4500 કરોડનાં વહીવટ પર ચેરમેન – વાઈસ ચેરમેન પદ અંગે સર્કિટ હાઉસમાં બેઠક મળી.
સુરત. સુમુલ ડેરીના 4500 કરોડના વહીવટ પર ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડે માનસિંહ પટેલને પ્રમુખ અને રાજુ પાઠકને ઉપપ્રમુખ તરીકેનું મેન્ડેટ આપ્યું છે. સુમુલ ડેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. દરમિયાન કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુમુલ ડેરીના પ્રમુખ - ઉપપ્રમુખ માટે કોંગ્રેસ પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી અને ભરત સુદામ પટેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે સુનિલ ગામીતે ઉમેદવારી નોંધાવી હતી. જેથી પ્રાંત અધિકારીએ 19 મતોને અલગ કવરમાં પેક કર્યા છે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે હવે 21 સપ્ટેમ્બરના રોજ સુનાવણી બાદ નિર્ણય થશે. સુમુલની ચૂંટણીનો મામલો હાઈકોર્ટ સુધી ગયો હતો. સુમુલની 7 ઓગસ્ટે થયેલી ડિરેક્ટર્સની ચૂંટણીમાં સત્તાધારી અને સહકાર પેનલને સરખી એટલે કે 8 - 8 સિટ આવી હતી .
સ્ટેટ રજિસ્ટ્રારે સરકાર નિયુક્ત પ્રતિનિધીઓ નિમવા 2 નામો માંગતાં માનસિંહ જૂથના 2 નેતા નામ આગળ કરાયા હતા. જેને વિરોધ વચ્ચે મંજૂરી મળતાં સરકારી પ્રતિનિધીઓની ડેરીમાં ચૂંટણી અને મતના હકને મામલો હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે 2 સરકારી પ્રતિનિધીઓના મત અલગ જ્યારે ચૂંટાયેલા 16 ડિરેક્ટર્સ, 2 એનડીડીબીના પ્રતિનિધી અને 1 મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધી એમ કુલ 19 મતોને અલગ કવરમાં જમા કરાવવા આદેશ કર્યો છે . જેના પર આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મંત્રી ગણપત વસાવાની બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવતા 16 ડિરેકટર અને 3 સરકારી પ્રતિનિધિના મતપત્ર તેમજ સરકાર નિયુક્ત બે ડિરેક્ટરના મતપત્ર સીલબંધ કવરમાં મૂકી કોર્ટમાં જમા કરાવાશે. ત્યારબાદ હાઈકોર્ટના આદેશ પ્રમાણે હવે 21 સપ્ટેમ્બરના રોજ સુનાવણી બાદ નિર્ણય થશે.
ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, બધા બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ચર્ચા થઈ હતી . ત્યારબાદ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક રહેશે. બંને અનુભવી છે , ડેરી હજુ પણ ઉતરોતર પ્રગતિ કરે અને આ બંને જિલ્લાના છેવાડાના પશુપાલકોને સારુ વળતર મળે તે માટે બંને ટીમ તરીકે કામ કરવાના છે .
માનસિંહ પટેલે જણાવ્યું હતું કે , મોવડી મંડળે વાઇસ ચેરમેન અને ચેરમેનના નામો નક્કી કર્યા છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાશે અને ત્યાં મહોર મરાશે, પશુપાલકોના ગ્રામ્ય વિસ્તારમાં જે વિકાસના કામો કરવાના છે તે પ્રવૃત્તિ અગાઉથી કરતા આવ્યા છે અને વધુ મજબૂત કરવામાં આવશે . પશુપાલકોના પડતર પ્રશ્નોના નિકાલ કરાશે, એની માહિતી પણ આપવામાં આવશે, જે પશુપાલકો માટે યોજનાઓ ચાલુ છે તે યોજનાઓનો ચોક્સાઈથી અમલ કરાશે.
તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્તમાન ચેરમેન સામે ભ્રષ્ટાચારના આરોપ થયા હતા. વડાપ્રધાનને પણ નવનિયુક્ત ચેરમેન દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. ગણપત સિંહને લાગ્યું કે, પોતાના વિસ્તારમાં જે તે ઉમેદવાર જીતાડી શકે તેમ નથી જેથી હરીફને બિનહરીફ જાહેર કર્યા હતા. પાછલા બારણે જે ડિરેકટરો બનાવ્યા તેની સામે પણ વાંધો છે. તાપી જિલ્લાના લોકોને ક્યારેય પ્રમુખ કે ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો નથી . ભારતીય જનતા પાર્ટી સહકારી મંડળીમાં દખલ કરી રહી છે. જે માટે પ્રમુખ ઉપપ્રમુખ માટે કોંગ્રેસ ઉમેદવારી કરી છે. અમારી લડાઈ કાયદાકીય રીતે ચાલુ છે .
