વેપારી પાસે 23 ઓગસ્ટ 2017થી 31 જાન્યુઆરી 2020 સુધી સબંધીએ કુલ 2.72 કરોડનું રોકાણ કરાવ્યું
વેપારીએ રોકાણ કરેલા રૂપિયાની માંગણી કરતા સંબંધીએ જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી
કંટાળેલા વેપારીએ પોલીસની મદદ લેતા સલાબતપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતપિંડીની ફરિયાદ નોંધાવી
WatchGujarat કપડાના વેપારીને સબંધીએ શેરબજારમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી ત્રણ વર્ષમાં રૂ. 2.72 કરોડનો ચુનો ચોપડ્યો હતો. જ્યારે વેપારીએ નફો તો ઠીક પણ મૂળી પરત માગી ત્યારે સબંધીએ જાનતી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રૂ. 2.72 કરોડની છેતપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ રાજસ્થાનના જોધપુરમાં અને હાલ મગોબગામ વિસ્તારમાં આવેલા અભિષેક રેસીડેન્સીમાં રહેતા 43 વર્ષીય નંદકિશોર લક્ષ્મીનારાયણ ભટ્ટર શ્રી ઓમ માર્કેટમાં નિકિતા ટ્રેડીંગના નામે છેલ્લા 10 વર્ષથી કપડાનો વેપાર કરે છે. વર્ષ 2017માં નંદકિશોરને તેની ફોઈ દુર્ગાદેવીના દિયરનો છોકરો આશિષકુમાર સંપતલાલ સોની(રહે, જોધપુર) મળવા આવ્યો હતો અને પોતે કોમોડીટી તેમજ શેરબજારને લગતું કામ કરે છે. તેમજ મારી સાથે બીજા ત્રણ માણસો કામ કરે છે અને અમારે રુચી સોયા કંપની સાથે ડીલ થઈ છે. જેથી તમે કોમોડીટી અને શેરબજારમાં જેટલું વધુ રોકાણ કરશો તેટલું લાંબાગાળે સારો ફાયદો થશે તેવી લોભામણી વાતો નંદકિશોરને કરી હતી.
સંબંધી હોવાથી નંદકિશોરે આશિષ ઉપર વિશ્વાસ મુકી તેના કહેવા પ્રમાણે 23 ઓગસ્ટ 2017થી 31 જાન્યુઆરી 2020 સુધીમાં આંગડિયા મારફતે કુલ રૂપિયા 2.64 કરોડ અને 3 મે 2018ના રોજ જુદા જુદા બેન્ક ખાતામાં રૂ. 8 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આમ નંદકિશોરને પોતાના બિછાનામાં ફસાવી આશિષકુમાર સોનીએ કુલ રૂ,2.72 કરોડ ચાઉં કરી લીધા હતા.
ત્યારબાદ આશિષકુમાર અવાર નવાર નંદકિશોરની દુકાને આવતો ત્યારે રોકાણ કરેલાની સામે બે ઘણો નફો થયો છે અને તે પૈસા પણ રોકાણ કરી દીધા છે. જેટલું પણ રોકાણ કરશો તેનું વર્ષમાં 40થી 50 ટકા ફાયદો થશે તેવો વિશ્વાસ આપ્યો હતો. આ રીતે ત્રણ વર્ષમા નંદકિશોર પાસેથી કુલ 2.72 કરોડનું રોકાણ કરાવી આશિષએ નફો તો ઠીક મૂળ રકમમાંથી પણ એક રૂપિયો પરત આપ્યો ન હતો.
