મોટા વરાછા વિસ્તારમાં આવેલી પ્રિન્સેસ હાઉસ બિલ્ડીંગના 13માં માળેથી શિક્ષિકાએ મોતની છલાંગ લગાવી હતી
શિક્ષિકાએ ડિપ્રેશનમાં આવી આ પગલુ ભર્યું હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
શિક્ષિકાએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી
24 વર્ષીય જલ્પાબેન સરકાર શાળા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા
WatchGujarat. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડતી જાય છે. કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યાં છે. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહેલા સરકાર કર્મીઓ હવે કોરોના સંકટની કંટાળી ગયા હોય તેવો ઘાટ ધડાયો છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા સરકારી શાળાના શિક્ષિકોને કોરોના દર્દીઓના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે સરકારી શાળામાં ફરજ બજાવતી 24 વર્ષીય શિક્ષિકાએ ડિપ્રેશનમાં આવી જઇ બિલ્ડીંગના 13માં માળેથી મોતને છલાંગ લગાવી જીવનનો અંત લાવી દીધો હતો. જોકે આ સમગ્ર ઘટના મોબાઇલ ફોનમાં કેદ થઇ હતી.
https://twitter.com/WatchGujarat/status/1385891241859059713?s=08
શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જલરામ સોસાયટીમાં રહેત 24 વર્શીય જલ્પાબેન અરવિંદભિ મુરસીયા સરકાર શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. હલાની કોરોનાની વણસેલી પરિસ્થિતિમાં સરકારી શાળાના શિક્ષિકોને કોરોના દર્દીઓની સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. જેથી જલ્પાબેન પણ થોડા કોરોનાને લગતી સર્વેની કામગીરી ફાળવવામાં આવી હતી. જેના પરિણામે ગત તા. 19 માર્ચના રોજ જલ્પાબેન મોટ વરાછા વિસ્તારમાં આવેલી પ્રિન્સેસ હાઉસ બિલ્ડીંગમાં કોરોના સર્વેની કામગીરી માટે પહોંચ્યા હતા.
પ્રિન્સેસ હાઉસ બિલ્ડીંગમાં કોરોના સર્વેની કામગીરી માટે પહોંચેલા જલ્પાબેન અચાનક 13 માળની બિલ્ડીંગના છત ઉપર પહોંચી ગયા હતા. જ્યાં પાળી ઉપર ઉભા રહીં તેમણે મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા કેટલાક લોકોની નજર બિલ્ડીંગના છત પરની પાળી ઉપર ઉભેલી મહિલા પર પળી હતી. જોકે આ દ્રશ્યો જોનાર લોકો મહિલાને બચાવવા પહોંચે તે પહેલાજ જલ્પાબેનએ બિલ્ડીંગની છત પરથી પડતુ મૂકી મોતને વ્હાલુ કરી લીધું હતુ. બનાવને પગલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા જલ્પાબેન પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. પરંતુ તેમાં અપઘાત અંગેનુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતુ. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
24 વર્ષીય જલ્પાબેનના આપઘાતનુ કારણ ડિપ્રેશન હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. જોકે જલ્પાબેન કયા કારણોસર ડિપ્રેશનમાં હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગત તા., 19 માર્ચના રોજ બનેલી દુખઃદ ઘટનાનો વિડિઓ હાલ સોશીયલ મીડિયામાં વાઇરલ થયો છે.
મોટા વરાછા વિસ્તારમાં આવેલી પ્રિન્સેસ હાઉસ બિલ્ડીંગના 13માં માળેથી શિક્ષિકાએ મોતની છલાંગ લગાવી હતી
શિક્ષિકાએ ડિપ્રેશનમાં આવી આ પગલુ ભર્યું હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
શિક્ષિકાએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી
24 વર્ષીય જલ્પાબેન સરકાર શાળા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા
WatchGujarat. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડતી જાય છે. કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યાં છે. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહેલા સરકાર કર્મીઓ હવે કોરોના સંકટની કંટાળી ગયા હોય તેવો ઘાટ ધડાયો છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા સરકારી શાળાના શિક્ષિકોને કોરોના દર્દીઓના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે સરકારી શાળામાં ફરજ બજાવતી 24 વર્ષીય શિક્ષિકાએ ડિપ્રેશનમાં આવી જઇ બિલ્ડીંગના 13માં માળેથી મોતને છલાંગ લગાવી જીવનનો અંત લાવી દીધો હતો. જોકે આ સમગ્ર ઘટના મોબાઇલ ફોનમાં કેદ થઇ હતી.
શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જલરામ સોસાયટીમાં રહેત 24 વર્શીય જલ્પાબેન અરવિંદભિ મુરસીયા સરકાર શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. હલાની કોરોનાની વણસેલી પરિસ્થિતિમાં સરકારી શાળાના શિક્ષિકોને કોરોના દર્દીઓની સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. જેથી જલ્પાબેન પણ થોડા કોરોનાને લગતી સર્વેની કામગીરી ફાળવવામાં આવી હતી. જેના પરિણામે ગત તા. 19 માર્ચના રોજ જલ્પાબેન મોટ વરાછા વિસ્તારમાં આવેલી પ્રિન્સેસ હાઉસ બિલ્ડીંગમાં કોરોના સર્વેની કામગીરી માટે પહોંચ્યા હતા.
પ્રિન્સેસ હાઉસ બિલ્ડીંગમાં કોરોના સર્વેની કામગીરી માટે પહોંચેલા જલ્પાબેન અચાનક 13 માળની બિલ્ડીંગના છત ઉપર પહોંચી ગયા હતા. જ્યાં પાળી ઉપર ઉભા રહીં તેમણે મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા કેટલાક લોકોની નજર બિલ્ડીંગના છત પરની પાળી ઉપર ઉભેલી મહિલા પર પળી હતી. જોકે આ દ્રશ્યો જોનાર લોકો મહિલાને બચાવવા પહોંચે તે પહેલાજ જલ્પાબેનએ બિલ્ડીંગની છત પરથી પડતુ મૂકી મોતને વ્હાલુ કરી લીધું હતુ. બનાવને પગલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા જલ્પાબેન પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. પરંતુ તેમાં અપઘાત અંગેનુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતુ. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
24 વર્ષીય જલ્પાબેનના આપઘાતનુ કારણ ડિપ્રેશન હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. જોકે જલ્પાબેન કયા કારણોસર ડિપ્રેશનમાં હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગત તા., 19 માર્ચના રોજ બનેલી દુખઃદ ઘટનાનો વિડિઓ હાલ સોશીયલ મીડિયામાં વાઇરલ થયો છે.