પતિએ પુણે પોલીસ સ્ટેશનમાં એક્સીડન્ટની ફરિયાદ નોંધાવી હતી
દોઢ વર્ષ પહેલા અનુજ અને શાલિની વચ્ચે કોઇ મામલે ઉગ્ર બોલાચાલી બાદ પિયરીયાઓએ મારામારી કરી
લાંબા સમયથી ચાલતા ગૃહકંકાસનો કરૂણ અંત
WatchGujarat. કુંભારીયા રધુવીર સેલિયમ નજીક મેઇન રોડના હાઇવે ના સર્વિસ રોજ પર વહેલી સવારમાં ચાલવા ગયેલા દંપત્તિમાંથી પત્નીનું અજાણ્યા વાહનની અડફેટે મૃત્યું થયું હતું. સમગ્ર મામલે પતિએ પુણે પોલીસ સ્ટેશનમાં એક્સીડન્ટની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પત્નિના પિયર પક્ષ દ્વારા હત્યાની શંકા વ્યક્ત કરાતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આખરે વારંવાર ઘરકંકાસની બનતી ઘટનાઓથી ત્રસ્ત બનેલા પતિએ જ પત્નિની સુનિયોજીક કાવતરૂ રચીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પુણે રોડ પર રહેતા અનુજકુમાર સોહનસિંગ યાદવ (ઉં - 27, રહે - સારથી રેસીડેન્સી, કુંભારીયા) સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની પત્નિ શાલિની સાથે અનુજનો અવારનવાર ઝગડો થતો રહેતો હતો. આશરે દોઢ વર્ષ પહેલા અનુજ અને શાલિની વચ્ચે કોઇ મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી. શાલિનીએ બોલાચાલીની વાત પોતાના પિયરીયાઓને કરતા તેઓ ઉશ્કેરાયા હતા. અને શાલિનીના કાકા, પિતા અને ભાઈઓએ ભેગા થઇને અનુજને માર માર્યો હતો. જો કે તે સમયે પારિવારીક મામાએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
દોઢ વર્ષ પહેલાની ઘટના અનુજ ભુલી ગયો હતો. પરંતુ શાલિની દ્વારા જુના ઝગડાની વાતો યાદ કરીને બોલાચાલી થતી હતી. જેને લઇનેને અનુજ ટેન્શનમાં રહેતો હતો. આખરે અનુજે પત્નીના મારી નાંખવાનું સુનિયોજીત કાવતરૂ ઘડ્યું હતું. 4, જાન્યુઆરી- 21 ના રોડ અનુજે મહંમદ નઇમ ઉર્ફે પપ્પુ (પાલ પાટીયા નજીક) નો સંપર્ક કર્યો હતો. અને શાલિનીની તમામ ગતિવિધીથી અવગત કરાવ્યો હતો. અને સર્વિસ રોડ પર ખુનને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.
પ્લાન પ્રમાણે પપ્પુ રેતી ખાલી કરવાના બહાને ટ્રક લઇને આવ્યો હતો. અને કુંભારીયાથી કડોદરા તરફ જતા મેઇન હાઇવેના સર્વિસ રોડ પર ટ્રક ઉભી રાખી હતી. અને ત્યાર બાદ તે ટ્રકની નજીક છુપાઇ ગયો હતો. થોડી વાર બાદ અનુજ અને તેની પત્ની સવારે ચાલવા નિકળ્યા હતા. ચાલતા ચાલતા આગળ જઇને પરત ફરતી વેળાએ અનુજ અને પપ્પુએ ટ્રક પાસે શાલિનીનું ગળું દબાવી દીધું હતું. જેને કારણે શાલિની અર્ધબેભાન થઇ હતી. ત્યાર બાદ પપ્પુએ ટ્રક ચાલુ રહી ચલાવી હતી. અને અનુજે તેની પત્નીને ટ્રક નીચે ફેંકી દીધી હતી. બંન્ને દ્વારા હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રસાય કર્યો હતો.
સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિ અનુજકુમાર સોહનસિંગ યાદવ (ઉં - 27, રહે - સારથી રેસીડેન્સી, કુંભારીયા) અને મહંમદ નઇમ ઉર્ફે પપ્પુ (પાલ પાટીયા નજીક)ની ધરપકડ કરી હતી.
