સુરત. અમરોલીમાં દોઢ વર્ષ પહેલાં બે વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાં સામે આવી હતી. જેમાં ચોકલેટ ખવરાવવાની લાલચ આપી શત્રુઘ્ન યાદવ નામનો શખ્સ બાળકીને ખેતરમાં લઈ ગયો હતો. અને દુષ્કર્મ આચરી તેણીને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગેનો કેસ ઓનલાઈન સેશન્સ કોર્ટમાં ચાલી ગયો છે. જેમાં કોર્ટે આરોપીને કોર્ટે ફટકારી મરતા સુધી કેદની સજા ફટકારી છે.
મેડિકલ તપાસમાં બાળકીના શરીર પર 12 તેમજ ગુપ્તાંગમાં 4 ઘાવનાં નિશાન મળ્યા હતા. આ સિવાય સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓને લઈને કેસ વધુ મજબૂત બન્યો હતો. જેને પગલે એપીપી કિશોરભાઇ રેવલિયાએ આરોપીને કડકમાં કડક સજા આપવાની અપીલ કરી હતી. જો કે કોર્ટે જણાવ્યું હતું કે, આ મુદ્દે આરોપીને ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. પણ આરોપી જિંદગીભર પોતાના આ કૃત્ય પર પસ્તાવો કરે અને લોકો પણ બનાવની ગંભીરતાને સમજે તે માટે તેને જીવે ત્યાં સુધી જેલમાં રાખવો વધુ યોગ્ય છે.
જાણો શુ હતો સમગ્ર મામલો
અમરોલી વિસ્તારમાં રહેતો શ્રમિક તારીખ 11 માર્ચ 2019 ના રોજ કામ પર ગયો હતો. ત્યારે તેની પત્ની બે વર્ષની બાળકીને ઘર આંગણે છોડીને બિલ્ડીંગ સાઈટ પર પતિને ટિફિન આપવા ગઈ હતી. આ દરમિયાન બાળકી ઘરની બહાર રમતી હતી. તે સમયે પાડોશી શત્રુઘ્ન ઉર્ફે બીજલી યાદવ દારૂના નશામાં ત્યાં આવ્યો હતો. અને બાળકીને ચોકલેટ આપવાના બહાને ત્યાંથી લઈ ગયો હતો. ચોકલેટ અપાવી નરાધમ બાળકીને નજીકના આવેલ ખેતરમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકી રડવા લાગતા આ નરાધમ ત્યાંથી ભાગી છૂટયો હતો.
ખેતરમાં કામ કરતી એક મહિલાની નજર પડતા તે ત્યાં પહોંચી હતી. બાળકીને લોહીલુહાણ જોઈ પોલીસને જાણકારી આપી હતી. બીજીતરફ ગુમ થયેલી આ બાળકીને પરિવાર પણ શોધી રહ્યો હતો. માસૂમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકી ને 12 ઇજાઓ શરીર પર મળી આવી હતી.આરોપીએ જે દુકાન પરથી બાળકીને ચોકલેટ અપાવી તે દુકાનદારના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરાઈ હતી.
સુરત. અમરોલીમાં દોઢ વર્ષ પહેલાં બે વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાં સામે આવી હતી. જેમાં ચોકલેટ ખવરાવવાની લાલચ આપી શત્રુઘ્ન યાદવ નામનો શખ્સ બાળકીને ખેતરમાં લઈ ગયો હતો. અને દુષ્કર્મ આચરી તેણીને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગેનો કેસ ઓનલાઈન સેશન્સ કોર્ટમાં ચાલી ગયો છે. જેમાં કોર્ટે આરોપીને કોર્ટે ફટકારી મરતા સુધી કેદની સજા ફટકારી છે.
મેડિકલ તપાસમાં બાળકીના શરીર પર 12 તેમજ ગુપ્તાંગમાં 4 ઘાવનાં નિશાન મળ્યા હતા. આ સિવાય સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓને લઈને કેસ વધુ મજબૂત બન્યો હતો. જેને પગલે એપીપી કિશોરભાઇ રેવલિયાએ આરોપીને કડકમાં કડક સજા આપવાની અપીલ કરી હતી. જો કે કોર્ટે જણાવ્યું હતું કે, આ મુદ્દે આરોપીને ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. પણ આરોપી જિંદગીભર પોતાના આ કૃત્ય પર પસ્તાવો કરે અને લોકો પણ બનાવની ગંભીરતાને સમજે તે માટે તેને જીવે ત્યાં સુધી જેલમાં રાખવો વધુ યોગ્ય છે.
જાણો શુ હતો સમગ્ર મામલો
અમરોલી વિસ્તારમાં રહેતો શ્રમિક તારીખ 11 માર્ચ 2019 ના રોજ કામ પર ગયો હતો. ત્યારે તેની પત્ની બે વર્ષની બાળકીને ઘર આંગણે છોડીને બિલ્ડીંગ સાઈટ પર પતિને ટિફિન આપવા ગઈ હતી. આ દરમિયાન બાળકી ઘરની બહાર રમતી હતી. તે સમયે પાડોશી શત્રુઘ્ન ઉર્ફે બીજલી યાદવ દારૂના નશામાં ત્યાં આવ્યો હતો. અને બાળકીને ચોકલેટ આપવાના બહાને ત્યાંથી લઈ ગયો હતો. ચોકલેટ અપાવી નરાધમ બાળકીને નજીકના આવેલ ખેતરમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકી રડવા લાગતા આ નરાધમ ત્યાંથી ભાગી છૂટયો હતો.
ખેતરમાં કામ કરતી એક મહિલાની નજર પડતા તે ત્યાં પહોંચી હતી. બાળકીને લોહીલુહાણ જોઈ પોલીસને જાણકારી આપી હતી. બીજીતરફ ગુમ થયેલી આ બાળકીને પરિવાર પણ શોધી રહ્યો હતો. માસૂમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકી ને 12 ઇજાઓ શરીર પર મળી આવી હતી.આરોપીએ જે દુકાન પરથી બાળકીને ચોકલેટ અપાવી તે દુકાનદારના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરાઈ હતી.