WatchGujarat. એકતરફ 21મી સદીના જમાનામાં આપણે સૌ આગળ વધી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના એક ધારાસભ્યે અજીબ દાવો કરીને સૌનેચ ચોંકાવી દીધા છે. વાત છે મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઘોડિયાની ટેક્નોલોજીના અને વિજ્ઞાનના જમાનામાં મોહન ઘોડિયાએ એક અજીબ જ વાત કરી છે. અને આ બાબત તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખી છે.
[caption id="attachment_1464510" align="aligncenter" width="960"] (મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઘોડિયા ગામમાં રહેતા રનાભાઇ સાથે લીધેલી મુલાકાતની અંતિમ તસ્વીર)[/caption]
તેઓએ લખ્યું છે કે ગામમાં રહેતા રનાભાઇએ તેમના સપનામાં આવીને તેમના મૃત્યુનો દાવો કર્યો હતો. અને બીજા દિવસે તેમનો આ દાવો સાચો પડ્યો હોય તેમ રનાભાઇ નું મૃત્યુ પણ થયું હતું. સપનામાં આવીને તેઓએ તેમને મળવા બોલાવ્યા હતા. અને તેઓએ ગઈકાલે સાંજે મુલાકાત કરી તે બાદ સવારે તેમનું નિધન થયું છે.
જોકે વિજ્ઞાનની વાત વચ્ચે આ દાવો થોડો આશ્ચર્ય પમાડે તેવો લાગે છે. રનાભાઇ એ મોહનભાઇને સપનામાં આવીને મળવા બોલાવ્યા હતા. અને તે સ્વામી ભગવાનને ત્યાં જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે તે બાદ સાંજે ધારાસભ્ય રનાભાઇને મળવા પહોંચ્યા હતા અને બીજા દિવસે તેમનું નિધન થયું હતું.
જોકે આ વાત માનવામાં નહીં આવે તેવી લાગે છે. મોહન ધોડિયાએ જણાવ્યું હતું કે ગામમાં મિટિંગો પતાવીને સાંજે ભોજન લીધા પછી 10 મિનિટ માટે તેઓ ઊંઘી ગયા હતા. ત્યારે રાત્રે ઊંઘમાં તેમના ગામના જ વ્યક્તિ રનાભાઇ તેમના સપનામાં આવ્યા હતા. રનભાઇ બાબરભાઈએ તેમના સપનામાં આવીને જણાવ્યું હતું કે તે સ્વામી બાપાના ત્યાં જવાના છે.
આવું કહીને તે ઉઠી ગયા, અને તેઓ તુરંત જ તેમના ઘરે ગયા હતા. ત્યારે તે સુતેલા હતા. પથારીમાંથી બેઠા થઈને તેઓએ તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને કહ્યું હતું. કે તેઓ તેમની જ રાહ જોતા હતા. તેઓ થોડા સમયથી બીમાર હતા. અને તેમના ખબર પૂછીને તેઓ જયારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને રનાભાઈના મોતના સમાચાર જાણવા મળ્યા હતા.
તેઓએ ઉમેર્યું હતું કે ગામમાં જયારે પણ કોઈ વ્યક્તિ બીમાર હોય છે ત્યારે મને તેઓ મળવા માટે જરૂર યાદ કરે છે. તેમના ઘરનું નારિયેળીના ઝાડના નારિયેળનું પાણી પીને તેઓ સાજા પણ થઇ જાય છે. પણ ગઈકાલે આ ઘટના એકદમ માનવામાં ન આવે એવી છે. આ વખતે તેઓને તીર્થ ધામમાં આવવા માટે પણ મેં કહ્યું હતું.
આમ, માનવામાં નહીં આવે એવી આ ઘટના મહુવાના ધારાસભ્ય સાથે બની હતી. એવું કહેવાય છે કે સવારે જોયેલું સપનું સાચું પડે છે. ત્યારે મોહન ધોડિયાના આ અનુભવથી આ વાત સાચી પડતી હોય એવું પણ લાગી રહ્યું છે. જોકે આ વાત પણ માનો યા ના માનો જેવી પણ લાગી રહી છે.
