કોરોનાની સારવાર કરાવીને આવનારનું સ્વાગત કરવામાં લોકો કોરોના ફેલાવતા હોવાનું સામે આવ્યું
કાર્યકરોએ માસ્ક વગર કોર્પોરેટર અમિત રાજપૂત સાથે સેલ્ફી લીધી
સુરત. શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્નાં છે. ત્યારે બેદરકારીના કિસ્સા પણ એટલા જ જોવા મળે છે. લિંબાયત વોર્ડ નંબર ૨૪ના કોર્પોરેટર અમિત રાજપૂત કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ૧૫ દિવસ સારવાર ચાલી હતી. અમિત રાજપુતે કોરોનાને હરાવી કોરોના મુક્ત થયા બાદ હોસ્પિટલથી ઘરે પરત ફરતી વખતે કોર્પોરેટરનું સ્વાગત ઢોલ-નગારાના તાલ સાથે કરવામાં આવ્યુ હતુ.
કોરોનાને હરાવીને આવેલા કોર્પોરેટરનું સ્વાગત કરવામાં કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના ધજાગરા ઉડાવતા હોય તેમ માસ્ક પહેર્યા વગર સેલ્ફી ખેંચી હતી. કોરોનામુક્ત થયેલા કોર્પોરેટર પણ તેમને ટપારવાની જગ્યાએ જાણે ચૂંટણી જીતીને આવ્યા હોય તેવા હાવભાવ સાથે આગળ વધતા હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા નિયમોના ધજાગરા ઉડાડતા હોવાથી નવો વિવાદ ઉભો થયો છે.
https://twitter.com/watchgujarat/status/1310908690766000133?s=21
ભાજપના કોર્પોરેટર અમિત રાજપુતï કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે અમિત રાજપૂતે પોતાના એક મેસેજમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હું હોસ્પિટલમાં દાખલ હતો, પરંતુ સોમવારે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેનાથી મને રજા આપવામાં આવી છે .જેથી હું બધાનો આભારી છું. 15 દિવસ પછી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયુ કે મારી સોસાયટીના સભ્યો અને કાર્યકરતાઓએ મારા સ્વાગતની તૈયારી કરી હતી. જેની મને કોઇ જાણ ન હતી, અને એના કારણે મેં તુરંત જ કીધુ કે આ બધુ બરોબર નથી, જેથી લોકોએ તાત્કાલીક જ બધુ બંધ થઇ ગયું હતુ. જેમની પાસે માસ્ક નહોતા તેમને માસ્ક પણ આપવામાં આવ્યાં હતા. પછી હું મારા ફ્લેટમાં ઉપર આવી ગયો હતો. અને બધાને આગ્રહ કર્યો ઘરે જવા માટે, ખૂબ ઉત્સાહી થતા લોકોએ આ રીતના આયોજન કરી નાખ્યુ હતુ, મને ખબર નથી હું તો 15 દિવસ પછી હોસ્પિટલમાંતી બહાર આવ્યો હતો. આ મારી વાત છે.
પ્રશ્નો ઉભા થઇ રહ્ના છે. એક બાજુ પાલિકા કમિશનર સંક્રમણને લઈ વધતા કોરોના પોઝિટિવ કેસને લઈ જાગૃતતાના અભિયાન ચલાવી રહ્ના છે. ત્યારે બીજી બાજુ લોક પ્રતિનિધિઓ સંક્રમણ વધારવાનું કામ કરતા હોય એમ લાગી રહ્નાં છે.લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના મહાનગર પાલિકાએ બે કરોડથી વધુનો દંડ લોકો પાસે વસૂલ કર્યો છે. લોકો પાસે દંડ વસૂલ કરતી પાલિકા રાજકારણી સામે કોઈ કામગીરી કરતી નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક માટે અપીલ કરી રહ્ના છે પણ સુરત ભાજપના નેતાઓ જ વડા પ્રધાનની સૂચનાનું પાલન નથી કરતા અને પોલીસ તથા મહાનગર પાલિકા રાજકારણી સામે કોઈ કાર્યવાહી નથી કરતી. આ મામલે પાલિકા અને પોલીસ પણ મુકપ્રેક્ષક બની માત્ર તમાશો જાઇ છે. સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પાલિકા અને પોલીસ અમિત રાજપુત અને કાર્યકર્તાઅો સામે કયાં પ્રકારના પગલા લેશે તે હવે જાવાનું રહ્ના.
