સુરતમાં માનવતાને શર્મસાર કરે તેવા ક્રૃર કિસ્સો સામે આવ્યો છે
કોરોનાના દર્દીની સારવાર દરમિયાન પૈસા નહિ ચુકવતા હોસ્પિટલવાળાએ તેના મૃતદેહને જાહેરમાં રઝડતો મુક્યો હતો
હોસ્પિટલમાં માંગ્યા પ્રમાણે પૈસા નહિ ચુકવાતા મૃતદેહ જોડે માનવતા વિરોધી કૃત્ય કર્યાના આક્ષેપ
આખરે ઓરિસ્સા સમાજના આગેવાનોએ ભેગા મળીને મૃતદેહને શબવાહિનીમાં અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો
WatchGujarat. કોરોનાની સુનામીમાં રાજ્યમાં ક્યારેય જોયા નહિ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતમાં માનવતા મરી પરવારી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હોસ્પિટલની બહાર કોવિડ દર્દીનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવતા માનવતા શરમસાર થઈ છે. કોરોનાના દર્દીના પરિવારજનોએ સારવારનો ખર્ચ ન ચૂકવતા મૃતક સાથે આ વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલની બહાર કપડામાં લપેટાયેલી હાલતમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવતા લોકો ભેગા થઈ ગયા હતા. હાલ પ્રાપ્ત પ્રાથમિક વિગત પ્રમાણે, મૃતકનું નામ ભગવાન નાયક હતું. જેને બે દિવસ પહેલા તાવ આવતા પાંડેસરની પ્રિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને નજીવા રૂપિયામાં સારવાર થઇ જશે તેવું તબીબોએ કહેતા પરિવારજનોને આશા બંધાઈ હતી.
જોકે એક્સરે પડાવ્યા બાદ દવા અને ડિપોઝિટ પેટે રૂ. 20 હજારથી વધુ રકમ લેવામાં આવી હતી. આ બાદ પણ દર્દીનો જીવ બચી શક્યો નહિ હતો. અન્ય સારવારનો ખર્ચ પરિવારજનોએ નહિ ચૂકવતા આજે હોસ્પિટલના સત્તાધીશોએ તમામ શેહ શરમ નેવે મૂકીને મૃતકને કપડામાં લપેટાયેલી હાલતમાં રસ્તે રઝલતો મૂકી દીધો હતો.
સવારે હોસ્પિટલની બહાર મૃતદેહ મળતા લોકો ભેગા થઇ ગયા હતા. અને બાદમાં પરિવારજનો ત્યાં પહોંચતા તેઓના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. મોતનો મલાજો ન જાળવી શકનાર હોસ્પિટલના સત્તાધીશો સામે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જોકે બાદમાં ઓરિસ્સા સમાજના આગેવાનોએ ભેગા મળીને મૃતદેહને શબવાહિનીમાં અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના આવા માનવતા વિરોધી વલણ સામે પરિવારજનોની ફરિયાદને જોતા પોલીસે પણ દરમ્યાનગીરી કરી છે. અને બંને પક્ષોને સાંભળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં માનવતાને શર્મસાર કરે તેવા ક્રૃર કિસ્સો સામે આવ્યો છે
કોરોનાના દર્દીની સારવાર દરમિયાન પૈસા નહિ ચુકવતા હોસ્પિટલવાળાએ તેના મૃતદેહને જાહેરમાં રઝડતો મુક્યો હતો
આખરે ઓરિસ્સા સમાજના આગેવાનોએ ભેગા મળીને મૃતદેહને શબવાહિનીમાં અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો
WatchGujarat. કોરોનાની સુનામીમાં રાજ્યમાં ક્યારેય જોયા નહિ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતમાં માનવતા મરી પરવારી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હોસ્પિટલની બહાર કોવિડ દર્દીનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવતા માનવતા શરમસાર થઈ છે. કોરોનાના દર્દીના પરિવારજનોએ સારવારનો ખર્ચ ન ચૂકવતા મૃતક સાથે આ વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલની બહાર કપડામાં લપેટાયેલી હાલતમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવતા લોકો ભેગા થઈ ગયા હતા. હાલ પ્રાપ્ત પ્રાથમિક વિગત પ્રમાણે, મૃતકનું નામ ભગવાન નાયક હતું. જેને બે દિવસ પહેલા તાવ આવતા પાંડેસરની પ્રિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને નજીવા રૂપિયામાં સારવાર થઇ જશે તેવું તબીબોએ કહેતા પરિવારજનોને આશા બંધાઈ હતી.
જોકે એક્સરે પડાવ્યા બાદ દવા અને ડિપોઝિટ પેટે રૂ. 20 હજારથી વધુ રકમ લેવામાં આવી હતી. આ બાદ પણ દર્દીનો જીવ બચી શક્યો નહિ હતો. અન્ય સારવારનો ખર્ચ પરિવારજનોએ નહિ ચૂકવતા આજે હોસ્પિટલના સત્તાધીશોએ તમામ શેહ શરમ નેવે મૂકીને મૃતકને કપડામાં લપેટાયેલી હાલતમાં રસ્તે રઝલતો મૂકી દીધો હતો.
સવારે હોસ્પિટલની બહાર મૃતદેહ મળતા લોકો ભેગા થઇ ગયા હતા. અને બાદમાં પરિવારજનો ત્યાં પહોંચતા તેઓના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. મોતનો મલાજો ન જાળવી શકનાર હોસ્પિટલના સત્તાધીશો સામે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જોકે બાદમાં ઓરિસ્સા સમાજના આગેવાનોએ ભેગા મળીને મૃતદેહને શબવાહિનીમાં અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના આવા માનવતા વિરોધી વલણ સામે પરિવારજનોની ફરિયાદને જોતા પોલીસે પણ દરમ્યાનગીરી કરી છે. અને બંને પક્ષોને સાંભળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.