ફિલ્મમાં અજય દેવગણે લાશને પોલીસ સ્ટેશનની અંદર દાટીને ચણી દીધી હતી
રાજુ બિહારીએ શિવમની હત્યા કરી પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં પોતાના જ ઘરમાં દાટી ચણી દીધી હતી
સુરત. બોલીવુડની થ્રીલરથી ભરપુર ફિલ્મ દ્રશ્યમને ખુબ જ લોકચાહના મળી હતી. મુવી રીલીઝ થયાના ચાર મહિનામાં જ એક મિત્રએ બીજા મિત્રનું કાળસ કાઢીને તેની લાશને ફિલ્મી ઢબે બાંધકામ થઇ રહેલા ઘરમાં ચણી દીધી હતી. ઘટનાના પાંચ વર્ષ બાદ પોલીસને ચોક્કસ બાતમી મળતા દ્રશ્યમ પ્લોટને ઉકેલવામાં સફળતા મળી હતી.
દ્રશ્યમ ફિલ્મના પ્લોટની મળતી આવતી ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. દ્રશ્યમ ફિલ્મ જુલાઇ - 2015 માં રીલીઝ થઇ હતી. જેમાં ફિલ્મમાં મુખ્ય પાત્ર અજય દેવગણ અને તબુએ ભજવ્યું હતું. ફિલ્મમાં અજય દેવગણ સામાન્ય પરિવારની ભુમિકા ભજવી રહ્યો હતો. જ્યારે તબુ IPS ઓફિસરની ભુમિકામાં હતી. અજયની દિકરી સ્કુલ ટ્રીપ પર ગઇ હતી, ત્યારે તબુના પુત્રએ તેનો વિડીયો ઉતાર્યો હતો. અને ત્યાર બાદ બ્લેકમેલ કરવા ઘરે પહોંચી ગયો હતો. અજયના ઘરે પહોંચેલા તબુના પુત્રની પત્નિ અને પુત્રીના હાથે હત્યા થઇ જાય છે. અજય દેવગણે ઘટનાની જાણ થતા યુવકની લાશને કોઇને કહ્યા વગર ઘર નજીક બની રહેલા નવા પોલીસ સ્ટેશનમાં ચણાવી દીધી હતી. અનેક રહસ્યો ધરાવતી ફિલ્મની કહાનીને મળતી આવતી મર્ડરની ઘટના સુરતમાં ગુરૂવારે છતી થઇ છે.
[caption id="attachment_8671" align="aligncenter" width="1280"] આ દાદર નીચે દિવાલમાં શિવમની લાશને દાટ્યા બાદ ચણી દેવાઇ હતી[/caption]
ગુરૂવારે ક્રાઇમ બ્રાન્ચને પાંચ વર્ષ પહેલા થયેલી મર્ડર મિસ્ટ્રીને ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલા ગુનાની વિગત અનુસાર, રાજુ બિહારી બુટલેગર હતો અને અનેક વખત જેલની હવા ખાઇ ચુક્યો છે. વર્ષ 2015 માં તેણે તેના મિત્રની હત્યા કરીને નવા બંધાઇ રહેલા ઘરના ચણતરમાં ચણાવી દીધી હતી. ત્યાર બાદથી લઇને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ કંઇ નક્કર ન મળતા આખરે કેસ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો.
[caption id="attachment_8668" align="aligncenter" width="520"] શિવમની હત્યા કરનાર રાજુ બિહારી[/caption]
દરમિયાન રાજુ બિહારી અન્ય ગુનાની સજા કાપવા માટે ભરૂચ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. અને ત્યાંથી પેરોલ પર છુટ્યા બાદ નાસી છુટ્યો હતો. પેરોલ પર નાસી છુટ્યા બાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ બિહારીને પકડી પાડવામાં આવ્યો હતો. હત્યા મામલે તેની કડકાઇ પુર્વક પુછપરછ તેણે વર્ષ 2015માં શિવમની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું અને હત્યા કરીને લાશને આશાપુરી સોસાયટીમાં બની રહેલા મકાનના દાદરાની નીચેના ભાગમાં ચણી દેવામાં આવી હોવાનું કબુલ્યું હતું. તેના આધારે પોલીસે આશાપુરી સોસાયટીના મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં એફએસએલ સહિત અન્ય વિભાગના કર્મીઓ જોડાયા હતા. દાદરા નીચેથી માનવ કંકાલ મળી આવ્યું હતું અને તેને વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું. જો કે પાંડેસરી આશાપુરી વિભાગ - 3 માં જે મકાનમાં શિવમની હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી. તે મકાન રાજુ બિહારીનું જ હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા છેલ્લા ઘણા સમયથી આ મકાન બંધ પડી રહેલું હોવાની વિગતો બહાર આવી હતી.
જો કે દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગણ દ્વારા સંતાડવામાં આવેલી લાશ મળી ન હતી. પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને પાંચ વર્ષ બાદ ફિલ્મી ઢબે થયેલા મર્ડરને ઉકેલવામાં મદદ મળી હતી. દ્રશ્યમ ફિલ્મ 31 જુલાઇ, 2015 ના રોજ રીલીઝ થઇ હતી. ફિલ્મ રીલીઝ થયાના ચાર મહિના બાદ દિવાળીની આસપાસ રાજુ બિહારીએ કિશનના ખુન કરી તેને મૃતદેહને દાટી દીધો હતો. આમસ દ્રશ્યમ ફિલ્મનું અનુસરણ કરવામાં આવ્યું હતું.
