સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં કચરો સાફ કરવા બાબતે થયેલી બબાલમાં પત્નીની સામે જ પતિનું ગળું દબાવી હત્યા
ખીજડાવાળી જોગણી માતાના મંદીરના ગેટના દાદરની બાજુમા ખુલ્લી જગ્યામા હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી
હત્યાની બંને ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
WatchGujarat. સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં ખટોદરા વિસ્તારમાં સફાઈ કર્મીની પત્નીની નજર સામે જ રસોઈયાએ પતિનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો બીજી તરફ અમરોલી વિસ્તારમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગયી છે.
પત્નીની નજર સામે જ ગળું દબાવી પતિની હત્યા
સુરતના અલથાણ સ્થિત શેલ્ટર હોમ આવેલું છે. અહી રહેતા લોકોની રસોઈની સગવડ માટે ટુનટુન રાજ શ્રીમધ્યેશ બિંદ અને સફાઈ માટે રેખાબેન મુકેશભાઇ સંગાડાને રખાઈ હતી. દરમ્યાન સાંજે 5 વાગ્યાની આસપાસ રસોઈયાએ રસોઈ દરમ્યાન કચરો કર્યો હતો. જેતીહ રેખાબેને તેને કચરો સાફ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને ટુનટુન ગુસ્સો થયો હતો અને મહિલા સાથે ઝગડો કરવા લાગ્યો હતો. આ દરમ્યાન મહિલાનો પતિ મુકેશ ત્યાં આવી પહોચ્યો હતો અને ઝગડો ન કરવા જણાવ્યું હતું. પરંતુ રોષે ભરાયેલો રસોઈયો મહિલાને છોડી તેના પતિ સાથે ઝગડા પર ઉતરી આવ્યો હતો. અને મારામારી કરી મુકેશનું ગળું દબાવી દીધું હતું. જેમાં મુકેશનું ગળું દબાવી દેતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પત્નીની સામે જ પતિની હત્યા થતા ત્યાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
અમરોલીમાં મંદિર પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી
સુરતના અમરોલી છાપરાભાઠા રોડ સ્થિત દેવદીપ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય શની નવલકિશોર શર્માની અમરોલી વિસ્તારમાં આવેલા ખીજડાવાળી જોગણી માતાના મંદીરના ગેટના દાદરની બાજુમા ખુલ્લી જગ્યામા હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં તીક્ષ્ણ હથીયાર વડે ડાબા પડખાના ભાગે એક ઘા તેમજ જમણા પગના જાંઘના પાછળના ભાગે બે જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મોત થયું હતું. વધુમાં મૃતક મૂળ બિહારનો વતની હતો અને સુરતમાં તે હીરાના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ગત સાંજે સન્ની ઘરેથી નીકળ્યો હતો અને ત્યાર બાદ તે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે અમરોલી પોલીસે તેના ભાઈ દીપક શર્માની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
- સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં કચરો સાફ કરવા બાબતે થયેલી બબાલમાં પત્નીની સામે જ પતિનું ગળું દબાવી હત્યા
- ખીજડાવાળી જોગણી માતાના મંદીરના ગેટના દાદરની બાજુમા ખુલ્લી જગ્યામા હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી
- હત્યાની બંને ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
WatchGujarat. સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં ખટોદરા વિસ્તારમાં સફાઈ કર્મીની પત્નીની નજર સામે જ રસોઈયાએ પતિનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો બીજી તરફ અમરોલી વિસ્તારમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગયી છે.
પત્નીની નજર સામે જ ગળું દબાવી પતિની હત્યા
સુરતના અલથાણ સ્થિત શેલ્ટર હોમ આવેલું છે. અહી રહેતા લોકોની રસોઈની સગવડ માટે ટુનટુન રાજ શ્રીમધ્યેશ બિંદ અને સફાઈ માટે રેખાબેન મુકેશભાઇ સંગાડાને રખાઈ હતી. દરમ્યાન સાંજે 5 વાગ્યાની આસપાસ રસોઈયાએ રસોઈ દરમ્યાન કચરો કર્યો હતો. જેતીહ રેખાબેને તેને કચરો સાફ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને ટુનટુન ગુસ્સો થયો હતો અને મહિલા સાથે ઝગડો કરવા લાગ્યો હતો. આ દરમ્યાન મહિલાનો પતિ મુકેશ ત્યાં આવી પહોચ્યો હતો અને ઝગડો ન કરવા જણાવ્યું હતું. પરંતુ રોષે ભરાયેલો રસોઈયો મહિલાને છોડી તેના પતિ સાથે ઝગડા પર ઉતરી આવ્યો હતો. અને મારામારી કરી મુકેશનું ગળું દબાવી દીધું હતું. જેમાં મુકેશનું ગળું દબાવી દેતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પત્નીની સામે જ પતિની હત્યા થતા ત્યાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
અમરોલીમાં મંદિર પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી
સુરતના અમરોલી છાપરાભાઠા રોડ સ્થિત દેવદીપ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય શની નવલકિશોર શર્માની અમરોલી વિસ્તારમાં આવેલા ખીજડાવાળી જોગણી માતાના મંદીરના ગેટના દાદરની બાજુમા ખુલ્લી જગ્યામા હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં તીક્ષ્ણ હથીયાર વડે ડાબા પડખાના ભાગે એક ઘા તેમજ જમણા પગના જાંઘના પાછળના ભાગે બે જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મોત થયું હતું. વધુમાં મૃતક મૂળ બિહારનો વતની હતો અને સુરતમાં તે હીરાના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ગત સાંજે સન્ની ઘરેથી નીકળ્યો હતો અને ત્યાર બાદ તે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે અમરોલી પોલીસે તેના ભાઈ દીપક શર્માની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.