સ્થાનિક તંત્ર દ્વારા યેન કેન પ્રકારે કોરોનાના આંકડા છુપાવવા માટે કાગળ પર જાદુગરી કરવામાં આવી રહી છે
ઉમરા સ્મશામાં સ્વજનની અંતિમ ક્રિયા કરવા માટે લોકોએ ઠાઠડીઓની કતારમાં વેઇટીંગમાં બેસવાનો વારો આવ્યો
સ્મશાનની સ્થિતી જોતા વહીવટી તંત્રની પોલ ખુલવાની સાથે કોરોનાની ભયાવહતાનો અંદાજો લગાડવા માટે કાફી છે
જો સમયસર પગલા લેવામાં નહિ આવે તો સ્થિતી વધુ વણસી શકે તેમ છે
Watchgujarat. સરકારી તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ કેસોના આંકડા અને કોરોનાથી મૃતદેહોના આંકડા છુપાવવામાં આવે છે તે હવે સૌ કોઇ માનતું થઇ ગયું છે. પરંતું આંકડા છુપાવવાના અગનખેલને કારણે હવે લોકોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ઉમરા સ્મશાવમાં તો સ્થિતી એ હદે વિકટ છે કે લોકોએ પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે ઠાઠડીઓની લાઇનોમાં ઉભુ રહી પોતાનો વારો આવે તેની રાહ જોવી પડી રહી છે. અંતિમ ક્રિયા માટે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડે તેવી સ્થઇતી સર્જાઇ છે. અગાઉ અશ્વિનીકુમાર સ્મશાનમાં પતરાના કેબીનમાં મૃતદેહો મુકી રાખવાનો વિડીયો વાઇરલ થયો હતો.
https://youtu.be/EsYpkEzAB1Q
કોરોના તંત્રને નાથવા માટે સરકારી તંત્ર મોટાભાગે નિષ્ફળ રહ્યું છે. ઉચ્ચ અધિકીરીઓ દ્વારા મિટીંગો પર મિટીંગો કરવામાં આવી રહી છે. તો સ્થાનિક તંત્ર દ્વારા યેન કેન પ્રકારે કોરોનાના આંકડા છુપાવવા માટે કાગળ પર જાદુગરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અશ્વિનીકુમાર સ્મશાનનો વિડીયો વાઇરલ થયો હતો. જ્યાં પતરા વાળી જગ્યામાં મૃતદેહોને વેઇટીંગમાં મુકવા પડે તેવી કરૂણ સ્થિતી જોવા મળી હતી.
હવે ઉમરા સ્મશાનો વિડીયો વાઇરલ થયો છે. જ્યાં સ્વજનની અંતિમ ક્રિયા કરવા માટે લોકોએ ઠાઠડીઓને કતારમાં રાખીને વેઇટીંગમાં બેસવાનો વારો આવ્યો છે. જ્યાં અંતિમ ક્રિયા માટે લોકોને ટોકન ફાળવવામાં આવ્યા હોવાનું વિડીયોમાં એક શખ્શ બોલી રહ્યો છે. અને અંતિમ ક્રિયા માટે કલાકોનું વેઇટીંગ હોવાનું પણ વિડીયોમાં જણાવ્યું હતું. એક તરફ તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ પામતા લોકોના અંકડા ઓછી માત્રામાં બતાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સ્મશાનમાં કોવિડ ગાઇડલાઇન સાથે અસંખ્ય મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે.
કોરોના કાળમાં લોકો તમામ પ્રકારે લાચારી અનુભવી રહ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. તો કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને જીવન રક્ષક રેમડીસીવીર ઇન્જેક્શન મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમના સ્વજનોએ અંતિમ ક્રિયા માટે ઠાઠડીઓ સાથે વેઇટીંગમાં ઉભું રહેવું પડી રહ્યું છે.
ઉમરા સ્મશાનનો વિડીયો વાઇરલ થયો છે. જેને જોતા વહીવટી તંત્રની પોલ ખુલવાની સાથે કોરોનાની ભયાવહતાનો અંદાજો લગાડી શકાય તેમ છે. તંત્ર દ્વારા છુપાડાતા આંકડાનો ખેલ જોખમી પુરવાર થઇ રહ્યો છે. જો સમયસર પગલા લેવામાં નહિ આવે તો સ્થિતી વધુ વણસી શકે તેમ છે.