રાજુ બિહારીએ શિવમની હત્યા કરી પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં પોતાના જ ઘરમાં દાટી ચણી દીધી હતી
સુરત. બોલીવુડની થ્રીલરથી ભરપુર ફિલ્મ દ્રશ્યમને ખુબ જ લોકચાહના મળી હતી. મુવી રીલીઝ થયાના ચાર મહિનામાં જ એક મિત્રએ બીજા મિત્રનું કાળસ કાઢીને તેની લાશને ફિલ્મી ઢબે બાંધકામ થઇ રહેલા ઘરમાં ચણી દીધી હતી. ઘટનાના પાંચ વર્ષ બાદ પોલીસને ચોક્કસ બાતમી મળતા દ્રશ્યમ પ્લોટને ઉકેલવામાં સફળતા મળી હતી.
દ્રશ્યમ ફિલ્મના પ્લોટની મળતી આવતી ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. દ્રશ્યમ ફિલ્મ જુલાઇ - 2015 માં રીલીઝ થઇ હતી. જેમાં ફિલ્મમાં મુખ્ય પાત્ર અજય દેવગણ અને તબુએ ભજવ્યું હતું. ફિલ્મમાં અજય દેવગણ સામાન્ય પરિવારની ભુમિકા ભજવી રહ્યો હતો. જ્યારે તબુ IPS ઓફિસરની ભુમિકામાં હતી. અજયની દિકરી સ્કુલ ટ્રીપ પર ગઇ હતી, ત્યારે તબુના પુત્રએ તેનો વિડીયો ઉતાર્યો હતો. અને ત્યાર બાદ બ્લેકમેલ કરવા ઘરે પહોંચી ગયો હતો. અજયના ઘરે પહોંચેલા તબુના પુત્રની પત્નિ અને પુત્રીના હાથે હત્યા થઇ જાય છે. અજય દેવગણે ઘટનાની જાણ થતા યુવકની લાશને કોઇને કહ્યા વગર ઘર નજીક બની રહેલા નવા પોલીસ સ્ટેશનમાં ચણાવી દીધી હતી. અનેક રહસ્યો ધરાવતી ફિલ્મની કહાનીને મળતી આવતી મર્ડરની ઘટના સુરતમાં ગુરૂવારે છતી થઇ છે.
[caption id="attachment_8671" align="aligncenter" width="1280"] આ દાદર નીચે દિવાલમાં શિવમની લાશને દાટ્યા બાદ ચણી દેવાઇ હતી[/caption]
ગુરૂવારે ક્રાઇમ બ્રાન્ચને પાંચ વર્ષ પહેલા થયેલી મર્ડર મિસ્ટ્રીને ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલા ગુનાની વિગત અનુસાર, રાજુ બિહારી બુટલેગર હતો અને અનેક વખત જેલની હવા ખાઇ ચુક્યો છે. વર્ષ 2015 માં તેણે તેના મિત્રની હત્યા કરીને નવા બંધાઇ રહેલા ઘરના ચણતરમાં ચણાવી દીધી હતી. ત્યાર બાદથી લઇને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ કંઇ નક્કર ન મળતા આખરે કેસ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો.
દરમિયાન રાજુ બિહારી અન્ય ગુનાની સજા કાપવા માટે ભરૂચ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. અને ત્યાંથી પેરોલ પર છુટ્યા બાદ નાસી છુટ્યો હતો. પેરોલ પર નાસી છુટ્યા બાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ બિહારીને પકડી પાડવામાં આવ્યો હતો. હત્યા મામલે તેની કડકાઇ પુર્વક પુછપરછ તેણે વર્ષ 2015માં શિવમની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું અને હત્યા કરીને લાશને આશાપુરી સોસાયટીમાં બની રહેલા મકાનના દાદરાની નીચેના ભાગમાં ચણી દેવામાં આવી હોવાનું કબુલ્યું હતું. તેના આધારે પોલીસે આશાપુરી સોસાયટીના મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં એફએસએલ સહિત અન્ય વિભાગના કર્મીઓ જોડાયા હતા. દાદરા નીચેથી માનવ કંકાલ મળી આવ્યું હતું અને તેને વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું. જો કે પાંડેસરી આશાપુરી વિભાગ - 3 માં જે મકાનમાં શિવમની હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી. તે મકાન રાજુ બિહારીનું જ હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા છેલ્લા ઘણા સમયથી આ મકાન બંધ પડી રહેલું હોવાની વિગતો બહાર આવી હતી.
જો કે દ્રશ્યમ ફિલ્મમાં અજય દેવગણ દ્વારા સંતાડવામાં આવેલી લાશ મળી ન હતી. પરંતુ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને પાંચ વર્ષ બાદ ફિલ્મી ઢબે થયેલા મર્ડરને ઉકેલવામાં મદદ મળી હતી. દ્રશ્યમ ફિલ્મ 31 જુલાઇ, 2015 ના રોજ રીલીઝ થઇ હતી. ફિલ્મ રીલીઝ થયાના ચાર મહિના બાદ દિવાળીની આસપાસ રાજુ બિહારીએ કિશનના ખુન કરી તેને મૃતદેહને દાટી દીધો હતો. આમસ દ્રશ્યમ ફિલ્મનું અનુસરણ કરવામાં આવ્યું હતું.