ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમ ટાઉનમાં જ આમ આદમી પાર્ટીનો જબરદસ્ત ઝટકો.
2015માં 36 બેઠકો મેળવનાર કોંગ્રેસ 2021માં ખાતું પણ ના ખોલાવી શકી.
6 વોર્ડમાં આમ આદમી પાર્ટીની પેનલે ભાજપ – કોંગ્રેસને પછાડી.
Watch Gujarat. ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમ ટાઉનમાં જ આમ આદમી પાર્ટીએ જબરદસ્ત દેખાવ કરીને જોરદાર ઝટકો આપ્યો છે. ભાજપાને ટક્કર આપીને 6 વોર્ડમાં ચારે ચાર ઉમેદવારોના વિજય સાથે કુલ 27 બેઠકો પર આમ આદમી પાર્ટી (આપ)એ વિજય પ્રાપ્ત કર્યો છે. આપનું વાવાઝોડું એવું ઉઠ્યું કે કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતાં. ગત ચૂંટણીમાં 36 બેઠકો મેળવનાર કોંગ્રેસ આ વર્ષે સમ ખાવા પુરતી 1 બેઠક પણ મેળવી શકી નથી.
મહાનગર પાલિકાની ચૂંટણીમાં સુરતના મતદારો દર વખતે અણધાર્યા આંચકા આપતાં હોય છે. મતદારોનો મૂડ પારખી શકાતો ના હોવાથી જ આજે સુરત શહેરનો ખરાં અર્થમાં વિકાસ થયો છે. જ્યારે બીજી તરફ, વડોદરા શહેરના મતદારો છેલ્લાં ત્રણ દાયકાથી માત્ર ભાજપાને મત આપતાં હોવા છતાં શહેરમાં અનેક સમસ્યાઓ ઠેરની ઠેર છે અને માત્ર વિકાસની વાતો જ થતી હોય છે. સુરતના મતદારોએ આ વર્ષની ચૂંટણીમાં પણ મીજાજ બદલ્યો છે. જેને પગલે ભાજપા અને કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
https://twitter.com/ArvindKejriwal/status/1364164765786906632?s=08
ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આખા રાજ્યની ચૂંટણીના આયોજન પર ધ્યાન રાખ્યું પરંતુ પોતાના હોમ ટાઉનમાં ચૂંટણીનું પ્લાનિંગ કરવામાં તેઓ બેધ્યાન રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આજે મતગણતરી બાદ આમ આદમી પાર્ટીએ વોર્ડ નં. 2, 3, 4, 5, 16, 17 માંથી ભાજપ – કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને ધોબી પછડાટ આપતાં આખી પેનલનો વિજય થયો હતો. 6 વોર્ડના આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો વિજેતાં નિવડ્યા હતાં. તેમજ વોર્ડ નં. 7માં ભાજપની પેનલ તોડીને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો વિજયી નિવડ્યા હતાં જ્યારે વોર્ડ નં. 8માં ભાજપાની પેનલ તોડી આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર વિજેતા બન્યો હતો. આમ કુલ 27 બેઠકો સાથે આમ આદમી પાર્ટી વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી છે. ત્યારે આ બાબતને ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ ચૂકી હોવાનું ગણી શકાય.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની છેલ્લી સ્થિતિ જોઈએ તો, કુલ 120 બેઠકો પૈકી ભાજપને 93 અને આપને 27 બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે કોંગ્રેસને ખાતું ખોલવાના પણ ફાંફા પડ્યાં છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમ ટાઉનમાં જ આમ આદમી પાર્ટીનો જબરદસ્ત ઝટકો.
2015માં 36 બેઠકો મેળવનાર કોંગ્રેસ 2021માં ખાતું પણ ના ખોલાવી શકી.
6 વોર્ડમાં આમ આદમી પાર્ટીની પેનલે ભાજપ – કોંગ્રેસને પછાડી.
Watch Gujarat. ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમ ટાઉનમાં જ આમ આદમી પાર્ટીએ જબરદસ્ત દેખાવ કરીને જોરદાર ઝટકો આપ્યો છે. ભાજપાને ટક્કર આપીને 6 વોર્ડમાં ચારે ચાર ઉમેદવારોના વિજય સાથે કુલ 27 બેઠકો પર આમ આદમી પાર્ટી (આપ)એ વિજય પ્રાપ્ત કર્યો છે. આપનું વાવાઝોડું એવું ઉઠ્યું કે કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતાં. ગત ચૂંટણીમાં 36 બેઠકો મેળવનાર કોંગ્રેસ આ વર્ષે સમ ખાવા પુરતી 1 બેઠક પણ મેળવી શકી નથી.
મહાનગર પાલિકાની ચૂંટણીમાં સુરતના મતદારો દર વખતે અણધાર્યા આંચકા આપતાં હોય છે. મતદારોનો મૂડ પારખી શકાતો ના હોવાથી જ આજે સુરત શહેરનો ખરાં અર્થમાં વિકાસ થયો છે. જ્યારે બીજી તરફ, વડોદરા શહેરના મતદારો છેલ્લાં ત્રણ દાયકાથી માત્ર ભાજપાને મત આપતાં હોવા છતાં શહેરમાં અનેક સમસ્યાઓ ઠેરની ઠેર છે અને માત્ર વિકાસની વાતો જ થતી હોય છે. સુરતના મતદારોએ આ વર્ષની ચૂંટણીમાં પણ મીજાજ બદલ્યો છે. જેને પગલે ભાજપા અને કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આખા રાજ્યની ચૂંટણીના આયોજન પર ધ્યાન રાખ્યું પરંતુ પોતાના હોમ ટાઉનમાં ચૂંટણીનું પ્લાનિંગ કરવામાં તેઓ બેધ્યાન રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આજે મતગણતરી બાદ આમ આદમી પાર્ટીએ વોર્ડ નં. 2, 3, 4, 5, 16, 17 માંથી ભાજપ – કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને ધોબી પછડાટ આપતાં આખી પેનલનો વિજય થયો હતો. 6 વોર્ડના આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો વિજેતાં નિવડ્યા હતાં. તેમજ વોર્ડ નં. 7માં ભાજપની પેનલ તોડીને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો વિજયી નિવડ્યા હતાં જ્યારે વોર્ડ નં. 8માં ભાજપાની પેનલ તોડી આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર વિજેતા બન્યો હતો. આમ કુલ 27 બેઠકો સાથે આમ આદમી પાર્ટી વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી છે. ત્યારે આ બાબતને ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ ચૂકી હોવાનું ગણી શકાય.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની છેલ્લી સ્થિતિ જોઈએ તો, કુલ 120 બેઠકો પૈકી ભાજપને 93 અને આપને 27 બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે કોંગ્રેસને ખાતું ખોલવાના પણ ફાંફા પડ્યાં છે.