સ્થાનિક તંત્ર દ્વારા યેન કેન પ્રકારે કોરોનાના આંકડા છુપાવવા માટે કાગળ પર જાદુગરી કરવામાં આવી રહી છે
ઉમરા સ્મશામાં સ્વજનની અંતિમ ક્રિયા કરવા માટે લોકોએ ઠાઠડીઓની કતારમાં વેઇટીંગમાં બેસવાનો વારો આવ્યો
સ્મશાનની સ્થિતી જોતા વહીવટી તંત્રની પોલ ખુલવાની સાથે કોરોનાની ભયાવહતાનો અંદાજો લગાડવા માટે કાફી છે
જો સમયસર પગલા લેવામાં નહિ આવે તો સ્થિતી વધુ વણસી શકે તેમ છે
Watchgujarat. સરકારી તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ કેસોના આંકડા અને કોરોનાથી મૃતદેહોના આંકડા છુપાવવામાં આવે છે તે હવે સૌ કોઇ માનતું થઇ ગયું છે. પરંતું આંકડા છુપાવવાના અગનખેલને કારણે હવે લોકોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ઉમરા સ્મશાવમાં તો સ્થિતી એ હદે વિકટ છે કે લોકોએ પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે ઠાઠડીઓની લાઇનોમાં ઉભુ રહી પોતાનો વારો આવે તેની રાહ જોવી પડી રહી છે. અંતિમ ક્રિયા માટે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડે તેવી સ્થઇતી સર્જાઇ છે. અગાઉ અશ્વિનીકુમાર સ્મશાનમાં પતરાના કેબીનમાં મૃતદેહો મુકી રાખવાનો વિડીયો વાઇરલ થયો હતો.
કોરોના તંત્રને નાથવા માટે સરકારી તંત્ર મોટાભાગે નિષ્ફળ રહ્યું છે. ઉચ્ચ અધિકીરીઓ દ્વારા મિટીંગો પર મિટીંગો કરવામાં આવી રહી છે. તો સ્થાનિક તંત્ર દ્વારા યેન કેન પ્રકારે કોરોનાના આંકડા છુપાવવા માટે કાગળ પર જાદુગરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અશ્વિનીકુમાર સ્મશાનનો વિડીયો વાઇરલ થયો હતો. જ્યાં પતરા વાળી જગ્યામાં મૃતદેહોને વેઇટીંગમાં મુકવા પડે તેવી કરૂણ સ્થિતી જોવા મળી હતી.
હવે ઉમરા સ્મશાનો વિડીયો વાઇરલ થયો છે. જ્યાં સ્વજનની અંતિમ ક્રિયા કરવા માટે લોકોએ ઠાઠડીઓને કતારમાં રાખીને વેઇટીંગમાં બેસવાનો વારો આવ્યો છે. જ્યાં અંતિમ ક્રિયા માટે લોકોને ટોકન ફાળવવામાં આવ્યા હોવાનું વિડીયોમાં એક શખ્શ બોલી રહ્યો છે. અને અંતિમ ક્રિયા માટે કલાકોનું વેઇટીંગ હોવાનું પણ વિડીયોમાં જણાવ્યું હતું. એક તરફ તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ પામતા લોકોના અંકડા ઓછી માત્રામાં બતાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સ્મશાનમાં કોવિડ ગાઇડલાઇન સાથે અસંખ્ય મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે.
કોરોના કાળમાં લોકો તમામ પ્રકારે લાચારી અનુભવી રહ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. તો કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને જીવન રક્ષક રેમડીસીવીર ઇન્જેક્શન મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમના સ્વજનોએ અંતિમ ક્રિયા માટે ઠાઠડીઓ સાથે વેઇટીંગમાં ઉભું રહેવું પડી રહ્યું છે.
ઉમરા સ્મશાનનો વિડીયો વાઇરલ થયો છે. જેને જોતા વહીવટી તંત્રની પોલ ખુલવાની સાથે કોરોનાની ભયાવહતાનો અંદાજો લગાડી શકાય તેમ છે. તંત્ર દ્વારા છુપાડાતા આંકડાનો ખેલ જોખમી પુરવાર થઇ રહ્યો છે. જો સમયસર પગલા લેવામાં નહિ આવે તો સ્થિતી વધુ વણસી શકે તેમ છે.