સુરતમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કર્મીઓએ માનવતા મહેકાવી
ફરજ દરમિયાન સુરત શહેર-જિલ્લાના અનેક પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.
સુરત. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણમાં નાગરિકો, નેતા સહીત અનેક પોલીસ કર્મીઓ ફરજ દરમિયાન સંક્રમિત થયા છે. તેવામાં આજે શહેરની મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે નાગરિકો અને કોરોના સંક્રમિત દર્દીઓને આ આકરી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે સુરત પોલીસના 13 પોલીસ અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું હતુ. પોલીસ કર્મીઓના આ માનવતાનુ કર્તવ્ય અન્ય પોલીસ કર્મી માટે પ્રેરણાદાયક સાબીત થયું છે.
સુરતના કતારગામ ખાતે રહેતા પૃથ્વીસિંહ વાઘેલા ગત તા. 17 જુલાઇના રોજ કોરોના સંક્રમિત થયા હતા. જોકે સારવાર બાદ દરમિયાન તેઓ કોરોનાને માત આપી પુનઃ ફરજ પર હાજર થયા હતા. પ્લાઝમાં ડોનેટ કરવા માટે તેઓને પ્રોત્સાહન મળ્યુ હતુ અને તેમણે ફરજ સાથે માનવતાની પણ ફરજ નિભાવી હતી. આમ મુળ ભાવનગરના મહુવા તાલુકાના ભાદર ગામના વતની અને હાલ કતારગામ વિસ્તારની નંદનવન સોસા.માં રહેતા અને સુરત સાયબર ક્રાઇમમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા નાઝભાઇ ભૂકાણ પણ ગત 17 જુલાઇના રોજ કોરોના પોઝિટીવ થયા હતા. 15 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહી કોરોના સામે જીત હાસીલ કરી હતી. તેઓ પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ બાદ પ્લાઝમા ડોનેટ કર્યું હતુ.
ફ્રન્ટ લાઇન વોરિર્યસ તરીકે કોરોનાની આંકરી પરિસ્થિતિમાં સતત ફરજ નિભાવી રહેલા સુરત પોલીસના 13 કર્મીઓએ માનવતા ભર્યુ કર્યા કરી એક ઉત્તમ ઉદાહરણ પડ્યું છે. જે અન્ય લોકો અને પોલીસ કર્મીઓ માટે પ્રેરણારૂપ સાબીત થઇ રહ્યું છે.
- સુરતમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કર્મીઓએ માનવતા મહેકાવી
- ફરજ દરમિયાન સુરત શહેર-જિલ્લાના અનેક પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.
સુરત. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણમાં નાગરિકો, નેતા સહીત અનેક પોલીસ કર્મીઓ ફરજ દરમિયાન સંક્રમિત થયા છે. તેવામાં આજે શહેરની મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે નાગરિકો અને કોરોના સંક્રમિત દર્દીઓને આ આકરી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે સુરત પોલીસના 13 પોલીસ અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું હતુ. પોલીસ કર્મીઓના આ માનવતાનુ કર્તવ્ય અન્ય પોલીસ કર્મી માટે પ્રેરણાદાયક સાબીત થયું છે.
સુરતના કતારગામ ખાતે રહેતા પૃથ્વીસિંહ વાઘેલા ગત તા. 17 જુલાઇના રોજ કોરોના સંક્રમિત થયા હતા. જોકે સારવાર બાદ દરમિયાન તેઓ કોરોનાને માત આપી પુનઃ ફરજ પર હાજર થયા હતા. પ્લાઝમાં ડોનેટ કરવા માટે તેઓને પ્રોત્સાહન મળ્યુ હતુ અને તેમણે ફરજ સાથે માનવતાની પણ ફરજ નિભાવી હતી. આમ મુળ ભાવનગરના મહુવા તાલુકાના ભાદર ગામના વતની અને હાલ કતારગામ વિસ્તારની નંદનવન સોસા.માં રહેતા અને સુરત સાયબર ક્રાઇમમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા નાઝભાઇ ભૂકાણ પણ ગત 17 જુલાઇના રોજ કોરોના પોઝિટીવ થયા હતા. 15 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહી કોરોના સામે જીત હાસીલ કરી હતી. તેઓ પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ બાદ પ્લાઝમા ડોનેટ કર્યું હતુ.
ફ્રન્ટ લાઇન વોરિર્યસ તરીકે કોરોનાની આંકરી પરિસ્થિતિમાં સતત ફરજ નિભાવી રહેલા સુરત પોલીસના 13 કર્મીઓએ માનવતા ભર્યુ કર્યા કરી એક ઉત્તમ ઉદાહરણ પડ્યું છે. જે અન્ય લોકો અને પોલીસ કર્મીઓ માટે પ્રેરણારૂપ સાબીત થઇ રહ્યું છે.