- કોરોનાની સારવાર કરાવીને આવનારનું સ્વાગત કરવામાં લોકો કોરોના ફેલાવતા હોવાનું સામે આવ્યું
- કાર્યકરોએ માસ્ક વગર કોર્પોરેટર અમિત રાજપૂત સાથે સેલ્ફી લીધી
સુરત. શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્નાં છે. ત્યારે બેદરકારીના કિસ્સા પણ એટલા જ જોવા મળે છે. લિંબાયત વોર્ડ નંબર ૨૪ના કોર્પોરેટર અમિત રાજપૂત કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ૧૫ દિવસ સારવાર ચાલી હતી. અમિત રાજપુતે કોરોનાને હરાવી કોરોના મુક્ત થયા બાદ હોસ્પિટલથી ઘરે પરત ફરતી વખતે કોર્પોરેટરનું સ્વાગત ઢોલ-નગારાના તાલ સાથે કરવામાં આવ્યુ હતુ.
કોરોનાને હરાવીને આવેલા કોર્પોરેટરનું સ્વાગત કરવામાં કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના ધજાગરા ઉડાવતા હોય તેમ માસ્ક પહેર્યા વગર સેલ્ફી ખેંચી હતી. કોરોનામુક્ત થયેલા કોર્પોરેટર પણ તેમને ટપારવાની જગ્યાએ જાણે ચૂંટણી જીતીને આવ્યા હોય તેવા હાવભાવ સાથે આગળ વધતા હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા નિયમોના ધજાગરા ઉડાડતા હોવાથી નવો વિવાદ ઉભો થયો છે.
https://twitter.com/watchgujarat/status/1310908690766000133?s=21
ભાજપના કોર્પોરેટર અમિત રાજપુતï કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે અમિત રાજપૂતે પોતાના એક મેસેજમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હું હોસ્પિટલમાં દાખલ હતો, પરંતુ સોમવારે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેનાથી મને રજા આપવામાં આવી છે .જેથી હું બધાનો આભારી છું. 15 દિવસ પછી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયુ કે મારી સોસાયટીના સભ્યો અને કાર્યકરતાઓએ મારા સ્વાગતની તૈયારી કરી હતી. જેની મને કોઇ જાણ ન હતી, અને એના કારણે મેં તુરંત જ કીધુ કે આ બધુ બરોબર નથી, જેથી લોકોએ તાત્કાલીક જ બધુ બંધ થઇ ગયું હતુ. જેમની પાસે માસ્ક નહોતા તેમને માસ્ક પણ આપવામાં આવ્યાં હતા. પછી હું મારા ફ્લેટમાં ઉપર આવી ગયો હતો. અને બધાને આગ્રહ કર્યો ઘરે જવા માટે, ખૂબ ઉત્સાહી થતા લોકોએ આ રીતના આયોજન કરી નાખ્યુ હતુ, મને ખબર નથી હું તો 15 દિવસ પછી હોસ્પિટલમાંતી બહાર આવ્યો હતો. આ મારી વાત છે.
પ્રશ્નો ઉભા થઇ રહ્ના છે. એક બાજુ પાલિકા કમિશનર સંક્રમણને લઈ વધતા કોરોના પોઝિટિવ કેસને લઈ જાગૃતતાના અભિયાન ચલાવી રહ્ના છે. ત્યારે બીજી બાજુ લોક પ્રતિનિધિઓ સંક્રમણ વધારવાનું કામ કરતા હોય એમ લાગી રહ્નાં છે.લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના મહાનગર પાલિકાએ બે કરોડથી વધુનો દંડ લોકો પાસે વસૂલ કર્યો છે. લોકો પાસે દંડ વસૂલ કરતી પાલિકા રાજકારણી સામે કોઈ કામગીરી કરતી નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક માટે અપીલ કરી રહ્ના છે પણ સુરત ભાજપના નેતાઓ જ વડા પ્રધાનની સૂચનાનું પાલન નથી કરતા અને પોલીસ તથા મહાનગર પાલિકા રાજકારણી સામે કોઈ કાર્યવાહી નથી કરતી. આ મામલે પાલિકા અને પોલીસ પણ મુકપ્રેક્ષક બની માત્ર તમાશો જાઇ છે. સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પાલિકા અને પોલીસ અમિત રાજપુત અને કાર્યકર્તાઅો સામે કયાં પ્રકારના પગલા લેશે તે હવે જાવાનું રહ્ના.