કોરોના કાળમાં ફાયર ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું
અલગ – અલગ વિસ્તરોમાં દુકાનો સીલ કરવામાં આવી
ગયા પાંચ દિવસથી ફાયર વિભાગ દ્વારા સતત દુકાનોને સીલ મારવાની કામગીરી ચાલુ
WatchGujarat. સુરતમાં અપૂરતી ફાયર સુવિધા વાળી મિલકતો સામે ફાયર વિભાગે લાલ આંખ કરી છે. જેમાં સુરત ફાયર વિભાગે વિવિધ વિસ્તારોમાં આવેલી 1,100 થી વધુ દુકાનોને અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દીધી છે. આ તમામ દુકાનોમાં અપુરતા ફાયર સાધનોના અભાવ જણાતા 10 દિવસમાં ફાયર સેફ્ટી કાર્યરત કરવા સૂચન કર્યું હતું. છતાં પણ દુકાનદારોએ બેદરકારી દાખવતા સિલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત શહેરમાં આગની બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી નહીં ઉભી કરનારા તમામને નોટીસો ફટકારીને સમય મર્યાદા આપે છે. તેમ છતા પણ લાલીયાવાડી ચલાવ્યે રાખતા આખરે સીલ મારવાની કાર્યવાહી કરાઇ રહી છે. અત્યાર સુધી કલીનીક, હોસ્પિટલ, સ્કુલો બાદ હવે હોટલો, દુકાનો પર કાર્યવાહી થઇ રહી છે. જેમાં ફાયર વિભાગે ગતરોજ 1,100 જેટલી દુકાનોને સીલ મારી દીધી હતી.
પાલ તળાવ પાસે રાજ હર્ષ, બી – સાઈટ ક્રિસ્ટલ હાઇટ્સ ની 35 દુકાનો,માનદરવાજા ટ્રેડ હાઉસની 360 દુકાનો,નવી આદર્શ માર્કેટ, સલાબતપુરાની 300 દુકાનો, વેસુ ફોર્નિક્સ ટાવરની 182 દુકાનો, વરાછા તાપ્તી ગંગા માર્કેટની 55 દુકાનો, વરાછા, ઓરબીટ ટાવરની 11 દુકાનો, વરાછા સારોલીગામની સુડો ફેક્સ ટેક્નોલોજી પ્રા.લી., સ્કાય શોપ,પટેલ ઈન્ડસ્ટ્રીઅલ, સ્વસ્તિક ઓઈલ કેમીકલ્સ, વરુણ કેમીકલ્સની 182 દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા પાંચ દિવસથી ફાયર વિભાગ દ્વારા સતત દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી ફક્ત રાત્રી દરમિયાન કરવામાં આવે છે જેથી માર્કેટો અને મોલના સંચાલકો સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન સર્જાય તે હેતુથી આ કામગીરી રાત્રી દરમિયાન કરવામાં આવી રહી છે.
કોરોના કાળમાં ફાયર ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું
અલગ – અલગ વિસ્તરોમાં દુકાનો સીલ કરવામાં આવી
ગયા પાંચ દિવસથી ફાયર વિભાગ દ્વારા સતત દુકાનોને સીલ મારવાની કામગીરી ચાલુ
WatchGujarat. સુરતમાં અપૂરતી ફાયર સુવિધા વાળી મિલકતો સામે ફાયર વિભાગે લાલ આંખ કરી છે. જેમાં સુરત ફાયર વિભાગે વિવિધ વિસ્તારોમાં આવેલી 1,100 થી વધુ દુકાનોને અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દીધી છે. આ તમામ દુકાનોમાં અપુરતા ફાયર સાધનોના અભાવ જણાતા 10 દિવસમાં ફાયર સેફ્ટી કાર્યરત કરવા સૂચન કર્યું હતું. છતાં પણ દુકાનદારોએ બેદરકારી દાખવતા સિલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત શહેરમાં આગની બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી નહીં ઉભી કરનારા તમામને નોટીસો ફટકારીને સમય મર્યાદા આપે છે. તેમ છતા પણ લાલીયાવાડી ચલાવ્યે રાખતા આખરે સીલ મારવાની કાર્યવાહી કરાઇ રહી છે. અત્યાર સુધી કલીનીક, હોસ્પિટલ, સ્કુલો બાદ હવે હોટલો, દુકાનો પર કાર્યવાહી થઇ રહી છે. જેમાં ફાયર વિભાગે ગતરોજ 1,100 જેટલી દુકાનોને સીલ મારી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા પાંચ દિવસથી ફાયર વિભાગ દ્વારા સતત દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી ફક્ત રાત્રી દરમિયાન કરવામાં આવે છે જેથી માર્કેટો અને મોલના સંચાલકો સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન સર્જાય તે હેતુથી આ કામગીરી રાત્રી દરમિયાન કરવામાં આવી રહી છે.