WatchGujarat. એકતરફ 21મી સદીના જમાનામાં આપણે સૌ આગળ વધી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના એક ધારાસભ્યે અજીબ દાવો કરીને સૌનેચ ચોંકાવી દીધા છે. વાત છે મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઘોડિયાની ટેક્નોલોજીના અને વિજ્ઞાનના જમાનામાં મોહન ઘોડિયાએ એક અજીબ જ વાત કરી છે. અને આ બાબત તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખી છે.
[caption id="attachment_1464510" align="aligncenter" width="960"] (મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઘોડિયા ગામમાં રહેતા રનાભાઇ સાથે લીધેલી મુલાકાતની અંતિમ તસ્વીર)[/caption]
તેઓએ લખ્યું છે કે ગામમાં રહેતા રનાભાઇએ તેમના સપનામાં આવીને તેમના મૃત્યુનો દાવો કર્યો હતો. અને બીજા દિવસે તેમનો આ દાવો સાચો પડ્યો હોય તેમ રનાભાઇ નું મૃત્યુ પણ થયું હતું. સપનામાં આવીને તેઓએ તેમને મળવા બોલાવ્યા હતા. અને તેઓએ ગઈકાલે સાંજે મુલાકાત કરી તે બાદ સવારે તેમનું નિધન થયું છે.
જોકે વિજ્ઞાનની વાત વચ્ચે આ દાવો થોડો આશ્ચર્ય પમાડે તેવો લાગે છે. રનાભાઇ એ મોહનભાઇને સપનામાં આવીને મળવા બોલાવ્યા હતા. અને તે સ્વામી ભગવાનને ત્યાં જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે તે બાદ સાંજે ધારાસભ્ય રનાભાઇને મળવા પહોંચ્યા હતા અને બીજા દિવસે તેમનું નિધન થયું હતું.
જોકે આ વાત માનવામાં નહીં આવે તેવી લાગે છે. મોહન ધોડિયાએ જણાવ્યું હતું કે ગામમાં મિટિંગો પતાવીને સાંજે ભોજન લીધા પછી 10 મિનિટ માટે તેઓ ઊંઘી ગયા હતા. ત્યારે રાત્રે ઊંઘમાં તેમના ગામના જ વ્યક્તિ રનાભાઇ તેમના સપનામાં આવ્યા હતા. રનભાઇ બાબરભાઈએ તેમના સપનામાં આવીને જણાવ્યું હતું કે તે સ્વામી બાપાના ત્યાં જવાના છે.
આવું કહીને તે ઉઠી ગયા, અને તેઓ તુરંત જ તેમના ઘરે ગયા હતા. ત્યારે તે સુતેલા હતા. પથારીમાંથી બેઠા થઈને તેઓએ તેમના ખબર અંતર પૂછ્યા હતા. અને કહ્યું હતું. કે તેઓ તેમની જ રાહ જોતા હતા. તેઓ થોડા સમયથી બીમાર હતા. અને તેમના ખબર પૂછીને તેઓ જયારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને રનાભાઈના મોતના સમાચાર જાણવા મળ્યા હતા.
તેઓએ ઉમેર્યું હતું કે ગામમાં જયારે પણ કોઈ વ્યક્તિ બીમાર હોય છે ત્યારે મને તેઓ મળવા માટે જરૂર યાદ કરે છે. તેમના ઘરનું નારિયેળીના ઝાડના નારિયેળનું પાણી પીને તેઓ સાજા પણ થઇ જાય છે. પણ ગઈકાલે આ ઘટના એકદમ માનવામાં ન આવે એવી છે. આ વખતે તેઓને તીર્થ ધામમાં આવવા માટે પણ મેં કહ્યું હતું.
આમ, માનવામાં નહીં આવે એવી આ ઘટના મહુવાના ધારાસભ્ય સાથે બની હતી. એવું કહેવાય છે કે સવારે જોયેલું સપનું સાચું પડે છે. ત્યારે મોહન ધોડિયાના આ અનુભવથી આ વાત સાચી પડતી હોય એવું પણ લાગી રહ્યું છે. જોકે આ વાત પણ માનો યા ના માનો જેવી પણ લાગી રહી છે.