કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે
હાલ કોરોનાના દર્દીઓમાં મ્યુકર માઇકોસીસની શક્યતામાં વધારો
સુરતની કિરણ હોસ્પિટલમાં જ અત્યારસુધી મ્યુકર માઇકોસીસના 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે
મ્યુકર માઇકોસીસની સારવાર 14 થી 60 દિવસની હોય છે
WatchGujarat. સુરત શહેરમાં કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગ પ્રકારની બીમારીએ માથું ઊંચક્યું છે. કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીનો આખો ચહેરો તો બગાડી જ નાખે જ સાથે સાથે મટવાનું પણ નામ લેતી ન હોય દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.
કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે ‘મ્યુકર માઈકોસીસ’ને નોંતરું આપી રહ્યા છે. બીજી બાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી સારવાર ચાલી રહી છે. આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીક દર્દીઓ ઉપર રહે છે. અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે. તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ‘મ્યુકર માઈકોસીસ’ને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શનની પણ હાલ તીવ્ર અછત જોવા મળી રહી છે.
બીમારીના શું છે લક્ષણો ?
- સતત માથું દુ:ખવું
- દેખાતું ઓછું થઈ જવું
- દાંતમાં સતત ઝણઝણાટી થવી
- નાક બંધ થઈ જવું
- નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું
- મોઢા ઉપર સોજો આવવો
- નાક અને આંખ આસપાસની ચામડી કાળી પડી જવી
મ્યુકર માઈકોસીસ’ની સારવારનો ખર્ચ હજારોથી લઈ કરોડો સુધી થવા જાય છે. જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર દુષ્કર બની જાય છે. કોરોનાની પહેલી લહેર વખતે પણ આ બીમારીના દર્દીઓમાં વધારો થયો હતો પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી મ્યુકર માઈકોસીસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
સુરતની કિરણ હોસ્પિટલમાં જ અત્યારસુધી મ્યુકર માઇકોસીસના 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે. જેમાંથી 10 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે હજી 60 દર્દીઓ કતારમાં છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ રોગ અવશ્ય મટી શકે છે પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે વધી જવા પામ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્યારે જેટલા પણ દર્દીઓ આવે છે તેઓ કોરોનાગ્રસ્ત હોય છે અથવા તો તેમને કોરોના મટી ગયો છે.
કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે
હાલ કોરોનાના દર્દીઓમાં મ્યુકર માઇકોસીસની શક્યતામાં વધારો
સુરતની કિરણ હોસ્પિટલમાં જ અત્યારસુધી મ્યુકર માઇકોસીસના 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે
મ્યુકર માઇકોસીસની સારવાર 14 થી 60 દિવસની હોય છે
WatchGujarat. સુરત શહેરમાં કોરોનાનો તાંડવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે ઉભી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે ‘મ્યુકર માઈકોસીસ’ નામની ફૂગ પ્રકારની બીમારીએ માથું ઊંચક્યું છે. કાન, આંખ અને નાક વાટે શરીરમાં પ્રવેશતી આ ફૂગ દર્દીનો આખો ચહેરો તો બગાડી જ નાખે જ સાથે સાથે મટવાનું પણ નામ લેતી ન હોય દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.
કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે ‘મ્યુકર માઈકોસીસ’ને નોંતરું આપી રહ્યા છે. બીજી બાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી સારવાર ચાલી રહી છે. આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીક દર્દીઓ ઉપર રહે છે. અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે. તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ‘મ્યુકર માઈકોસીસ’ને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શનની પણ હાલ તીવ્ર અછત જોવા મળી રહી છે.
બીમારીના શું છે લક્ષણો ?
- સતત માથું દુ:ખવું
- દેખાતું ઓછું થઈ જવું
- દાંતમાં સતત ઝણઝણાટી થવી
- નાક બંધ થઈ જવું
- નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું
- મોઢા ઉપર સોજો આવવો
- નાક અને આંખ આસપાસની ચામડી કાળી પડી જવી
મ્યુકર માઈકોસીસ’ની સારવારનો ખર્ચ હજારોથી લઈ કરોડો સુધી થવા જાય છે. જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર દુષ્કર બની જાય છે. કોરોનાની પહેલી લહેર વખતે પણ આ બીમારીના દર્દીઓમાં વધારો થયો હતો પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી મ્યુકર માઈકોસીસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
સુરતની કિરણ હોસ્પિટલમાં જ અત્યારસુધી મ્યુકર માઇકોસીસના 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે. જેમાંથી 10 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે હજી 60 દર્દીઓ કતારમાં છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ રોગ અવશ્ય મટી શકે છે પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે વધી જવા પામ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્યારે જેટલા પણ દર્દીઓ આવે છે તેઓ કોરોનાગ્રસ્ત હોય છે અથવા તો તેમને કોરોના મટી ગયો છે.