સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે
મુંબઈ તરફથી વાવાઝોડું સુરત ના દરિયા કિનારા ખાતે આવી પહોંચશે - મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની
સુરતના ડુમસ અને સુવાલી દરિયા કિનારા તરફ લોકોને ન જવા માટે ખાસ સુચના
WatchGujarat. સુરતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે કામ વગર કોઈપણ વ્યક્તિએ ઘરની બહાર નિકળવાનું ટાળવા અપીલ કરાઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવીમાં આવી છે.
[audio ogg="https://watchgujarat.com/wp-content/uploads/2021/05/WhatsApp-Audio-2021-05-17-at-8.56.45-AM.ogg"][/audio]
સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે સવારથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને પવન ફૂંકાઇ રહ્યો છે. મોડી રાતે પણ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીના ભાગરૂપે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને તમામ અધિકારીઓ ફરજ ઉપર હાજર રહે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ માહિતી આપી કે, મુંબઈ તરફથી વાવાઝોડું સુરત ના દરિયા કિનારા ખાતે આવી પહોંચશે. જેના પરિણામે દરિયાકાંઠા માં રહેતા લોકોએ કાચા મકાનમાં હોય તો સ્થળાંતર કરીને તેમના માટે નજીકની શાળાઓ અને આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે. ત્યાં પહોંચી જવા વિનંતી કરી છે. પવન ફૂંકાવા ના કારણે કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય ઉપર અસર થઇ શકે છે. તેથી પાણી ના સપ્લાય ઉપર અસર થવાની શક્યતા છે. શહેરીજનોએ આજે અને કાલ ના દિવસ માટે પાણી સંગ્રહ કરી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તેમજ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
સુરતના ડુમસ અને સુવાલી દરિયા કિનારા તરફ લોકોને ન જવા માટે ખાસ સુચના કરવામાં આવી છે. થોડા સમય બાદ વાવાઝોડા ની અસર વધુ તીવ્ર દેખાઈ શકે છે. કાચા મકાનો કે ઝાડ પાસે કોઈએ પણ આશ્રય લેવાનો પ્રયાસ કરવો નહીં શહેરના મોટા હોર્ડિંગ્સ જોખમે તેને તાત્કાલિક ઉતારી લેવા પણ સૂચન કરાયું છે. ખાનગી બિલ્ડીંગ ઉપર લગાવવામાં આવેલા હોય તો જ સ્થિતિમાં હોય કે તૂટી પડે તેવી સ્થિતિમાં હોય તો તેને તાત્કાલિક અસરથી નીચે ઉતારી લેવા હિતાવહ છે.
સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે
મુંબઈ તરફથી વાવાઝોડું સુરત ના દરિયા કિનારા ખાતે આવી પહોંચશે - મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની
સુરતના ડુમસ અને સુવાલી દરિયા કિનારા તરફ લોકોને ન જવા માટે ખાસ સુચના
WatchGujarat. સુરતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે કામ વગર કોઈપણ વ્યક્તિએ ઘરની બહાર નિકળવાનું ટાળવા અપીલ કરાઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવીમાં આવી છે.
સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે સવારથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને પવન ફૂંકાઇ રહ્યો છે. મોડી રાતે પણ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીના ભાગરૂપે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને તમામ અધિકારીઓ ફરજ ઉપર હાજર રહે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ માહિતી આપી કે, મુંબઈ તરફથી વાવાઝોડું સુરત ના દરિયા કિનારા ખાતે આવી પહોંચશે. જેના પરિણામે દરિયાકાંઠા માં રહેતા લોકોએ કાચા મકાનમાં હોય તો સ્થળાંતર કરીને તેમના માટે નજીકની શાળાઓ અને આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે. ત્યાં પહોંચી જવા વિનંતી કરી છે. પવન ફૂંકાવા ના કારણે કોમ્યુનિકેશન અને પાવર સપ્લાય ઉપર અસર થઇ શકે છે. તેથી પાણી ના સપ્લાય ઉપર અસર થવાની શક્યતા છે. શહેરીજનોએ આજે અને કાલ ના દિવસ માટે પાણી સંગ્રહ કરી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તેમજ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
સુરતના ડુમસ અને સુવાલી દરિયા કિનારા તરફ લોકોને ન જવા માટે ખાસ સુચના કરવામાં આવી છે. થોડા સમય બાદ વાવાઝોડા ની અસર વધુ તીવ્ર દેખાઈ શકે છે. કાચા મકાનો કે ઝાડ પાસે કોઈએ પણ આશ્રય લેવાનો પ્રયાસ કરવો નહીં શહેરના મોટા હોર્ડિંગ્સ જોખમે તેને તાત્કાલિક ઉતારી લેવા પણ સૂચન કરાયું છે. ખાનગી બિલ્ડીંગ ઉપર લગાવવામાં આવેલા હોય તો જ સ્થિતિમાં હોય કે તૂટી પડે તેવી સ્થિતિમાં હોય તો તેને તાત્કાલિક અસરથી નીચે ઉતારી લેવા હિતાવહ છે.