ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરતી હતી
મોલમાં કામ કરતા રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી
સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતાં
WatchGujarat. સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા એક મુકબધીર ફિયાન્સ અને ફિયાન્સની લાશ બાથરૂમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. મંગળવારની સાંજે બંન્નેના મૃતદેહ બાથરૂમમાં મળી આવ્યા હતા. ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુકબધીર કપલની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની વિગત વાર વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં મૂળ ધરમપુર વલસાડની 21 વર્ષીય ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલરપરિવાર સાથે રહેતી હતી. પરિવારની એકની એક દીકરી હતી. એ પણ મૂક-બધિર હતી. તેનો એક ભાઈ અને પિતા દરજી કામ કરે છે. ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરતી હતી. તેની સુરતના નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી.
5 દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેતી હતી. એપ્રિલમાં લગ્ન લેવાની વાત કરતા હતા. મૂક-બધિર અર્પિત મોલમાં નોકરી કરતો હતો. અને પિતા આયુર્વેદિકનું દવાખાનું ચલાવે છે. 31 જાન્યુઆરીના રોજ અર્પિતની ધ્રુતિકુમારી સાથે સગાઈ થઈ હતી. દરમિયાન છેલ્લા પાંચ દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેવા આવી હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતાં હતાં.
બાથરૂમમાં લાશ મળી આવી
ગત રોજ સાંજે અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ ભાઈ અને ભાભી ન દેખાતાં શોધખોળ કરી તો બાથરૂમમાંથી મૃત મળી આવ્યા હતા, જેથી 108 બાદ પોલીસને જાણ કરી હતા. બાથરૂમમાં ગીઝર-ગેસનું લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે બાથરૂમમાંથી બંને મૃત મળ્યા એનો પાણીનો નળ પણ ચાલુ હતો અને દરવાજો પણ ખુલ્લો હતો. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધીર છે.
ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરતી હતી
મોલમાં કામ કરતા રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી
સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતાં
WatchGujarat. સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા એક મુકબધીર ફિયાન્સ અને ફિયાન્સની લાશ બાથરૂમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. મંગળવારની સાંજે બંન્નેના મૃતદેહ બાથરૂમમાં મળી આવ્યા હતા. ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુકબધીર કપલની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની વિગત વાર વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં મૂળ ધરમપુર વલસાડની 21 વર્ષીય ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલરપરિવાર સાથે રહેતી હતી. પરિવારની એકની એક દીકરી હતી. એ પણ મૂક-બધિર હતી. તેનો એક ભાઈ અને પિતા દરજી કામ કરે છે. ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરતી હતી. તેની સુરતના નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી.
5 દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેતી હતી. એપ્રિલમાં લગ્ન લેવાની વાત કરતા હતા. મૂક-બધિર અર્પિત મોલમાં નોકરી કરતો હતો. અને પિતા આયુર્વેદિકનું દવાખાનું ચલાવે છે. 31 જાન્યુઆરીના રોજ અર્પિતની ધ્રુતિકુમારી સાથે સગાઈ થઈ હતી. દરમિયાન છેલ્લા પાંચ દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેવા આવી હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતાં હતાં.
બાથરૂમમાં લાશ મળી આવી
ગત રોજ સાંજે અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ ભાઈ અને ભાભી ન દેખાતાં શોધખોળ કરી તો બાથરૂમમાંથી મૃત મળી આવ્યા હતા, જેથી 108 બાદ પોલીસને જાણ કરી હતા. બાથરૂમમાં ગીઝર-ગેસનું લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે બાથરૂમમાંથી બંને મૃત મળ્યા એનો પાણીનો નળ પણ ચાલુ હતો અને દરવાજો પણ ખુલ્લો હતો. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધીર છે.