આખરે કંટાળેલા નંદકિશોરે ગત 23 ફેબ્રુઆરી 2020ના રોજ આશિષકુમાર પાસે રોકાણ કરેલ રૂપિયા નફા સાથે પરત આપવાનુ કહ્યું હતું. ત્યારે નંદકિશોરે ફોન કરતા આશિષકુમારે ગલ્લા તલ્લા કરી વાયદાઓ આપવા લાગ્યો હતો. થોડા સમય બાદ પણ પોતાના રૂપિયાની માંગણી કરતા આશિષે ગાળાગાળી કરી રોકાણ કરેલા રૂપિયા ભુલી જાઓ એક પણ રૂપિયો મળશે નહી. હવે પછી રૂપિયાની માંગણી કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી સબંધી ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી બેઠેલા નંદકિશોરે બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં આશીષકુમાર સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વેપારી પાસે 23 ઓગસ્ટ 2017થી 31 જાન્યુઆરી 2020 સુધી સબંધીએ કુલ 2.72 કરોડનું રોકાણ કરાવ્યું
વેપારીએ રોકાણ કરેલા રૂપિયાની માંગણી કરતા સંબંધીએ જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી
WatchGujarat કપડાના વેપારીને સબંધીએ શેરબજારમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી ત્રણ વર્ષમાં રૂ. 2.72 કરોડનો ચુનો ચોપડ્યો હતો. જ્યારે વેપારીએ નફો તો ઠીક પણ મૂળી પરત માગી ત્યારે સબંધીએ જાનતી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રૂ. 2.72 કરોડની છેતપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ રાજસ્થાનના જોધપુરમાં અને હાલ મગોબગામ વિસ્તારમાં આવેલા અભિષેક રેસીડેન્સીમાં રહેતા 43 વર્ષીય નંદકિશોર લક્ષ્મીનારાયણ ભટ્ટર શ્રી ઓમ માર્કેટમાં નિકિતા ટ્રેડીંગના નામે છેલ્લા 10 વર્ષથી કપડાનો વેપાર કરે છે. વર્ષ 2017માં નંદકિશોરને તેની ફોઈ દુર્ગાદેવીના દિયરનો છોકરો આશિષકુમાર સંપતલાલ સોની(રહે, જોધપુર) મળવા આવ્યો હતો અને પોતે કોમોડીટી તેમજ શેરબજારને લગતું કામ કરે છે. તેમજ મારી સાથે બીજા ત્રણ માણસો કામ કરે છે અને અમારે રુચી સોયા કંપની સાથે ડીલ થઈ છે. જેથી તમે કોમોડીટી અને શેરબજારમાં જેટલું વધુ રોકાણ કરશો તેટલું લાંબાગાળે સારો ફાયદો થશે તેવી લોભામણી વાતો નંદકિશોરને કરી હતી.
સંબંધી હોવાથી નંદકિશોરે આશિષ ઉપર વિશ્વાસ મુકી તેના કહેવા પ્રમાણે 23 ઓગસ્ટ 2017થી 31 જાન્યુઆરી 2020 સુધીમાં આંગડિયા મારફતે કુલ રૂપિયા 2.64 કરોડ અને 3 મે 2018ના રોજ જુદા જુદા બેન્ક ખાતામાં રૂ. 8 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આમ નંદકિશોરને પોતાના બિછાનામાં ફસાવી આશિષકુમાર સોનીએ કુલ રૂ,2.72 કરોડ ચાઉં કરી લીધા હતા.
ત્યારબાદ આશિષકુમાર અવાર નવાર નંદકિશોરની દુકાને આવતો ત્યારે રોકાણ કરેલાની સામે બે ઘણો નફો થયો છે અને તે પૈસા પણ રોકાણ કરી દીધા છે. જેટલું પણ રોકાણ કરશો તેનું વર્ષમાં 40થી 50 ટકા ફાયદો થશે તેવો વિશ્વાસ આપ્યો હતો. આ રીતે ત્રણ વર્ષમા નંદકિશોર પાસેથી કુલ 2.72 કરોડનું રોકાણ કરાવી આશિષએ નફો તો ઠીક મૂળ રકમમાંથી પણ એક રૂપિયો પરત આપ્યો ન હતો.
આખરે કંટાળેલા નંદકિશોરે ગત 23 ફેબ્રુઆરી 2020ના રોજ આશિષકુમાર પાસે રોકાણ કરેલ રૂપિયા નફા સાથે પરત આપવાનુ કહ્યું હતું. ત્યારે નંદકિશોરે ફોન કરતા આશિષકુમારે ગલ્લા તલ્લા કરી વાયદાઓ આપવા લાગ્યો હતો. થોડા સમય બાદ પણ પોતાના રૂપિયાની માંગણી કરતા આશિષે ગાળાગાળી કરી રોકાણ કરેલા રૂપિયા ભુલી જાઓ એક પણ રૂપિયો મળશે નહી. હવે પછી રૂપિયાની માંગણી કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી સબંધી ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી બેઠેલા નંદકિશોરે બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં આશીષકુમાર સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.