પતિએ પુણે પોલીસ સ્ટેશનમાં એક્સીડન્ટની ફરિયાદ નોંધાવી હતી
દોઢ વર્ષ પહેલા અનુજ અને શાલિની વચ્ચે કોઇ મામલે ઉગ્ર બોલાચાલી બાદ પિયરીયાઓએ મારામારી કરી
લાંબા સમયથી ચાલતા ગૃહકંકાસનો કરૂણ અંત
WatchGujarat. કુંભારીયા રધુવીર સેલિયમ નજીક મેઇન રોડના હાઇવે ના સર્વિસ રોજ પર વહેલી સવારમાં ચાલવા ગયેલા દંપત્તિમાંથી પત્નીનું અજાણ્યા વાહનની અડફેટે મૃત્યું થયું હતું. સમગ્ર મામલે પતિએ પુણે પોલીસ સ્ટેશનમાં એક્સીડન્ટની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પત્નિના પિયર પક્ષ દ્વારા હત્યાની શંકા વ્યક્ત કરાતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આખરે વારંવાર ઘરકંકાસની બનતી ઘટનાઓથી ત્રસ્ત બનેલા પતિએ જ પત્નિની સુનિયોજીક કાવતરૂ રચીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પુણે રોડ પર રહેતા અનુજકુમાર સોહનસિંગ યાદવ (ઉં - 27, રહે - સારથી રેસીડેન્સી, કુંભારીયા) સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની પત્નિ શાલિની સાથે અનુજનો અવારનવાર ઝગડો થતો રહેતો હતો. આશરે દોઢ વર્ષ પહેલા અનુજ અને શાલિની વચ્ચે કોઇ મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી. શાલિનીએ બોલાચાલીની વાત પોતાના પિયરીયાઓને કરતા તેઓ ઉશ્કેરાયા હતા. અને શાલિનીના કાકા, પિતા અને ભાઈઓએ ભેગા થઇને અનુજને માર માર્યો હતો. જો કે તે સમયે પારિવારીક મામાએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
દોઢ વર્ષ પહેલાની ઘટના અનુજ ભુલી ગયો હતો. પરંતુ શાલિની દ્વારા જુના ઝગડાની વાતો યાદ કરીને બોલાચાલી થતી હતી. જેને લઇનેને અનુજ ટેન્શનમાં રહેતો હતો. આખરે અનુજે પત્નીના મારી નાંખવાનું સુનિયોજીત કાવતરૂ ઘડ્યું હતું. 4, જાન્યુઆરી- 21 ના રોડ અનુજે મહંમદ નઇમ ઉર્ફે પપ્પુ (પાલ પાટીયા નજીક) નો સંપર્ક કર્યો હતો. અને શાલિનીની તમામ ગતિવિધીથી અવગત કરાવ્યો હતો. અને સર્વિસ રોડ પર ખુનને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.
પ્લાન પ્રમાણે પપ્પુ રેતી ખાલી કરવાના બહાને ટ્રક લઇને આવ્યો હતો. અને કુંભારીયાથી કડોદરા તરફ જતા મેઇન હાઇવેના સર્વિસ રોડ પર ટ્રક ઉભી રાખી હતી. અને ત્યાર બાદ તે ટ્રકની નજીક છુપાઇ ગયો હતો. થોડી વાર બાદ અનુજ અને તેની પત્ની સવારે ચાલવા નિકળ્યા હતા. ચાલતા ચાલતા આગળ જઇને પરત ફરતી વેળાએ અનુજ અને પપ્પુએ ટ્રક પાસે શાલિનીનું ગળું દબાવી દીધું હતું. જેને કારણે શાલિની અર્ધબેભાન થઇ હતી. ત્યાર બાદ પપ્પુએ ટ્રક ચાલુ રહી ચલાવી હતી. અને અનુજે તેની પત્નીને ટ્રક નીચે ફેંકી દીધી હતી. બંન્ને દ્વારા હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રસાય કર્યો હતો.
સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિ અનુજકુમાર સોહનસિંગ યાદવ (ઉં - 27, રહે - સારથી રેસીડેન્સી, કુંભારીયા) અને મહંમદ નઇમ ઉર્ફે પપ્પુ (પાલ પાટીયા નજીક)ની ધરપકડ કરી હતી.