4500 કરોડનાં વહીવટ પર ચેરમેન – વાઈસ ચેરમેન પદ અંગે સર્કિટ હાઉસમાં બેઠક મળી.
સુરત. સુમુલ ડેરીના 4500 કરોડના વહીવટ પર ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડે માનસિંહ પટેલને પ્રમુખ અને રાજુ પાઠકને ઉપપ્રમુખ તરીકેનું મેન્ડેટ આપ્યું છે. સુમુલ ડેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. દરમિયાન કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુમુલ ડેરીના પ્રમુખ - ઉપપ્રમુખ માટે કોંગ્રેસ પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી અને ભરત સુદામ પટેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદે સુનિલ ગામીતે ઉમેદવારી નોંધાવી હતી. જેથી પ્રાંત અધિકારીએ 19 મતોને અલગ કવરમાં પેક કર્યા છે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે હવે 21 સપ્ટેમ્બરના રોજ સુનાવણી બાદ નિર્ણય થશે. સુમુલની ચૂંટણીનો મામલો હાઈકોર્ટ સુધી ગયો હતો. સુમુલની 7 ઓગસ્ટે થયેલી ડિરેક્ટર્સની ચૂંટણીમાં સત્તાધારી અને સહકાર પેનલને સરખી એટલે કે 8 - 8 સિટ આવી હતી .
સ્ટેટ રજિસ્ટ્રારે સરકાર નિયુક્ત પ્રતિનિધીઓ નિમવા 2 નામો માંગતાં માનસિંહ જૂથના 2 નેતા નામ આગળ કરાયા હતા. જેને વિરોધ વચ્ચે મંજૂરી મળતાં સરકારી પ્રતિનિધીઓની ડેરીમાં ચૂંટણી અને મતના હકને મામલો હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે 2 સરકારી પ્રતિનિધીઓના મત અલગ જ્યારે ચૂંટાયેલા 16 ડિરેક્ટર્સ, 2 એનડીડીબીના પ્રતિનિધી અને 1 મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધી એમ કુલ 19 મતોને અલગ કવરમાં જમા કરાવવા આદેશ કર્યો છે . જેના પર આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મંત્રી ગણપત વસાવાની બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવતા 16 ડિરેકટર અને 3 સરકારી પ્રતિનિધિના મતપત્ર તેમજ સરકાર નિયુક્ત બે ડિરેક્ટરના મતપત્ર સીલબંધ કવરમાં મૂકી કોર્ટમાં જમા કરાવાશે. ત્યારબાદ હાઈકોર્ટના આદેશ પ્રમાણે હવે 21 સપ્ટેમ્બરના રોજ સુનાવણી બાદ નિર્ણય થશે.
ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, બધા બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ચર્ચા થઈ હતી . ત્યારબાદ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક રહેશે. બંને અનુભવી છે , ડેરી હજુ પણ ઉતરોતર પ્રગતિ કરે અને આ બંને જિલ્લાના છેવાડાના પશુપાલકોને સારુ વળતર મળે તે માટે બંને ટીમ તરીકે કામ કરવાના છે .
માનસિંહ પટેલે જણાવ્યું હતું કે , મોવડી મંડળે વાઇસ ચેરમેન અને ચેરમેનના નામો નક્કી કર્યા છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાશે અને ત્યાં મહોર મરાશે, પશુપાલકોના ગ્રામ્ય વિસ્તારમાં જે વિકાસના કામો કરવાના છે તે પ્રવૃત્તિ અગાઉથી કરતા આવ્યા છે અને વધુ મજબૂત કરવામાં આવશે . પશુપાલકોના પડતર પ્રશ્નોના નિકાલ કરાશે, એની માહિતી પણ આપવામાં આવશે, જે પશુપાલકો માટે યોજનાઓ ચાલુ છે તે યોજનાઓનો ચોક્સાઈથી અમલ કરાશે.
તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્તમાન ચેરમેન સામે ભ્રષ્ટાચારના આરોપ થયા હતા. વડાપ્રધાનને પણ નવનિયુક્ત ચેરમેન દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. ગણપત સિંહને લાગ્યું કે, પોતાના વિસ્તારમાં જે તે ઉમેદવાર જીતાડી શકે તેમ નથી જેથી હરીફને બિનહરીફ જાહેર કર્યા હતા. પાછલા બારણે જે ડિરેકટરો બનાવ્યા તેની સામે પણ વાંધો છે. તાપી જિલ્લાના લોકોને ક્યારેય પ્રમુખ કે ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો નથી . ભારતીય જનતા પાર્ટી સહકારી મંડળીમાં દખલ કરી રહી છે. જે માટે પ્રમુખ ઉપપ્રમુખ માટે કોંગ્રેસ ઉમેદવારી કરી છે. અમારી લડાઈ કાયદાકીય રીતે ચાલુ છે .