમર્જન્સી સેવામાં આવતી તબીબી સેવા સમયસર ન મળે તો દેશનો આ વિકાસ કંઈ કામનો ન કહેવાય.
બાળકો અને પતિની સામે જ મહિલાનું મોત
પશ્ચિમ રેલવેની બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં વાપીની મહિલાનું છાતીમાં દુખાવા બાદ સારવાર વગર મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે 5 વાગે બનેલી આ ઘટના બાદ સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપી 108માં સારવાર માટે સિવિલ લઈ આવતાં ડોક્ટરોએ મીરાબેન માળી નામની મહિલાને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બાળકો અને પતિની સામે જ મહિલાનું મોત નીપજ્યાના આ કરુણ ઘટના બની હતી.
પોસ્ટમોર્ટમ કરનાર સુરત સિવિલ હોસ્પિટલ તબીબ ડો. દિનેશ મંડલએ જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાની જ શક્યતા છે. જો કે, હિસ્થોપેથોના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ કહી શકાશે.
વાપી-સેલવાસનું પરિવાર ટ્રેનમાં જલગાંવ જઇ રહ્યું હતું.
મહિલાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તબિબી સારવાર ન મળતા પરિવારજનો નિસહાય થઇ જોતા રહ્યા
આખરે સારવારના અભાવે મહિલાનું મોત નિપજ્યું
WatchGujarat. દેશમાં બુલેટ ટ્રેન દોડવાની તૈયારી શરુ કરી દેવાઈ છે. પરંતુ આ બધા વચ્ચે ટ્રેનમાં જ યોગ્ય સારવાર ન મળતા એક મહિલાનું પતિ અને બાળકોની આંખ સામે જ મોત નીપજ્યું હતું. વાપી-સેલવાસનું પરિવાર વાપીથી જલગાંવ જઇ રહ્યું હતું. તે વેળાએ અચાનક મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. અને યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું હતું.
રીઝર્વેશન કરી ટ્રેનમાં મહિલાને સારવાર ન મળતા તેનું મોત થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી-સેલવાસના બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના મીરાબેન અશોકભાઈ માળી (ઉં.વ.42) પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં બે બાળકો અને પતિ છે. પતિ વાપીની કંપનીમાં નોકરી કરે છે. લોકડાઉન બાદ પહેલીવાર 10 દિવસ માટે વતન જવાનું આયોજન કર્યું હતું. જેથી બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં રિઝર્વેશનમાં એસ-4 કોચમાં ટિકિટ બુકિંગ કરી હતી. વાપીથી સવારે 3:30 વાગે ટ્રેનમાં બેઠા હતા.
દરમિયાન સુરતનું ભેસ્તાન રેલવે સ્ટેશન આવવાની 15 મિનિટ પહેલાં છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ અન્ય મુસાફરો ખેંચ આવી છે કહી કાંદા-ચપ્પલ સુંઘાડવાની સલાહ આપતા હતા. જ્યારે મમ્મી ડોક્ટર કો બુલાવોની બૂમો પાડતી હતી. પત્નીના મોતને નજરે જોનારા પીડિત પતિએ કહ્યું હતું કે જો ટ્રેનમાં રિઝર્વેશન કરાવી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ઇમર્જન્સી સેવામાં આવતી તબીબી સેવા સમયસર ન મળે તો દેશનો આ વિકાસ કંઈ કામનો ન કહેવાય.
બાળકો અને પતિની સામે જ મહિલાનું મોત
પશ્ચિમ રેલવેની બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં વાપીની મહિલાનું છાતીમાં દુખાવા બાદ સારવાર વગર મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે 5 વાગે બનેલી આ ઘટના બાદ સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપી 108માં સારવાર માટે સિવિલ લઈ આવતાં ડોક્ટરોએ મીરાબેન માળી નામની મહિલાને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બાળકો અને પતિની સામે જ મહિલાનું મોત નીપજ્યાના આ કરુણ ઘટના બની હતી.
પોસ્ટમોર્ટમ કરનાર સુરત સિવિલ હોસ્પિટલ તબીબ ડો. દિનેશ મંડલએ જણાવ્યું હતું કે હૃદયરોગના હુમલાની જ શક્યતા છે. જો કે, હિસ્થોપેથોના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ કહી શકાશે.