યાર્નના વેપારીએ પુત્રને સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યા બાદ ઘટના ઘટી
ગુરૂવારે વહેલી સવારે સાયકલ ચલાવવા ગયા બાદ પરત આવતા પિતાએ પુત્રને સાયકલ ન ચલાવવા જણાવ્યું
સગીર બાળકે પોતાના ઘટના બાદ બપોરે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
WatchGujarat. સુરતના વેસુ વિસ્તારમાં યાર્નના વેપારીના 17 વર્ષીય પુત્રએ પોતાના રૂમમાં જઈ ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પિતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા પુત્રએ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરુ કરી છે. પુત્રના આપઘાતના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ટેકનોલોજીના સમયમાં વાલીઓ અને બાળકો વચ્ચેની ખાઇ વધી ચુકી છે. જો બાળકો જોડે કોઇ મામલે સમજાવટનો રસ્તો પસંદ ન કરીને ઠપકો આપવામાં આવે તો બાળકો જીવનનું અંતિમ પગલું પણ ભરતા વિચારતા નથી. સુરતમાં વાલીઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેસુ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિકાસભાઈ ઝુનઝુનવાલા યાર્નનો વેપાર કરે છે. તેમનો 17 વર્ષીય પુત્ર ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. ગુરુવારે વહેલી સવારે પુત્ર સાઈકલ ચલાવવા માટે ગયો હતો. સાઈકલ ચલાવી પરત આવેલા પુત્રને પિતા વિકાસભાઈએ ઠપકો આપ્યો હતો અને સાઈકલ ચલાવવા જવાની ના પાડી હતી.
દરમિયાન ગતરોજ બપોરે પુત્રએ પોતાના ઘરમાં પંખા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન
પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હોવાથી તેના કારણે માઠુ લાગી આવતા તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.
ગુરૂવારે વહેલી સવારે સાયકલ ચલાવવા ગયા બાદ પરત આવતા પિતાએ પુત્રને સાયકલ ન ચલાવવા જણાવ્યું
સગીર બાળકે પોતાના ઘટના બાદ બપોરે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
WatchGujarat. સુરતના વેસુ વિસ્તારમાં યાર્નના વેપારીના 17 વર્ષીય પુત્રએ પોતાના રૂમમાં જઈ ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પિતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા પુત્રએ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરુ કરી છે. પુત્રના આપઘાતના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ટેકનોલોજીના સમયમાં વાલીઓ અને બાળકો વચ્ચેની ખાઇ વધી ચુકી છે. જો બાળકો જોડે કોઇ મામલે સમજાવટનો રસ્તો પસંદ ન કરીને ઠપકો આપવામાં આવે તો બાળકો જીવનનું અંતિમ પગલું પણ ભરતા વિચારતા નથી. સુરતમાં વાલીઓ માટે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેસુ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિકાસભાઈ ઝુનઝુનવાલા યાર્નનો વેપાર કરે છે. તેમનો 17 વર્ષીય પુત્ર ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. ગુરુવારે વહેલી સવારે પુત્ર સાઈકલ ચલાવવા માટે ગયો હતો. સાઈકલ ચલાવી પરત આવેલા પુત્રને પિતા વિકાસભાઈએ ઠપકો આપ્યો હતો અને સાઈકલ ચલાવવા જવાની ના પાડી હતી.
દરમિયાન ગતરોજ બપોરે પુત્રએ પોતાના ઘરમાં પંખા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન
પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હોવાથી તેના કારણે માઠુ લાગી આવતા તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.