જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો અને રોજગારીની શોધમાં તે ત્રણ મહિના પહેલા જ સુરત આવ્યો હતો
સુરતમાં તે રૂમ પાર્ટનર સાથે રહેતો હતો
દારૂના નશામાં તેણે એસીડ પી લીધું, અને એસીડ પીધા બાદ રૂમ પાર્ટનરને કહ્યું હતું કે મેં એસીડ પી લીધું છે
WatchGujarat. નશાના રવાડે ચડતા લોકો માટે સુરતમાં લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવક દારૂના નશામાં એસીડ ગટગટાવી ગયો હતો. જેથી સાથી મિત્રો તેને હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. અને રોજગારીની શોધમાં તે ત્રણ મહિના પહેલા જ સુરત આવ્યો હતો. અને સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. સુરતમાં તે રૂમ પાર્ટનર સાથે રહેતો હતો.
દારૂના નશામાં તેણે એસીડ પી લીધું હતું. અને એસીડ પીધા બાદ રૂમ પાર્ટનરને કહ્યું હતું કે મેં એસીડ પી લીધું છે. આ વાતને લઈને રૂમ પાર્ટનર મિત્રો ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે.
રૂમ પાર્ટનર પંકજ સ્વાઈએ જણાવ્યું હતું કે, 22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતાં જ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો હતો. ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો. ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાના હતા. પાંડેસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે.
જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો અને રોજગારીની શોધમાં તે ત્રણ મહિના પહેલા જ સુરત આવ્યો હતો
સુરતમાં તે રૂમ પાર્ટનર સાથે રહેતો હતો
દારૂના નશામાં તેણે એસીડ પી લીધું, અને એસીડ પીધા બાદ રૂમ પાર્ટનરને કહ્યું હતું કે મેં એસીડ પી લીધું છે
WatchGujarat. નશાના રવાડે ચડતા લોકો માટે સુરતમાં લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવક દારૂના નશામાં એસીડ ગટગટાવી ગયો હતો. જેથી સાથી મિત્રો તેને હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. અને રોજગારીની શોધમાં તે ત્રણ મહિના પહેલા જ સુરત આવ્યો હતો. અને સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. સુરતમાં તે રૂમ પાર્ટનર સાથે રહેતો હતો.
દારૂના નશામાં તેણે એસીડ પી લીધું હતું. અને એસીડ પીધા બાદ રૂમ પાર્ટનરને કહ્યું હતું કે મેં એસીડ પી લીધું છે. આ વાતને લઈને રૂમ પાર્ટનર મિત્રો ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે.
રૂમ પાર્ટનર પંકજ સ્વાઈએ જણાવ્યું હતું કે, 22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતાં જ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો હતો. ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો. ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાના હતા. પાંડેસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે.