ધોબી કામ કરતા મુળ ઉત્તરપ્રદેશનો યુવક 20 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો.
દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન
40 વર્ષીય શિવકુમારનુ અડધુ શરીર બળી જતા મોતને ભેટ્યો હતો.
સુરત. શહેરના ભટાર વિસ્તારમાં ધોબી કામ કરતા યુવકની તેની જ દુકાનમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે દુકાનમાં આગ કંઇ રીતે લાગી અને યુવક કંઇ રીતે સળગીને મોતને ભેટ્યો તે અંગે હજી સુધી પોલીસને ચોક્કસ માહિતી મળી નથી. બનાવને પગલે પોલીસે યુવકનો સળગી ગયેલો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના ભટાર વિસ્તારમાં આવેલા અંબાનગરમાં ધોબી કામ કરતો 40 વર્ષીય શિવકુમાર બદ્રીનાથ કનોજીયા ધોબી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. શિવકુમાર તેની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતો હતો. આજથી શરૂ થઇ રહેલા દિવાળીના તહેવારને પગલે થોડા દિવસો અગાઉ શિવકુમારની પત્ની અને સંતાનો વતનમાં રહેવા માટે ગયા હતા. જેથી શિવકુમાર છેલ્લા થોડા દિવસોથી દુકાનમાં એકલો રહેતો હતો.
તેવામાં આજે સવારે દુકાનમાંથી શિવાકુમારનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. દુકાનમા રહેલા કપડા પણ સળગી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા તેઓ ધટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં 40 વર્ષીય શિવકુમારના મૃતદેહનો પોલીસે કબજો મેળવી મોતનુ ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, ગત રાત્રે શિવકુમાર અંદરથી લોક કરીને દુકાનમાં હતો. દરમિયાન સવારે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રાત્રીના સમયે દુકાનને લોક કરીને અંદર કામ કરતો હશે અને ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે. દુકાનમાં રહેલા કપડાં પણ સળગી ગયા છે. શિવકુમાર છાતી અને બંને હાથ સળગી ગયા છે. જો કે હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે પરંતુ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ધોબી કામ કરતા મુળ ઉત્તરપ્રદેશનો યુવક 20 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો.
દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન
40 વર્ષીય શિવકુમારનુ અડધુ શરીર બળી જતા મોતને ભેટ્યો હતો.
સુરત. શહેરના ભટાર વિસ્તારમાં ધોબી કામ કરતા યુવકની તેની જ દુકાનમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે દુકાનમાં આગ કંઇ રીતે લાગી અને યુવક કંઇ રીતે સળગીને મોતને ભેટ્યો તે અંગે હજી સુધી પોલીસને ચોક્કસ માહિતી મળી નથી. બનાવને પગલે પોલીસે યુવકનો સળગી ગયેલો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના ભટાર વિસ્તારમાં આવેલા અંબાનગરમાં ધોબી કામ કરતો 40 વર્ષીય શિવકુમાર બદ્રીનાથ કનોજીયા ધોબી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. શિવકુમાર તેની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતો હતો. આજથી શરૂ થઇ રહેલા દિવાળીના તહેવારને પગલે થોડા દિવસો અગાઉ શિવકુમારની પત્ની અને સંતાનો વતનમાં રહેવા માટે ગયા હતા. જેથી શિવકુમાર છેલ્લા થોડા દિવસોથી દુકાનમાં એકલો રહેતો હતો.
તેવામાં આજે સવારે દુકાનમાંથી શિવાકુમારનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. દુકાનમા રહેલા કપડા પણ સળગી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા તેઓ ધટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં 40 વર્ષીય શિવકુમારના મૃતદેહનો પોલીસે કબજો મેળવી મોતનુ ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, ગત રાત્રે શિવકુમાર અંદરથી લોક કરીને દુકાનમાં હતો. દરમિયાન સવારે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રાત્રીના સમયે દુકાનને લોક કરીને અંદર કામ કરતો હશે અને ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે. દુકાનમાં રહેલા કપડાં પણ સળગી ગયા છે. શિવકુમાર છાતી અને બંને હાથ સળગી ગયા છે. જો કે હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે પરંતુ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.