કોરોનાના નવા સ્ટ્રેઇને કારણે તંત્ર દ્વારા હવે લોકોને ઘરે રહીને કોરોનાને હરાવવા માટે અપીલ કરાઇ
બીજી વેવમાં નવો સ્ટ્રેઇન શરીરમાં વધુ ઝડપી પ્રસરીને સંક્રમણ ફેલાવી રહ્યો છે
કોરોનાની વેક્સીન લેવાની સાથે કોવિડ - 19 માર્ગદર્શિકાનું પાલન કરવા માટે મ્યુનિ. કમિ. દ્વારા અપીલ
કોરોનાને અટકાવવા માટે રીવર્સ ક્વોરન્ટાઇનની નીતિ અપનાવાનું સુચન
WatchGujarat. ચુંટણી બાદથી લઇને રાજ્યભરમાં કોરોનાનો પ્રચંડ વ્યાપ વધ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કોરોનાને નાથવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો બીજુ તરફ સરકાર દ્વારા વેક્સીન લેવા માટેની ઉંમર વધારી દેવામાં આવે છે. તથા વેક્સીનેશનના વધારે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ કોરોનાનો કહેર વધતા શુક્રવારે પાલિકા તંત્ર દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી.
પહેલા 5 – 7 દિવસમાં થતો ન્યુમોનિયા હવે ઝપડી પ્રસરી રહ્યો છે
અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનો નવે સ્ટ્રેઇન ખુ બ જ વધારે ચેપી છે. અગાઉના જે કોરોના વાઇરસના સ્ટ્રેઇન હતા તેના કરતા પણ ખુબ જ વધારે ચેપી છે. અને ખુબ વધઘારે પ્રમાણમાં મલ્ટીપ્લીકેશન થતા હોવાથી વાયરસ ઝડપથી ફેંફસાની અંદર પ્રવેશી શકે છે. અને ફેંફસામાં ન્યુમોનિયા કરી શકે છે. અત્યારે કોવિડના લક્ષણો જુદા છે. કફ, તાવ, અને ક્યારેક જણાતા નથી પણ કોવિડ પોઝીટીવ થતા હોય છે. જોઇન્ટ પેઇન, વીકનેસ, ખાવાની ઇચ્છા ન થવી એવા લક્ષણો લઇ શરરની અંદરો અંદર ન્યુમોનિયા કરી શકે છે. એટલે એમાં શરીરની કંડીશન ખરાબ થાય છે. પહેલા 5 – 7 દિવસમાં ન્યુમોનિયા થતો હતો અત્યારે ઓછા સમયમાં ન્યુમોનિયા થાય છે.
રીવર્સ કોરોન્ટાઇનની નિતિ અપનાવવી હિતાવહ
તમામ સોસાયટી ક્લબ બંધ રાખવામાં આવે, જેટલું શક્ય હોય તેટલું વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે, કોઇ પણ અગત્યના કામ ન હોય તો ઘરેથી નિકળવું નહિ. કોઇ પણ વ્યક્તિઓને આજુ – બાજુ ખાલી મળવા માટે તેમજ અગત્યના કામ ન હોય તો મળવાનું ટાળવું. રીવર્સ કોરોન્ટાઇનની નિતિ અપનાવવી હિતાવહ છે.
જેટલું શક્ય હોય તેટલું બાળકોને વડીલોને ઘરમાં જ રાખો
બાડકો અને વડીલોને ચેપ ન લાગે તે માટે તમામ તકેદારી રાખવી. બાળકો અને વડીલોને ચેપ ન લાગે તે માટે માસ્ક પહેરવાનું જ છે. જેટલું શક્ય હોય તેટલું બાળકોને વડીલોને ઘરમાં જ રાખવા. સુરત મહાનગર પાલિકા અને પોલીસને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મદદ કરવી. તમામ એલીજીબલ લોકો અચુક વેક્સીન લે. વેક્સીન સુરક્ષિત છે. વેક્સીનેશનથી હોસ્પિટલાઇઝેશનનું જોખમ ઓછું થાય છે. તમામ લોકો સંક્રમણના ઉપાય રૂપે કોવિડ – 19 માર્ગદર્શિકાનું પાલન કરે અને સુરક્ષીત રહે તેવી અપીલ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરવામાં આવી હતી.
