સુરતીઓ ખાવા પીવાના શોખીન છે અને આગામી સમયમાં દશેરા અને ચંદી પડવા સહિતના તહેવારો આવી રહ્યા છે
આરોગ્ય વિભાગ દ્વરા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ શરૂ કરવામાં આવી
કોરોનાની મહામારી વચ્ચે કોઈ ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સુરતમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરાઇ
WatchGujarat. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આગામી દિવસોમાં દશેરા, ચંદી પડવા જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં તપાસ શરુ કરવામાં આવી રહી છે.
સુરતીઓ ખાવા પીવાના શોખીન છે અને આગામી સમયમાં દશેરા અને ચંદી પડવા સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે દશેરામાં જલેબી ફાફડા સુરતીઓ આરોગી જતા હોય છે. આ ઉપરાંત ચંદી પડવા પર ઘારી પણ લોકો આરોગતા હોય છે. જેને લઈને સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વરા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. દશેરામાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી સુરતીઓ આરોગી જતા હોય છે અને ચંદી પડવામાં પણ કરોડો રૂપિયાના ઘારી અને ભૂસું સુરતીઓ આરોગતા હોય છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કોઈ ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સુરતમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારોને ધ્યાનમાં લઈને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આખા શહેરમાં ટીમ બનાવીને સપોર્ટ પર જ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતેથી આવેલી ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ વાનને લઈને તપાસ શરૂ કરાઇ હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ રીપોર્ટ મળી જાય છે જેથી જો પદાર્થ અખાદ્ય હોય તો તેનો નાશ કરી શકાય અને કાયદાકીય પગલા ભરી શકાય.
સુરતીઓ ખાવા પીવાના શોખીન છે અને આગામી સમયમાં દશેરા અને ચંદી પડવા સહિતના તહેવારો આવી રહ્યા છે
આરોગ્ય વિભાગ દ્વરા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ શરૂ કરવામાં આવી
કોરોનાની મહામારી વચ્ચે કોઈ ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સુરતમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરાઇ
WatchGujarat. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આગામી દિવસોમાં દશેરા, ચંદી પડવા જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં તપાસ શરુ કરવામાં આવી રહી છે.
સુરતીઓ ખાવા પીવાના શોખીન છે અને આગામી સમયમાં દશેરા અને ચંદી પડવા સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે દશેરામાં જલેબી ફાફડા સુરતીઓ આરોગી જતા હોય છે. આ ઉપરાંત ચંદી પડવા પર ઘારી પણ લોકો આરોગતા હોય છે. જેને લઈને સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વરા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. દશેરામાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી સુરતીઓ આરોગી જતા હોય છે અને ચંદી પડવામાં પણ કરોડો રૂપિયાના ઘારી અને ભૂસું સુરતીઓ આરોગતા હોય છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કોઈ ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સુરતમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારોને ધ્યાનમાં લઈને માવા મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આખા શહેરમાં ટીમ બનાવીને સપોર્ટ પર જ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતેથી આવેલી ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ વાનને લઈને તપાસ શરૂ કરાઇ હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ રીપોર્ટ મળી જાય છે જેથી જો પદાર્થ અખાદ્ય હોય તો તેનો નાશ કરી શકાય અને કાયદાકીય પગલા ભરી શકાય.