સારોલી રોડ ખાતે આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટમાં ઘટના બની
પુણા પોલીસની ટીમે માત્ર 6 જ મિનિટ માં પહોંચી આપઘાત કરવા જતાં એક યુવકને બચાવી લીધો
યુવકને યુક્તિપ્રયુક્તિથી સમજાવી ફોસલાવી તેને ચોથા માળને કોર્ડન કરી બચાવ્યો
WatchGujarat. હંમેશા લોકો કહેતા હોય છે કે પોલીસ ક્યારેય ટાઈમ પર નથી પહોંચતી. સુરતમાં પુણા પોલીસની ટીમે માત્ર 6 જ મિનિટ માં પહોંચી આપઘાત કરવા જતાં એક યુવકને બચાવી લીધો છે. સુરતના સારોલી રોડ ખાતે આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટમાં આ ઘટના બની હતી. અને આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
https://youtu.be/5AsdF1Y1-lI
હંમેશા લોકો કહેતા હોય છે કે પોલીસ ક્યારેય સમય પર પહોંચતી નથી. પણ સુરતમાં પુણા પોલીસ ના માત્ર સમયપર પહોંચી પણ આપઘાત કરવા જતાં એક યુવકનો જીવ પણ બચાવ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો કંટ્રોલરૂમમાંથી માહિતી મળી હતી કે સુરતના સારોલી રોડ પર આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટના ચોથા માળે એક યુવક દુકાન બંધ કરવા બાબતે ઝગડો કરે છે.
[caption id="attachment_309383" align="aligncenter" width="300"] પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. રોહિત[/caption]
કંટ્રોલ રૂમમાંથી ફોન મળતા જ પીસીઆર 24માં કામ કરતા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. રોહિત, પોલીસ કોન્સ્ટેબલ રણછોડભાઈ વાલાભાઈ અને કાનાભાઈ વાજાભાઈ માત્ર 6 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં વોચમેને જણાવ્યું હતું કે કાપડ વેપારી પૈસા ન આપતા એક ઈસમ હાથમાં કાતર લઈ આપઘાતની કોશિશ કરી રહ્યો છે. જેથી મહિલા પીએસઆઈ અને તેની ટિમ તાત્કાલિક લિફ્ટ મારફતે ચોથા માળે પહોંચી ગયી હતી. અને બાદમાં યુવકને યુક્તિપ્રયુક્તિથી સમજાવી ફોસલાવી તેને ચોથા માળને કોર્ડન કરી તેનો જીવ બચાવી લીધો હતો.
કાપડ વેપારી પૈસા ના ચૂકવતા કંટાળી આપઘાતનો કર્યો હતો પ્રયાસ
પોલીસે યુવકને બચાવી તેને શાંત કર્યો હતો અને તેની પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાનું નામ 46 વર્ષીય મહેન્દ્ર પાંડુરંગભાઈ ઉતિગર હોવાનું અને તે ભટર ખાતે આવેલી સાઈનગર સોસાયટીમાં રહેતો જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે એસ.એમ.ટી.એમ માં બેસ્ટ વન ક્રિએશનના માલિક રજનીભાઈ વસોયા પાસેથી તેને કાપડના બાકી નીકળતા નાણાં લેવાના હતા. તે નાણાં વેપારી આપતો ન હતો. અવાર નવાર ઉઘરાણી કરવા છતાં તે વાયદાઓ જ કરતો હતો. જેથી આખરે કંટાળી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તેને સમજાવી પુણા પોલીસ મથક લઈ ગયી હતી.
અગાઉ અઠવા પોલીસ મથકના પીસીઆર વાનના કર્મચારીએ મહિલાનો બચાવ્યો હતો જીવ
થોડા દિવસો અગાઉ સુરતના અઠવા વિસ્તારમાં આપઘાત કરવા જઈ રહેલી મહિલાને પીસીઆર વાન ચાલકે દરવાજો તોડી જીવ બચાવ્યો હતો. મહિલાએ પરીવારિક ઝગડામાં ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી રહી હતી. અને આ મામલે કંટ્રોલ રૂમમાં મહિલાની દીકરીએ જાણ કરતા પીસીઆરવાંન કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને દરવાજો તોડી મહિલાનો જીવ બચાવ્યો હતો. જેનું પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સન્માન પણ કર્યું હતું.
સારોલી રોડ ખાતે આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટમાં ઘટના બની
પુણા પોલીસની ટીમે માત્ર 6 જ મિનિટ માં પહોંચી આપઘાત કરવા જતાં એક યુવકને બચાવી લીધો
યુવકને યુક્તિપ્રયુક્તિથી સમજાવી ફોસલાવી તેને ચોથા માળને કોર્ડન કરી બચાવ્યો
WatchGujarat. હંમેશા લોકો કહેતા હોય છે કે પોલીસ ક્યારેય ટાઈમ પર નથી પહોંચતી. સુરતમાં પુણા પોલીસની ટીમે માત્ર 6 જ મિનિટ માં પહોંચી આપઘાત કરવા જતાં એક યુવકને બચાવી લીધો છે. સુરતના સારોલી રોડ ખાતે આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટમાં આ ઘટના બની હતી. અને આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
હંમેશા લોકો કહેતા હોય છે કે પોલીસ ક્યારેય સમય પર પહોંચતી નથી. પણ સુરતમાં પુણા પોલીસ ના માત્ર સમયપર પહોંચી પણ આપઘાત કરવા જતાં એક યુવકનો જીવ પણ બચાવ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો કંટ્રોલરૂમમાંથી માહિતી મળી હતી કે સુરતના સારોલી રોડ પર આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટના ચોથા માળે એક યુવક દુકાન બંધ કરવા બાબતે ઝગડો કરે છે.
કંટ્રોલ રૂમમાંથી ફોન મળતા જ પીસીઆર 24માં કામ કરતા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. રોહિત, પોલીસ કોન્સ્ટેબલ રણછોડભાઈ વાલાભાઈ અને કાનાભાઈ વાજાભાઈ માત્ર 6 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં વોચમેને જણાવ્યું હતું કે કાપડ વેપારી પૈસા ન આપતા એક ઈસમ હાથમાં કાતર લઈ આપઘાતની કોશિશ કરી રહ્યો છે. જેથી મહિલા પીએસઆઈ અને તેની ટિમ તાત્કાલિક લિફ્ટ મારફતે ચોથા માળે પહોંચી ગયી હતી. અને બાદમાં યુવકને યુક્તિપ્રયુક્તિથી સમજાવી ફોસલાવી તેને ચોથા માળને કોર્ડન કરી તેનો જીવ બચાવી લીધો હતો.
કાપડ વેપારી પૈસા ના ચૂકવતા કંટાળી આપઘાતનો કર્યો હતો પ્રયાસ
પોલીસે યુવકને બચાવી તેને શાંત કર્યો હતો અને તેની પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાનું નામ 46 વર્ષીય મહેન્દ્ર પાંડુરંગભાઈ ઉતિગર હોવાનું અને તે ભટર ખાતે આવેલી સાઈનગર સોસાયટીમાં રહેતો જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે એસ.એમ.ટી.એમ માં બેસ્ટ વન ક્રિએશનના માલિક રજનીભાઈ વસોયા પાસેથી તેને કાપડના બાકી નીકળતા નાણાં લેવાના હતા. તે નાણાં વેપારી આપતો ન હતો. અવાર નવાર ઉઘરાણી કરવા છતાં તે વાયદાઓ જ કરતો હતો. જેથી આખરે કંટાળી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તેને સમજાવી પુણા પોલીસ મથક લઈ ગયી હતી.
થોડા દિવસો અગાઉ સુરતના અઠવા વિસ્તારમાં આપઘાત કરવા જઈ રહેલી મહિલાને પીસીઆર વાન ચાલકે દરવાજો તોડી જીવ બચાવ્યો હતો. મહિલાએ પરીવારિક ઝગડામાં ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી રહી હતી. અને આ મામલે કંટ્રોલ રૂમમાં મહિલાની દીકરીએ જાણ કરતા પીસીઆરવાંન કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને દરવાજો તોડી મહિલાનો જીવ બચાવ્યો હતો. જેનું પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સન્માન પણ કર્યું હતું.