કોરોનાના નવા સ્ટ્રેઇને કારણે તંત્ર દ્વારા હવે લોકોને ઘરે રહીને કોરોનાને હરાવવા માટે અપીલ કરાઇ
બીજી વેવમાં નવો સ્ટ્રેઇન શરીરમાં વધુ ઝડપી પ્રસરીને સંક્રમણ ફેલાવી રહ્યો છે
કોરોનાની વેક્સીન લેવાની સાથે કોવિડ - 19 માર્ગદર્શિકાનું પાલન કરવા માટે મ્યુનિ. કમિ. દ્વારા અપીલ
કોરોનાને અટકાવવા માટે રીવર્સ ક્વોરન્ટાઇનની નીતિ અપનાવાનું સુચન
WatchGujarat. ચુંટણી બાદથી લઇને રાજ્યભરમાં કોરોનાનો પ્રચંડ વ્યાપ વધ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કોરોનાને નાથવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો બીજુ તરફ સરકાર દ્વારા વેક્સીન લેવા માટેની ઉંમર વધારી દેવામાં આવે છે. તથા વેક્સીનેશનના વધારે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ કોરોનાનો કહેર વધતા શુક્રવારે પાલિકા તંત્ર દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી.
પહેલા 5 – 7 દિવસમાં થતો ન્યુમોનિયા હવે ઝપડી પ્રસરી રહ્યો છે
અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનો નવે સ્ટ્રેઇન ખુ બ જ વધારે ચેપી છે. અગાઉના જે કોરોના વાઇરસના સ્ટ્રેઇન હતા તેના કરતા પણ ખુબ જ વધારે ચેપી છે. અને ખુબ વધઘારે પ્રમાણમાં મલ્ટીપ્લીકેશન થતા હોવાથી વાયરસ ઝડપથી ફેંફસાની અંદર પ્રવેશી શકે છે. અને ફેંફસામાં ન્યુમોનિયા કરી શકે છે. અત્યારે કોવિડના લક્ષણો જુદા છે. કફ, તાવ, અને ક્યારેક જણાતા નથી પણ કોવિડ પોઝીટીવ થતા હોય છે. જોઇન્ટ પેઇન, વીકનેસ, ખાવાની ઇચ્છા ન થવી એવા લક્ષણો લઇ શરરની અંદરો અંદર ન્યુમોનિયા કરી શકે છે. એટલે એમાં શરીરની કંડીશન ખરાબ થાય છે. પહેલા 5 – 7 દિવસમાં ન્યુમોનિયા થતો હતો અત્યારે ઓછા સમયમાં ન્યુમોનિયા થાય છે.
રીવર્સ કોરોન્ટાઇનની નિતિ અપનાવવી હિતાવહ
તમામ સોસાયટી ક્લબ બંધ રાખવામાં આવે, જેટલું શક્ય હોય તેટલું વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે, કોઇ પણ અગત્યના કામ ન હોય તો ઘરેથી નિકળવું નહિ. કોઇ પણ વ્યક્તિઓને આજુ – બાજુ ખાલી મળવા માટે તેમજ અગત્યના કામ ન હોય તો મળવાનું ટાળવું. રીવર્સ કોરોન્ટાઇનની નિતિ અપનાવવી હિતાવહ છે.
જેટલું શક્ય હોય તેટલું બાળકોને વડીલોને ઘરમાં જ રાખો
બાડકો અને વડીલોને ચેપ ન લાગે તે માટે તમામ તકેદારી રાખવી. બાળકો અને વડીલોને ચેપ ન લાગે તે માટે માસ્ક પહેરવાનું જ છે. જેટલું શક્ય હોય તેટલું બાળકોને વડીલોને ઘરમાં જ રાખવા. સુરત મહાનગર પાલિકા અને પોલીસને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મદદ કરવી. તમામ એલીજીબલ લોકો અચુક વેક્સીન લે. વેક્સીન સુરક્ષિત છે. વેક્સીનેશનથી હોસ્પિટલાઇઝેશનનું જોખમ ઓછું થાય છે. તમામ લોકો સંક્રમણના ઉપાય રૂપે કોવિડ – 19 માર્ગદર્શિકાનું પાલન કરે અને સુરક્ષીત રહે તેવી અપીલ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરવામાં આવી હતી.