સુરતમાં ટેક્સટાઇલ, હીરા બજારના આગ્રણીઓએ વીકેન્ડમાં સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું
ફોસ્ટા દ્વારા વેપારીઓ સાથે બેઠક બાદ સંક્રમણ ન વધે તે હેતુથી સ્વૈચ્છીક લોકડાઉનનો નિણર્ય લેવામાં આવ્યો
મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો
જનતા શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો કે નહીં તે 30 એપ્રિલ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવાશે
Watchgujarat. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે લોકો જાણે સ્વયંભુ લોકડાઉન તરફ વળી રહ્યા છે. સુરતમાં તમામ ટેક્સટાઈલ માર્કેટોમાં આગામી તારીખ 17 અને 18 એપ્રિલ એટલે કે શનિ અને રવિવારના રોજ તમામ ટેક્સટાઇલ માર્કેટો બંધ રહેશે. આ ઉપરાંત મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ લોકોને જનતા શિસ્ત નામના કાર્યક્રમની જાહેરાત કરી સ્વયંભુ લોકડાઉન પાળવા અપીલ કરી છે
કાપડ માર્કેટ શનિ અને રવિવારે બંધ રહેશે
સુરતમાં વધતા જતા સંક્મ્રણને લઈને સુરતમાં ફરી એક વખત કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોસ્ટા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે તારીખ 17 અને 18 એપ્રિલ એટલે કે શનિ અને રવિવારના રોજ તમામ ટેકસટાઈલ માર્કેટો બંધ રહેશે. ફોસ્ટા દ્વારા વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.અને બેઠક બાદ સંક્રમણ ન વધે તે હેતુથી આ નિણર્ય લેવામાં આવ્યો છે.
હીરા બજારો પણ બંધ રહેશે
સુરતમાં હીરા અને ટેકસટાઈલ એમ બે મોટા ઉધોગો છે. અને સુરત આ બે ઉઘોગોને લઈને દેશભરમાં જાણીતું છે. ત્યારે સુરતમાં હીરા બજાર પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના તમામ સભ્યો શનિ અને રવિવારના રોજ કામથી અળગા રહી ઘરે જ રહેશે અને સેલ્ફ લોકડાઉનનું પાલન કરશે. સાથે જ તેઓએ લોકોને પણ આવી રીતે સેલ્ફ લોકડાઉન પાળવા અપીલ કરી હતી. મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી. આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે. આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે, હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. 30 એપ્રિલ 2021 સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. 30 એપ્રિલ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવાશે.
સુરતમાં ટેક્સટાઇલ, હીરા બજારના આગ્રણીઓએ વીકેન્ડમાં સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું
ફોસ્ટા દ્વારા વેપારીઓ સાથે બેઠક બાદ સંક્રમણ ન વધે તે હેતુથી સ્વૈચ્છીક લોકડાઉનનો નિણર્ય લેવામાં આવ્યો
મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો
જનતા શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો કે નહીં તે 30 એપ્રિલ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવાશે
Watchgujarat. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે લોકો જાણે સ્વયંભુ લોકડાઉન તરફ વળી રહ્યા છે. સુરતમાં તમામ ટેક્સટાઈલ માર્કેટોમાં આગામી તારીખ 17 અને 18 એપ્રિલ એટલે કે શનિ અને રવિવારના રોજ તમામ ટેક્સટાઇલ માર્કેટો બંધ રહેશે. આ ઉપરાંત મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ લોકોને જનતા શિસ્ત નામના કાર્યક્રમની જાહેરાત કરી સ્વયંભુ લોકડાઉન પાળવા અપીલ કરી છે
કાપડ માર્કેટ શનિ અને રવિવારે બંધ રહેશે
સુરતમાં વધતા જતા સંક્મ્રણને લઈને સુરતમાં ફરી એક વખત કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોસ્ટા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે તારીખ 17 અને 18 એપ્રિલ એટલે કે શનિ અને રવિવારના રોજ તમામ ટેકસટાઈલ માર્કેટો બંધ રહેશે. ફોસ્ટા દ્વારા વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.અને બેઠક બાદ સંક્રમણ ન વધે તે હેતુથી આ નિણર્ય લેવામાં આવ્યો છે.
હીરા બજારો પણ બંધ રહેશે
સુરતમાં હીરા અને ટેકસટાઈલ એમ બે મોટા ઉધોગો છે. અને સુરત આ બે ઉઘોગોને લઈને દેશભરમાં જાણીતું છે. ત્યારે સુરતમાં હીરા બજાર પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનના તમામ સભ્યો શનિ અને રવિવારના રોજ કામથી અળગા રહી ઘરે જ રહેશે અને સેલ્ફ લોકડાઉનનું પાલન કરશે. સાથે જ તેઓએ લોકોને પણ આવી રીતે સેલ્ફ લોકડાઉન પાળવા અપીલ કરી હતી. મહિધરપુરા, મીનીબજાર, ચોકસી બજાર, સહીત સુરતના તમામ હીરાબજાર બંધ રાખી કામકાજથી અળગા રહી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી. આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે. આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે, હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. 30 એપ્રિલ 2021 સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. 30 એપ્રિલ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવાશે.