તાજેતરમાં સુરતમાં કુતરાઓને ઝેર આપી મારી નાંખવાની ઘટના સામે આવી હતી
વધુ એક વખત શહેરમાં કુતરા સાથે ક્રુરતા આચરવામાં આવ્યાની ઘટના સામે આવી
પ્રાણીપ્રેમીઓમાં વહીવટી તંત્રની ઢીલી કામગીરીને પગલે રોષ
WatchGujarat. સુરતમાં ફરી એક પ્રાણીઓ સાથે માનવી દ્વારા અમાનવીય વર્તનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે બાઈક સવાર ઈસમો શ્વાનના ગળામાં દોરાથી ફંદો બાંધે છે. અને બાદમાં તેને ઘસડે છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જેને લઈને પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં બે બાઈક સવાર પૈકી બાઈકની પાછળ બેસેલો ઇસમ એક શ્વાસના ગળામાં દોરાનો ફંદો બાંધે છે. અને બાદમાં તેને ચાલુ વાહને ઘસડે છે. આ અમાનવીય કૃત્યમાં શ્વાનનું મોત નીપજે છે. આ વિડીયો સુરતના ભગવાન મહાવીર કોલેજ પાસેનો હોવાની ચર્ચા છે. આ વિડીયો વાયરલ થતા પશુ પ્રેમીઓમાં રોષ સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે. અને આ વિડીયોના આધારે પોલીસને કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.
https://youtu.be/bvN_yCU-yQ4
આ વિડીયો ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કંડારી લીધો હતો. અને બાઈક સવાર બંને ઈસમોને આવું કૃત્ય ન કરવા અપીલ કરી હતી. તેમ છતાં બાઈક સવાર બંને ઈસમો માન્ય ન હતા. અને આ અમાનવીય વર્તન કરવાનું શરુ રાખ્યું હતું. શ્વાન સાથે અમાનવીય કૃત્ય કરનાર બંને યુવકો જીજે 05 એમએ 7359 નંબરની બાઈક પર સવાર હતા.
આ ઘટનાને ગંભીરતાથી લઇ માનદ જિલ્લા પશુ અધિકારી ચેતન ઝવેરીએ પોલીસ કમિશનર, smc કમિશનર અને જિલ્લા કલેકટર ને ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી આ કૃત્ય કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ભેસ્તાનમાં ૩ શ્વાનોને ઝેર આપી મારી નખાયા હતા
થોડા દિવસો અગાઉ સુરતના ભેસ્તાન વિસ્તારમાં ૩ શ્વાનોને ખોરાકમાં ઝેર આપવામાં આવ્યું હતું. જેના કારણે ૩ શ્વાનોને તડપી તડપીને મોત નીપજ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને પશુ પ્રેમીઓમાં રોષ સાતમાં આસમાને જોવા મળ્યો હતો. અને આ મામલે સુરત કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પણ અપાયા હતા. આ ઘટના બાદ સુરત પોલીસ એકશનમાં આવી હતી. અને પાંડેસરા પોલીસે બે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતરમાં સુરતમાં કુતરાઓને ઝેર આપી મારી નાંખવાની ઘટના સામે આવી હતી
વધુ એક વખત શહેરમાં કુતરા સાથે ક્રુરતા આચરવામાં આવ્યાની ઘટના સામે આવી
WatchGujarat. સુરતમાં ફરી એક પ્રાણીઓ સાથે માનવી દ્વારા અમાનવીય વર્તનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે બાઈક સવાર ઈસમો શ્વાનના ગળામાં દોરાથી ફંદો બાંધે છે. અને બાદમાં તેને ઘસડે છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જેને લઈને પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં બે બાઈક સવાર પૈકી બાઈકની પાછળ બેસેલો ઇસમ એક શ્વાસના ગળામાં દોરાનો ફંદો બાંધે છે. અને બાદમાં તેને ચાલુ વાહને ઘસડે છે. આ અમાનવીય કૃત્યમાં શ્વાનનું મોત નીપજે છે. આ વિડીયો સુરતના ભગવાન મહાવીર કોલેજ પાસેનો હોવાની ચર્ચા છે. આ વિડીયો વાયરલ થતા પશુ પ્રેમીઓમાં રોષ સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે. અને આ વિડીયોના આધારે પોલીસને કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.
આ વિડીયો ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કંડારી લીધો હતો. અને બાઈક સવાર બંને ઈસમોને આવું કૃત્ય ન કરવા અપીલ કરી હતી. તેમ છતાં બાઈક સવાર બંને ઈસમો માન્ય ન હતા. અને આ અમાનવીય વર્તન કરવાનું શરુ રાખ્યું હતું. શ્વાન સાથે અમાનવીય કૃત્ય કરનાર બંને યુવકો જીજે 05 એમએ 7359 નંબરની બાઈક પર સવાર હતા.
આ ઘટનાને ગંભીરતાથી લઇ માનદ જિલ્લા પશુ અધિકારી ચેતન ઝવેરીએ પોલીસ કમિશનર, smc કમિશનર અને જિલ્લા કલેકટર ને ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી આ કૃત્ય કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ભેસ્તાનમાં ૩ શ્વાનોને ઝેર આપી મારી નખાયા હતા
થોડા દિવસો અગાઉ સુરતના ભેસ્તાન વિસ્તારમાં ૩ શ્વાનોને ખોરાકમાં ઝેર આપવામાં આવ્યું હતું. જેના કારણે ૩ શ્વાનોને તડપી તડપીને મોત નીપજ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને પશુ પ્રેમીઓમાં રોષ સાતમાં આસમાને જોવા મળ્યો હતો. અને આ મામલે સુરત કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પણ અપાયા હતા. આ ઘટના બાદ સુરત પોલીસ એકશનમાં આવી હતી. અને પાંડેસરા પોલીસે બે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.