ગુજરાતમાં 2022 વિધાનસભાની ચુંટણી માટે પાર્ટીઓ મેદાને
ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીએ પગ મૂકી દીધો
ઇસુદાન ગઢવી સુરતની મુલાકાતે પહોંચ્યા, એરપોર્ટ પરથી તેઓ સીધા સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડ ગયા
Watchgujarat. પૂર્વ પત્રકાર અને હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઇસુદાન ગઢવી સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતમાં તેઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે મુલાકાત કરવાના છે. અને ત્યારબાદ સાંજે મીડિયાને સબોધન કરશે. સુરતમાં આવ્યા બાદ સૌ પ્રથમ તેઓ તક્ષશીલા અગ્નિકાંડની મુલાકત લીધી હતી.અને અહી તેઓએ આ અગ્નિકાંડમાં નિધન પામેલા બાળકોને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
https://youtu.be/U-wHPZHt_00
૨૦૨૨ની ચુંટણીનું ઘમાસાન શરુ થઇ ગયું છે. અને હવે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીએ પગ મૂકી દીધો છે. આ આમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષ બનાવવામાં સફળ નીવડી છે. તો બીજી તરફ આવનારી ચુંટણી પહેલા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓના આમ આદમી પાર્ટીમાં જોડતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ઇસુદાન ગઢવી આજે સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. તેઓ ૧૧ વાગ્યે સુરત એરપોર્ટ પર આવ્યા હતા.
જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા તેમજ આપ ના કોર્પોરેટરો અને કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી તેઓ સીધા સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડ પહોચ્યા હતા. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૨૨ બાળકોએ પોતાનો જીવ ખોયો છે. ઇસુદાન ગઢવીએ અહી બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને બાળકોના પરિવારજનો સાથે મુલાકત કરી હતી. ઉલ્લેખનીય છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકોના વાલીઓએ હજુ પણ ન્યાય માટે ઝાંખી રહ્યા છે. બાળકોને શ્રધાંજલિ આપતી વખતે ઇસુદાન ગઢવી, આપના પ્રદેશ અધ્ય્ક્ષ ગોપાલ ઈટાલીય અને આપના કોર્પોરટરો હાજર રહ્યા હતા
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું આ ઘટના ખુબ જ પીડા ઉપજાવનારી હતી. જેથી મેં અહી પહેલી મુલાકત લીધી હતી. અને અહી આવી પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે જયારે ૨૨ માસુમ ભૂલકાઓએ ચીસો પાડતા આ દુનિયામાંથી વિદાય લીધી હોય તો આપણા સૌની એ જવાબદારી બને છે કે બાળકોને યોગ્ય ન્યાય મળે. મેં સાંભળ્યું છે કે પરિવારજનો ન્યાય મેળવવા માટે અદાલતોના ધક્કા ખાય છે. તે ન થવું જોઈએ
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનો કાર્યકતા હાલમાં દરેક વ્યક્તિને આપ પાર્ટીમાં જોડવાની કોશિશ કરે છે. સુરત કર્ણની ધરતી છે અને આમ આદમી પાર્ટીએ સુરતમાં જે પાયો નાખ્યો છે તે હવે ગાંધીનગર સુધી જશે.
તેઓએ રાજકરણમાં આવવા અંગે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ભલે ૫ પાસ કે ૯ પાસ વ્યક્તિ હોય પણ તેઓ ઈમાનદાર હોવા જોઈએ. અને અમે રાજકારણમાં આવ્યા બાદ રોજેરોજ એવા નિર્ણય લેવાશે કે ગુજરાતની જનતા રોજેરોજ ફટકડા ફોડશે તેઓને ક્યારેય તડપવાની જરૂર નહિ પડે.
ગુજરાતમાં 2022 વિધાનસભાની ચુંટણી માટે પાર્ટીઓ મેદાને
ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીએ પગ મૂકી દીધો
ઇસુદાન ગઢવી સુરતની મુલાકાતે પહોંચ્યા, એરપોર્ટ પરથી તેઓ સીધા સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડ ગયા
Watchgujarat. પૂર્વ પત્રકાર અને હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઇસુદાન ગઢવી સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતમાં તેઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે મુલાકાત કરવાના છે. અને ત્યારબાદ સાંજે મીડિયાને સબોધન કરશે. સુરતમાં આવ્યા બાદ સૌ પ્રથમ તેઓ તક્ષશીલા અગ્નિકાંડની મુલાકત લીધી હતી.અને અહી તેઓએ આ અગ્નિકાંડમાં નિધન પામેલા બાળકોને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
૨૦૨૨ની ચુંટણીનું ઘમાસાન શરુ થઇ ગયું છે. અને હવે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીએ પગ મૂકી દીધો છે. આ આમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષ બનાવવામાં સફળ નીવડી છે. તો બીજી તરફ આવનારી ચુંટણી પહેલા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓના આમ આદમી પાર્ટીમાં જોડતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ઇસુદાન ગઢવી આજે સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. તેઓ ૧૧ વાગ્યે સુરત એરપોર્ટ પર આવ્યા હતા.
જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા તેમજ આપ ના કોર્પોરેટરો અને કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી તેઓ સીધા સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડ પહોચ્યા હતા. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૨૨ બાળકોએ પોતાનો જીવ ખોયો છે. ઇસુદાન ગઢવીએ અહી બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને બાળકોના પરિવારજનો સાથે મુલાકત કરી હતી. ઉલ્લેખનીય છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકોના વાલીઓએ હજુ પણ ન્યાય માટે ઝાંખી રહ્યા છે. બાળકોને શ્રધાંજલિ આપતી વખતે ઇસુદાન ગઢવી, આપના પ્રદેશ અધ્ય્ક્ષ ગોપાલ ઈટાલીય અને આપના કોર્પોરટરો હાજર રહ્યા હતા
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું આ ઘટના ખુબ જ પીડા ઉપજાવનારી હતી. જેથી મેં અહી પહેલી મુલાકત લીધી હતી. અને અહી આવી પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે જયારે ૨૨ માસુમ ભૂલકાઓએ ચીસો પાડતા આ દુનિયામાંથી વિદાય લીધી હોય તો આપણા સૌની એ જવાબદારી બને છે કે બાળકોને યોગ્ય ન્યાય મળે. મેં સાંભળ્યું છે કે પરિવારજનો ન્યાય મેળવવા માટે અદાલતોના ધક્કા ખાય છે. તે ન થવું જોઈએ
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનો કાર્યકતા હાલમાં દરેક વ્યક્તિને આપ પાર્ટીમાં જોડવાની કોશિશ કરે છે. સુરત કર્ણની ધરતી છે અને આમ આદમી પાર્ટીએ સુરતમાં જે પાયો નાખ્યો છે તે હવે ગાંધીનગર સુધી જશે.
તેઓએ રાજકરણમાં આવવા અંગે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ભલે ૫ પાસ કે ૯ પાસ વ્યક્તિ હોય પણ તેઓ ઈમાનદાર હોવા જોઈએ. અને અમે રાજકારણમાં આવ્યા બાદ રોજેરોજ એવા નિર્ણય લેવાશે કે ગુજરાતની જનતા રોજેરોજ ફટકડા ફોડશે તેઓને ક્યારેય તડપવાની જરૂર નહિ પડે.