પીપલોદ વિસ્તારમાં માતા-પુત્રએ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણમાં આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે
ફોન ન ઉપાડતા મહર્ષનો મિત્ર તેના ઘરે પહોંચી ગયો હતો
WatchGujarat. સુરતના પીપલોદ વિસ્તારમાં માતા-પુત્રએ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણમાં આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સુસાઈડ નોટ સામે આવી છે. મહર્ષિએ લખેલી સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું અને લોનમાં ફસાઈ ગયો છું, જેને કારણે આ પગલું ભરું છું. આના માટે હું જ જવાબદાર છું. કોઈની પૂછપરછ કરવી નહીં, મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા.
સુરતના પીપલોદના મિલેનો હાઈટ્સમાં રહેતા 37 વર્ષીય મહર્ષ પરેશભાઈ પારેખ તેમની 56 વર્ષીય માતા ભારતીબેન પારેખ તેમની પત્ની અને એક ૫ વર્ષના પુત્ર સાથે રહેતો હતો. ગતરોજ સાંજે તેની અને તેના માતાએ ઘરમાં ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે તપાસ શરુ કરી છે.
મુતકના મિત્ર ફેનીલે જણાવ્યું હતું કે સોમવારે તેણે મહર્ષને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી સાંજે તે તેના ઘરે ગયો હતો. ઘરે જઈ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. જેથી તેને શંકા જતા આસપાસ પડોશીની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં મહર્ષ અને તેની માતા ભારતીબેન લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
પત્નીને પરત ઘરે આવવા બોલાતો હતો પણ પત્ની આવતી ન હતી
મૃતક મહર્ષ ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલો હતો. મહર્ષ એકના એક પાંચ વર્ષના પુત્ર અને તેની પત્નીને 15 દિવસ અગાઉ પિયર છોડી આવ્યો હતો. મહર્ષિના પહેલા લગ્નમાં છૂટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતા અને બીજા લગ્નજીવન દરમિયાન એક પુત્રી પણ છે. મહર્ષિ પત્નીને બોલાવતો હતો, પરંતુ તે પિયરથી આવતી ન હતી અને બધું પતાવી દે પછી આવીશ એવું કહેતી હતી. મહર્ષના પિતાનું 5 વર્ષ પહેલાં મોત થયું હતું.
બે-ત્રણ દિવસથી અંગત મિત્ર સમક્ષ આપઘાતની વાતો કરતો
મૃતક મહર્ષ ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલો હતો. બે-ત્રણ દિવસથી અંગત મિત્ર સમક્ષ આપઘાતની વાતો કરતો હોવાથી સોમવારે સાંજે ફોન ન ઉપાડતાં મિત્ર ઘરે દોડી ગયો હતો, જ્યાં ફ્લેટનો દરવાજો તોડી અંદર જોતાં માતા-પુત્ર એક જ હુંક સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતાં.
માતાનું શું થશે તેવું વિચારી માતાને પણ આપઘાત માટે તૈયાર કર્યા
પોતાના આપઘાત બાદ માતાનું શું થશે તેવી ચિતા પણ તેને હતી. પરંતુ ડીપ્રેશનમાં આવી ગયેલા મહર્ષિએ પોતાની માતાને પણ આપઘાત કરવા માટે તૈયાર કરી લીધી હતી. અને આખરે બંનેએ આપઘાત કરી લીધો હતો
સમાજ માટે શરમજનક કિસ્સો
આર્થિક સંકડામણમાં આવી આખરે પોતાની માં ને પણ આપઘાત માટે તૈયાર કરવા પડે અને આવું પગલું ભરે તેવો આ કિસ્સો સમાજ માટે શરમજનક છે. તેના પરિવારના સભ્યો, મિત્રોએ જો જરાક પણ હિમ્મત અને હૂફ આપી હોતે તો કદાચ આ ઘટના નહિ બનતી.
પીપલોદ વિસ્તારમાં માતા-પુત્રએ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણમાં આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે
ફોન ન ઉપાડતા મહર્ષનો મિત્ર તેના ઘરે પહોંચી ગયો હતો
WatchGujarat. સુરતના પીપલોદ વિસ્તારમાં માતા-પુત્રએ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણમાં આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સુસાઈડ નોટ સામે આવી છે. મહર્ષિએ લખેલી સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું અને લોનમાં ફસાઈ ગયો છું, જેને કારણે આ પગલું ભરું છું. આના માટે હું જ જવાબદાર છું. કોઈની પૂછપરછ કરવી નહીં, મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા.
સુરતના પીપલોદના મિલેનો હાઈટ્સમાં રહેતા 37 વર્ષીય મહર્ષ પરેશભાઈ પારેખ તેમની 56 વર્ષીય માતા ભારતીબેન પારેખ તેમની પત્ની અને એક ૫ વર્ષના પુત્ર સાથે રહેતો હતો. ગતરોજ સાંજે તેની અને તેના માતાએ ઘરમાં ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે તપાસ શરુ કરી છે.
મુતકના મિત્ર ફેનીલે જણાવ્યું હતું કે સોમવારે તેણે મહર્ષને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી સાંજે તે તેના ઘરે ગયો હતો. ઘરે જઈ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. જેથી તેને શંકા જતા આસપાસ પડોશીની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં મહર્ષ અને તેની માતા ભારતીબેન લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
પત્નીને પરત ઘરે આવવા બોલાતો હતો પણ પત્ની આવતી ન હતી
મૃતક મહર્ષ ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલો હતો. મહર્ષ એકના એક પાંચ વર્ષના પુત્ર અને તેની પત્નીને 15 દિવસ અગાઉ પિયર છોડી આવ્યો હતો. મહર્ષિના પહેલા લગ્નમાં છૂટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતા અને બીજા લગ્નજીવન દરમિયાન એક પુત્રી પણ છે. મહર્ષિ પત્નીને બોલાવતો હતો, પરંતુ તે પિયરથી આવતી ન હતી અને બધું પતાવી દે પછી આવીશ એવું કહેતી હતી. મહર્ષના પિતાનું 5 વર્ષ પહેલાં મોત થયું હતું.
બે-ત્રણ દિવસથી અંગત મિત્ર સમક્ષ આપઘાતની વાતો કરતો
મૃતક મહર્ષ ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલો હતો. બે-ત્રણ દિવસથી અંગત મિત્ર સમક્ષ આપઘાતની વાતો કરતો હોવાથી સોમવારે સાંજે ફોન ન ઉપાડતાં મિત્ર ઘરે દોડી ગયો હતો, જ્યાં ફ્લેટનો દરવાજો તોડી અંદર જોતાં માતા-પુત્ર એક જ હુંક સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતાં.
માતાનું શું થશે તેવું વિચારી માતાને પણ આપઘાત માટે તૈયાર કર્યા
પોતાના આપઘાત બાદ માતાનું શું થશે તેવી ચિતા પણ તેને હતી. પરંતુ ડીપ્રેશનમાં આવી ગયેલા મહર્ષિએ પોતાની માતાને પણ આપઘાત કરવા માટે તૈયાર કરી લીધી હતી. અને આખરે બંનેએ આપઘાત કરી લીધો હતો
સમાજ માટે શરમજનક કિસ્સો
આર્થિક સંકડામણમાં આવી આખરે પોતાની માં ને પણ આપઘાત માટે તૈયાર કરવા પડે અને આવું પગલું ભરે તેવો આ કિસ્સો સમાજ માટે શરમજનક છે. તેના પરિવારના સભ્યો, મિત્રોએ જો જરાક પણ હિમ્મત અને હૂફ આપી હોતે તો કદાચ આ ઘટના નહિ બનતી.